Friday, May 17, 2024
Homenationalખેડૂતો પ્રજાસત્તાક દિને દિલ્હીમાં ટ્રૅક્ટર પરૅડ યોજવા મક્કમ

ખેડૂતો પ્રજાસત્તાક દિને દિલ્હીમાં ટ્રૅક્ટર પરૅડ યોજવા મક્કમ

Date:

spot_img

Related stories

ચારધામ મંદિર પરિસરના 200 મીટરની આસપાસ મોબાઈલ ફોન પર પ્રતિબંધ

ઉત્તરાખંડમાં ચારધામ યાત્રામાં ભારે ભીડને કારણે 5 દિવસમાં જ...

‘જો આવું નહીં થાય તો આપણે ફરી ગુલામ બની જઈશું…’ કોંગ્રેસ અધ્યક્ષ ખડગેએ કેમ આવું કહેવું પડ્યું

ઉત્તર પ્રદેશની રાજધાની લખનૌમાં બુધવારે ઈન્ડિયા અલાયન્સની સંયુક્ત પ્રેસ...

કર્નલ વૈભવ કાલેએ ઈઝરાયલના હુમલામાં ગુમાવ્યો જીવ, UNએ કહ્યું- ‘અમે પહેલા જ ચેતવણી આપી હતી’

ગાઝાના દક્ષિણી વિસ્તારમાં ઈઝરાયલના હુમલામાં ભારતના પૂર્વ સૈનિક કર્નલ...

હવે પાણીની અંદર પણ કમાન્ડો ઓપરેશન કરશે Arowana, દેશની પહેલી મિડગેટ સબમરિન તૈયાર

ભારતની પહેલી મિડગેટ સબમરિન (Midget Submarine) બનીને તૈયાર થઈ...
spot_img

નવી દિલ્હી: ખેડૂત સંગઠનો નવા ત્રણ કૃષિ કાયદાના વિરોધમાં પ્રજાસત્તાક દિને દિલ્હીમાં ટ્રૅક્ટર પરૅડ યોજવા મક્કમ હોવાની રવિવારે જાહેરાત કરાઇ હતી.ખેડૂત સંગઠનોના નેતાઓએ દિલ્હીના સીમાડે વિરોધ-પ્રદર્શનના સ્થળે પત્રકાર પરિષદ યોજી હતી.ખેડૂત નેતા યોગેન્દ્ર યાદવે રવિવારે જણાવ્યું હતું કે અમે પ્રજાસત્તાક દિને દિલ્હીમાં આઉટર રિંગ રૉડ ખાતે ટ્રૅક્ટર પરૅડ યોજીશું. અમે ઘણી શાંતિથી પરૅડ કરીશું. અમે પ્રજાસત્તાક દિનની પરૅડમાં કોઇ વિઘ્ન ઊભું નહિ કરીએ. ખેડૂતો પોતાના ટ્રૅક્ટરો પર રાષ્ટ્રીય ધ્વજ મૂકશે.સત્તાવાળાઓએ ખેડૂતોની પ્રજાસત્તાક દિને યોજાનારી સૂચિત ટ્રૅક્ટર પરૅડ અને દેખાવ રોકવાની દાદ ચાહતી અરજી સર્વોચ્ચ અદાલતમાં કરી હતી અને તેની સુનાવણી હજી બાકી છે.ખેડૂતોના અન્ય નેતા દર્શનપાલ સિંહે આક્ષેપ કર્યો હતો કે ખેડૂતોના દેખાવમાં ભાગ લઇ રહેલા અથવા તેઓને ટેકો આપી રહેલા લોકોની સામે નૅશનલ ઇન્વૅસ્ટિગૅશન ઍજન્સી દ્વારા કેસ કરાઇ રહ્યા છે.તેમણે નૅશનલ ઇન્વૅસ્ટિગૅશન ઍજન્સી દ્વારા એક ખેડૂત નેતાને પાઠવાયા હોવાનું કહેવાતા સમન્સના સંદર્ભે જણાવ્યું હતું કે બધા ખેડૂતો આ પગલાંને વખોડી કાઢે છે.દેશમાં તાજેતરમાં ઘડાયેલા ત્રણ કૃષિ કાયદાનો વિરોધ કરવા સેંકડો ખેડૂતો, ખાસ કરીને પંજાબ, હરિયાણા અને ઉત્તર પ્રદેશના કિસાનો દિલ્હીના સીમાડે છેલ્લા એક મહિનાથી દેખાવ કરી રહ્યા છે.સરકાર દાવો કરે છે કે આ નવા કૃષિ કાયદાથી ખેડૂતોની આવક વધશે.સરકાર ખેડૂત સંગઠનોનો આ ભય ખોટો હોવાનો દાવો કરીને આ કાયદા પાછા ખેંચવાનો ઇનકાર કરી રહી છે.

ચારધામ મંદિર પરિસરના 200 મીટરની આસપાસ મોબાઈલ ફોન પર પ્રતિબંધ

ઉત્તરાખંડમાં ચારધામ યાત્રામાં ભારે ભીડને કારણે 5 દિવસમાં જ...

‘જો આવું નહીં થાય તો આપણે ફરી ગુલામ બની જઈશું…’ કોંગ્રેસ અધ્યક્ષ ખડગેએ કેમ આવું કહેવું પડ્યું

ઉત્તર પ્રદેશની રાજધાની લખનૌમાં બુધવારે ઈન્ડિયા અલાયન્સની સંયુક્ત પ્રેસ...

કર્નલ વૈભવ કાલેએ ઈઝરાયલના હુમલામાં ગુમાવ્યો જીવ, UNએ કહ્યું- ‘અમે પહેલા જ ચેતવણી આપી હતી’

ગાઝાના દક્ષિણી વિસ્તારમાં ઈઝરાયલના હુમલામાં ભારતના પૂર્વ સૈનિક કર્નલ...

હવે પાણીની અંદર પણ કમાન્ડો ઓપરેશન કરશે Arowana, દેશની પહેલી મિડગેટ સબમરિન તૈયાર

ભારતની પહેલી મિડગેટ સબમરિન (Midget Submarine) બનીને તૈયાર થઈ...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here