Friday, May 17, 2024
HomeWorldપોર્ટુગલમાં ઈચ્છામૃત્યુને મંજૂરી અપાઈ : કાયદો બનાવાયો

પોર્ટુગલમાં ઈચ્છામૃત્યુને મંજૂરી અપાઈ : કાયદો બનાવાયો

Date:

spot_img

Related stories

ચારધામ મંદિર પરિસરના 200 મીટરની આસપાસ મોબાઈલ ફોન પર પ્રતિબંધ

ઉત્તરાખંડમાં ચારધામ યાત્રામાં ભારે ભીડને કારણે 5 દિવસમાં જ...

‘જો આવું નહીં થાય તો આપણે ફરી ગુલામ બની જઈશું…’ કોંગ્રેસ અધ્યક્ષ ખડગેએ કેમ આવું કહેવું પડ્યું

ઉત્તર પ્રદેશની રાજધાની લખનૌમાં બુધવારે ઈન્ડિયા અલાયન્સની સંયુક્ત પ્રેસ...

કર્નલ વૈભવ કાલેએ ઈઝરાયલના હુમલામાં ગુમાવ્યો જીવ, UNએ કહ્યું- ‘અમે પહેલા જ ચેતવણી આપી હતી’

ગાઝાના દક્ષિણી વિસ્તારમાં ઈઝરાયલના હુમલામાં ભારતના પૂર્વ સૈનિક કર્નલ...

હવે પાણીની અંદર પણ કમાન્ડો ઓપરેશન કરશે Arowana, દેશની પહેલી મિડગેટ સબમરિન તૈયાર

ભારતની પહેલી મિડગેટ સબમરિન (Midget Submarine) બનીને તૈયાર થઈ...
spot_img

18 વર્ષથી વધુ ઉંમરના વ્યકિત મદદ માંગી શકશે

અસહનીય પીડા અને ઈલાજ વગરની બીમારીથી પીડાતા માનસિક સ્વસ્થ લોકો નિર્ણય લઈ શકશે 

ઈચ્છામૃત્યુને લઈને અનેક દેશોમાં ચર્ચાઓ થઈ રહી છે. પરંતુ, યુરોપીયન દેશ પોર્ટુગલની સંસદે ઈચ્છામૃત્યુને કાયદામાં પરિવર્તિત કર્યું છે. અહીં, ૧૮ વર્ષથી વધુ ઉંમરના વ્યકિતઓ મોત માટે સહાયતા માંગી શકે છે. પરંતુ, તે માટે તેમણે સરકાર દ્વારા મુકવામાં આવેલી શરતોનું પાલન કરવું પડશે. 

પોર્ટુગલમાં અનેક રાજ્કીય ચર્ચાઓ બાદ સંસદમાં ઈચ્છામૃત્યુને કાયદાના રૂપમાં મંજૂરી આપી દેવામાં આવી છે. આ કાયદામાં કહેવામાં આવ્યું છે કે, ફકત તે જ લોકો ઈચ્છામૃત્યુની માંગ કરી શકે છે જેઓ અસહનીય પીડા અને ઈલાજ વગરની બીમારીઓથી પીડાઈ રહ્યાં છે. પોર્ટુગલના રાષ્ટ્રપતિ માર્સેલો રેબેલો ડી સોસાએ આ કાયદાનો વિરોધ કર્યો હતો. 

રાષ્ટ્રપતિના વિરોધ વચ્ચે પણ દેશની જનતાનું સમર્થન હોવાને કારણે ઈચ્છામૃત્યુના કાયદાને પોર્ટુગલની સંસદમાં કાયદાકીય મંજૂરી મળી ગઈ છે. નવા કાયદા મુજબ, ૧૮ વર્ષથી વધુ ઉંમરના અસહનીય પીડા અને ઈલાજ વગરની બીમારીથી પીડાતા માનસિક રૂપથી સ્વસ્થ વ્યકિતઓ ઈચ્છામૃત્યુનો નિર્ણય લઈ શકે છે.ઉલ્લેખનીય છે કે, છેલ્લા ત્રણ વર્ષમાં પોર્ટુગલ સરકારે ઈચ્છામૃત્યુના કાયદાને ચાર વખત મંજૂરી આપી છે. પરંતુ, પોર્ટુગલના રાષ્ટ્રપતિ દ્વારા તેનો વિરોધ કરવામાં આવતા તેને સંવિધાનિક સમીક્ષા માટે મોકલી આપવામાં આવતું હતું. સંસદમાં બહુમત ધરાવતા સમાજવાદીઓેએ આ બિલનું સમર્થન કર્યું હતું.

ચારધામ મંદિર પરિસરના 200 મીટરની આસપાસ મોબાઈલ ફોન પર પ્રતિબંધ

ઉત્તરાખંડમાં ચારધામ યાત્રામાં ભારે ભીડને કારણે 5 દિવસમાં જ...

‘જો આવું નહીં થાય તો આપણે ફરી ગુલામ બની જઈશું…’ કોંગ્રેસ અધ્યક્ષ ખડગેએ કેમ આવું કહેવું પડ્યું

ઉત્તર પ્રદેશની રાજધાની લખનૌમાં બુધવારે ઈન્ડિયા અલાયન્સની સંયુક્ત પ્રેસ...

કર્નલ વૈભવ કાલેએ ઈઝરાયલના હુમલામાં ગુમાવ્યો જીવ, UNએ કહ્યું- ‘અમે પહેલા જ ચેતવણી આપી હતી’

ગાઝાના દક્ષિણી વિસ્તારમાં ઈઝરાયલના હુમલામાં ભારતના પૂર્વ સૈનિક કર્નલ...

હવે પાણીની અંદર પણ કમાન્ડો ઓપરેશન કરશે Arowana, દેશની પહેલી મિડગેટ સબમરિન તૈયાર

ભારતની પહેલી મિડગેટ સબમરિન (Midget Submarine) બનીને તૈયાર થઈ...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here