Friday, May 17, 2024
HomeGujaratસ્મીમેરના NICUમાંથી નવજાતને માતા ગેટ પર મૂકી જતા બાળકનું મોત

સ્મીમેરના NICUમાંથી નવજાતને માતા ગેટ પર મૂકી જતા બાળકનું મોત

Date:

spot_img

Related stories

ચારધામ મંદિર પરિસરના 200 મીટરની આસપાસ મોબાઈલ ફોન પર પ્રતિબંધ

ઉત્તરાખંડમાં ચારધામ યાત્રામાં ભારે ભીડને કારણે 5 દિવસમાં જ...

‘જો આવું નહીં થાય તો આપણે ફરી ગુલામ બની જઈશું…’ કોંગ્રેસ અધ્યક્ષ ખડગેએ કેમ આવું કહેવું પડ્યું

ઉત્તર પ્રદેશની રાજધાની લખનૌમાં બુધવારે ઈન્ડિયા અલાયન્સની સંયુક્ત પ્રેસ...

કર્નલ વૈભવ કાલેએ ઈઝરાયલના હુમલામાં ગુમાવ્યો જીવ, UNએ કહ્યું- ‘અમે પહેલા જ ચેતવણી આપી હતી’

ગાઝાના દક્ષિણી વિસ્તારમાં ઈઝરાયલના હુમલામાં ભારતના પૂર્વ સૈનિક કર્નલ...

હવે પાણીની અંદર પણ કમાન્ડો ઓપરેશન કરશે Arowana, દેશની પહેલી મિડગેટ સબમરિન તૈયાર

ભારતની પહેલી મિડગેટ સબમરિન (Midget Submarine) બનીને તૈયાર થઈ...
spot_img

સુરત: સુરતમાં ફરી કળિયુગી માતાની મમતાને લાંછન લગાડતો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. સુરતના સ્મીમેર હોસ્પિટલના ગેટ આગળ નવજાત બાળકને તરછોડીને માતા ફરાર થઈ ગઈ હતી, જેના કારણે હોસ્પિટલમાં બાળકીનું મોત થયું છે. જાણવા મળી રહ્યું છે કે નવજાત બાળકનું સારવાર દરમિયાન મોત થયું છે.સુરતની સ્મીમેરમાં નવજાત બાળકને તેની જ માતા NICU વોર્ડમાંથી બહાર લઈ જઈ ગેટ પર મૂકી આવી હતી. ત્યારબાદ બાળક વોર્ડમાં ન હોવાની જાણ થતા સ્મીમેર તંત્રમાં દોડધામ મચી ગઈ હતી, ત્યારબાદ CCTV ચેક કર્યા તો નવજાત બાળકની માતા જ તેને લઈને બહાર જતી નજરે પડી હતી. બાદમાં ગેટ પર જ બાળકને તરછોડીને જતી રહી હતી. આ ઘટના વિશે મળતી માહિતી પ્રમાણે, સુરતની સ્વીમેર હોસ્પિટલમાં શનિવારે મધરાત્રીએ બનેલી આ ઘટનાએ ભારે ચર્ચા જગાવી છે. અમરોલીમાં રહેતા લક્ષ્મણ વર્માની પત્નીની ગત 12 નવેમ્બરે સ્મીમેરમાં ડિલિવરી થઈ હતી. નવજાતનું વજન ઓછું હોવાથી તેને NICU વોર્ડમાં મુકવામાં આવ્યું હતું. પરંતુ કોઈ કારણસર શનિવારે મધરાત્રે માતા આરતી NICU વોર્ડમાંથી નવજાતને લઈને હોસ્પિટલનાં ગેટ પર જ મૂકી પાછી આવી ગઈ હતી. ત્યારબાદ સોમવારે નવજાત બાળકનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.સૌથી પહેલા તો વોર્ડમાં નવજાત ન દેખાતા દોડધામ મચી ગઈ હતી. પછી સીસીટીવીના આધારે માતા જ લઈ બહાર નીકળી ગઈ હોવાની જાણ થઈ હતી. નવજાતને ફરી હોસ્પિટલમાં દાખલ કરાયું હતું. મંગળવારે નવજાતનું મોત નીપજ્યું હતું. આરતીની માનસિક હાલત એકાદ અઠવાડિયાથી ઠીક ન હોવાથી તે પોતાના બાળકને લઇ હોસ્પિટલ બહાર મૂકી આવી હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી હતી.

ચારધામ મંદિર પરિસરના 200 મીટરની આસપાસ મોબાઈલ ફોન પર પ્રતિબંધ

ઉત્તરાખંડમાં ચારધામ યાત્રામાં ભારે ભીડને કારણે 5 દિવસમાં જ...

‘જો આવું નહીં થાય તો આપણે ફરી ગુલામ બની જઈશું…’ કોંગ્રેસ અધ્યક્ષ ખડગેએ કેમ આવું કહેવું પડ્યું

ઉત્તર પ્રદેશની રાજધાની લખનૌમાં બુધવારે ઈન્ડિયા અલાયન્સની સંયુક્ત પ્રેસ...

કર્નલ વૈભવ કાલેએ ઈઝરાયલના હુમલામાં ગુમાવ્યો જીવ, UNએ કહ્યું- ‘અમે પહેલા જ ચેતવણી આપી હતી’

ગાઝાના દક્ષિણી વિસ્તારમાં ઈઝરાયલના હુમલામાં ભારતના પૂર્વ સૈનિક કર્નલ...

હવે પાણીની અંદર પણ કમાન્ડો ઓપરેશન કરશે Arowana, દેશની પહેલી મિડગેટ સબમરિન તૈયાર

ભારતની પહેલી મિડગેટ સબમરિન (Midget Submarine) બનીને તૈયાર થઈ...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here