રાજકોટ: દલિત પરિવારનાં 8થી 10 લોકોએ આત્મવિલોપનનો કર્યો પ્રયાસ

રાજકોટ: દલિત પરિવારનાં 8થી 10 લોકોએ આત્મવિલોપનનો કર્યો પ્રયાસ

0
706
dalit-family-tried-self-immolation-in-rajkot-land-problem-gujarat
dalit-family-tried-self-immolation-in-rajkot-land-problem-gujarat

રાજકોટમાં દલિત પરિવારે આત્મવિલોપનનો પ્રયાસ કરતા પોલીસ તંત્ર દોડતુ થઇ ગયું છે. દલિત પરિવારે કેરોસીન છાંટીને આત્મવિલોપનનો પ્રયાસ કર્યો હતો. આત્મવિલોપનનાં પ્રયાસનું કારણ વિવાદિત જમીન હોવાનું સામે આવ્યું છે.

આ મામલે પોલીસે પરિવારનાં કેટલાક સભ્યોની અટકાયત કરી છે. તો આ જમીન વિવાદ મામલે રૈયા ગામનાં 20 સભ્યોએ આત્મવિલોપનની ચીમકી આપી છે. જેને કારણે તંત્ર દોડતુ થઇ ગયું છે. સૂત્રોનાં જણાવ્યા અનુસાર પરિવારનાં 7થી 10 લોકોઆત્મવિલોપન કરવાનાં હતા. આ મામલે મહેસુલ મંત્રીએ જિલ્લા કલેક્ટર પાસેથી અહેવાલ મંગાવ્યો છેકલેક્ટર પાસેથી મંગાવેલા અહેવાલનો અભ્યાસ કર્યા પછી કાર્યવાહી કરવામાં આવશે