Friday, May 17, 2024
HomeUncategorizedઅફઘાનિસ્તાનમાં 6.1ની તીવ્રતાનો ભૂકંપ, 250થી વધારે લોકોનાં મોત

અફઘાનિસ્તાનમાં 6.1ની તીવ્રતાનો ભૂકંપ, 250થી વધારે લોકોનાં મોત

Date:

spot_img

Related stories

સુરત ખાતે લાઠી લીલીયા પટેલ સમાજ ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાશે

સુરત ખાતે લાઠી લીલીયા તાલુકા પટેલ સમાજ સોશ્યલ ગ્રુપ...

ભાવનગર શિશુવિહાર ની ૧૯૮૦ થી અવિરત ચાલતી બુધસભા ની ૨૨૮૭ મી બેઠક મળી

ભાવનગર વર્ષ ૧૯૮૦ થી અવિરત ચાલતી કાવ્યપ્રવૃત્તિ  શિશુવિહાર બુધસભા...

ચારધામ મંદિર પરિસરના 200 મીટરની આસપાસ મોબાઈલ ફોન પર પ્રતિબંધ

ઉત્તરાખંડમાં ચારધામ યાત્રામાં ભારે ભીડને કારણે 5 દિવસમાં જ...

‘જો આવું નહીં થાય તો આપણે ફરી ગુલામ બની જઈશું…’ કોંગ્રેસ અધ્યક્ષ ખડગેએ કેમ આવું કહેવું પડ્યું

ઉત્તર પ્રદેશની રાજધાની લખનૌમાં બુધવારે ઈન્ડિયા અલાયન્સની સંયુક્ત પ્રેસ...
spot_img

કાબુલ : અફઘાનિસ્તાન અને પાકિસ્તાનમાં બુધવારે સવારે ભૂકંપના આંચકા અનુભવાયા છે. અફઘાનિસ્તાનમાં 6.1ની તીવ્રતાથી આવેલા ભૂકંપથી ભારે નુકસાનના સમાચાર છે. રોયટર્સના રિપોર્ટ પ્રમાણે અફઘાનિસ્તાનમાં ભૂકંપથી ઓછામાં ઓછા 250  લોકોના મોતના સમાચાર છે. ભૂકંપની તીવ્રતા જોતા મોતના આંકડા વધી પણ શકે છે.દેશના આપદા પ્રબંધન પ્રાધિકરણના મતે દક્ષિણ અફઘાનિસ્તાનામં 6.1ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો છે. જેમાં ઓછામાં ઓછા 250 લોકો માર્યા ગયા છે. ભૂકંપનું કેન્દ્રબિંદુ રાજધાની કાબુલના દક્ષિણમાં ખોસ્ત શહેરથી લગભગ 44 કિમી દક્ષિણ-પશ્ચિમમાં છે.પાકિસ્તાનમાં પણ 6.1ની તીવ્રતાના ભૂકંપના સમાચાર છે. જોકે ત્યાં હાલ કોઇ જાનમાલના નુકસાનના સમાચાર નથી. જિયો ન્યૂઝના મતે બુધવારે સવારે પાકિસ્તાનના પંજાબ અને ખૈબર પખ્તુનખ્વાના કેટલાક ભાગમાં 6.1ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો છે. પાકિસ્તાનમાં ઇસ્લામાબાદ, મુલતાન, ભાકર, ફલિયા, પેશાવર, મલકંદ, સ્વાત, બુનેર સહિત ઘણા સ્થળો પર ભૂકંપના આંચકા અનુભવાયા છે.સરકારના પ્રવક્તા બિલાલ કરીમીએ ટ્વિટ કર્યું કે દુર્ભાગ્યથી કાલે રાત્રે (સ્થાનીય સમય પ્રમાણે) પક્તિકા પ્રાંતના ચાર જિલ્લામાં ભીષણ ભૂકંપ આવ્યો છે. જેમાં અમારા સેંકડો દેશવાસી માર્યા ગયા છે અને ઇજાગ્રસ્ત થયા છે. ઘણા ઘરો તબાહ થઇ ગયા છે. અમે બધી ઇમરજન્સી એજન્સીઓને અપીલ કરીએ છીએ કે આગળની તબાહીને રોકવા માટે આ વિસ્તારમાં ટીમો મોકલે.

સુરત ખાતે લાઠી લીલીયા પટેલ સમાજ ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાશે

સુરત ખાતે લાઠી લીલીયા તાલુકા પટેલ સમાજ સોશ્યલ ગ્રુપ...

ભાવનગર શિશુવિહાર ની ૧૯૮૦ થી અવિરત ચાલતી બુધસભા ની ૨૨૮૭ મી બેઠક મળી

ભાવનગર વર્ષ ૧૯૮૦ થી અવિરત ચાલતી કાવ્યપ્રવૃત્તિ  શિશુવિહાર બુધસભા...

ચારધામ મંદિર પરિસરના 200 મીટરની આસપાસ મોબાઈલ ફોન પર પ્રતિબંધ

ઉત્તરાખંડમાં ચારધામ યાત્રામાં ભારે ભીડને કારણે 5 દિવસમાં જ...

‘જો આવું નહીં થાય તો આપણે ફરી ગુલામ બની જઈશું…’ કોંગ્રેસ અધ્યક્ષ ખડગેએ કેમ આવું કહેવું પડ્યું

ઉત્તર પ્રદેશની રાજધાની લખનૌમાં બુધવારે ઈન્ડિયા અલાયન્સની સંયુક્ત પ્રેસ...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here