Saturday, May 18, 2024
HomeGujaratAhmedabadગુજરાતમાં 301 દિવસ બાદ વિદ્યાર્થીઓ શાળાઓમાં આવ્યા

ગુજરાતમાં 301 દિવસ બાદ વિદ્યાર્થીઓ શાળાઓમાં આવ્યા

Date:

spot_img

Related stories

ભાવનગર શિશુવિહાર ની ૧૯૮૦ થી અવિરત ચાલતી બુધસભા ની ૨૨૮૭ મી બેઠક મળી

ભાવનગર વર્ષ ૧૯૮૦ થી અવિરત ચાલતી કાવ્યપ્રવૃત્તિ  શિશુવિહાર બુધસભા...

ચારધામ મંદિર પરિસરના 200 મીટરની આસપાસ મોબાઈલ ફોન પર પ્રતિબંધ

ઉત્તરાખંડમાં ચારધામ યાત્રામાં ભારે ભીડને કારણે 5 દિવસમાં જ...

‘જો આવું નહીં થાય તો આપણે ફરી ગુલામ બની જઈશું…’ કોંગ્રેસ અધ્યક્ષ ખડગેએ કેમ આવું કહેવું પડ્યું

ઉત્તર પ્રદેશની રાજધાની લખનૌમાં બુધવારે ઈન્ડિયા અલાયન્સની સંયુક્ત પ્રેસ...
spot_img

અમદાવાદ : રાજ્યમાં કોરોના વાયરસના સંક્રમણને કારણે વિદ્યાર્થીઓ ઘરે જ ઓનલાઇન શિક્ષણ લઇ રહ્યાં હતા. ત્યારે આજથી એટલે 11મી જાન્યુઆરીથી 301 દિવસ બાદ ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓ માટે શાળા તથા કોલેજો શરૂ થવા જઇ રહી છે. આજથી શાળામાં વિદ્યાર્થીઓ આવવાને કારણે ઉત્સાહનો માહોલ છવાયો છે. શાળામાં પણ વિદ્યાર્થીઓને આવકારવા માટે તમામ તૈયારીઓ કરી લેવામાં આવી છે. મહત્વનું છે કે, રાજ્યમાં શાળા ગત માર્ચ મહિનાની 16 તારીખથી બંધ છે.ગુજરાત યુનિવર્સિટીના પીજી ડિપાર્ટમેન્ટ પણ આજથી શરૂ થશે. સંલગ્ન કોલેજોમાં અંતિમ વર્ષના વિદ્યાર્થીઓને બોલાવાયા છે. આશરે 6000 વિદ્યાર્થીઓ પીજી ડિપાર્ટમેન્ટમાં આવે તેવી શક્યતા છે. કોલેજોમાં કેટલા વિદ્યાર્થીઓને બોલાવવા તે પ્રિન્સિપાલ નક્કી કરશે. ફરીથી શૈક્ષણિક માહોલ ઉભો કરવા પ્રયાસ કરવામાં આવશે. જીટીયુના પીજી ડિપાર્ટમેન્ટ અને સંલગ્ન કોલેજોમાં પણ પીજી અને છેલ્લા વર્ષના વિદ્યાર્થીઓને બોલાવાશે. કોલેજોમાં પચાસ ટકા વિદ્યાર્થીઓને જ બોલાવાશે. સ્કૂલોમાં સીબીએસઈની સ્કૂલો ઉત્તરાયણ બાદ શૈક્ષણિક કાર્ય શરૂ કરશે.મળતી માહિતી પ્રમાણે, શિક્ષણમંત્રી ભુપેન્દ્ર સિંહ ચુડાસમા ગાંધીનગરમાં કલોલની સ્કૂલ ખાતે હાજર રહેશે. મંત્રી પ્રદિપસિંહ જાડેજા અમદાવાદ પૂર્વમાં વસ્ત્રાલની સ્કૂલ ખાતે હાજર રહેશે. કોલેજોમાં પ્રથમ દિવસે વિદ્યાર્થીઓને વેલકમ કિટ આપી સ્વાગત કરાશે અને સ્કૂલોમાં પણ વિદ્યાર્થીઓનુ સ્વાગત કરાશે પરંતુ સ્કૂલો ઈચ્છે તો વિદ્યાર્થીઓને સેનેટાઈઝર અને માસ્ક આપી શકે છે.

ભાવનગર શિશુવિહાર ની ૧૯૮૦ થી અવિરત ચાલતી બુધસભા ની ૨૨૮૭ મી બેઠક મળી

ભાવનગર વર્ષ ૧૯૮૦ થી અવિરત ચાલતી કાવ્યપ્રવૃત્તિ  શિશુવિહાર બુધસભા...

ચારધામ મંદિર પરિસરના 200 મીટરની આસપાસ મોબાઈલ ફોન પર પ્રતિબંધ

ઉત્તરાખંડમાં ચારધામ યાત્રામાં ભારે ભીડને કારણે 5 દિવસમાં જ...

‘જો આવું નહીં થાય તો આપણે ફરી ગુલામ બની જઈશું…’ કોંગ્રેસ અધ્યક્ષ ખડગેએ કેમ આવું કહેવું પડ્યું

ઉત્તર પ્રદેશની રાજધાની લખનૌમાં બુધવારે ઈન્ડિયા અલાયન્સની સંયુક્ત પ્રેસ...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here