વીવીપેટને મેચ કરવા માટેની અરજીને સુપ્રીમ કોર્ટે ફગાવી

0
79
Delhi: A meeting of opposition leaders is underway at the Constitution Club of India.
Delhi: A meeting of opposition leaders is underway at the Constitution Club of India.

૧૦૦ ટકા વીવીપેટ મેચ કરવાને મુદ્દે ફટકો : કંપનીની દલીલોને પણ ફગાવી દેવાઈ : અરજી કરનારની સુપ્રીમ કોર્ટે ઝાટકણી કાઢી : વારંવાર સુનાવણીનો ઇન્કાર : પરિણામ આવે તે પહેલા જ ૨૨ પક્ષોના નેતાઓની દિલ્હીમાં મિટિંગ યોજાઈ એÂક્ઝટ પોલના તારણ બાદ વિરોધ પક્ષો ઇવીએમને લઇ ફરીવાર અસંતુષ્ટ

Delhi: A meeting of opposition leaders is underway at the Constitution Club of India.

નવી દિલ્હી,તા. ૨૧
લોકસભાની ચૂંટણીના પરિણામ આવે તે પહેલા જ ચૂંટણી પરિણામને લઇને ચિંતાતુર અને પરેશાન થયેલા વિરોધ પક્ષોને આજે મોટો ફટકો પડ્યો હતો. સુપ્રીમ કોર્ટે લોકસભાની ચૂંટણી માટે ૨૩મી મેના દિવસે મતગણતરી દરમિયાન ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીનની સાથે વીવીપેટના ૧૦૦ ટકા મેચિંગની માંગ કરતી અરજીને ફગાવી દીધી હતી. ચીફ જÂસ્ટસ રંજન ગોગોઈના નેતૃત્વમાં વિસ્તૃત બેંચે આ મામલે પહેલાથી જ સુનાવણી કરી લીધી છે અને આદેશ પણ આપી દીધો છે. જÂસ્ટસ અરુણ મિશ્રા અને એમઆર શાહની બનેલી બેંચે આદેશ કર્યો હતો. સાથે સાથે ચેન્નાઈ સ્થિત ઓર્ગેનાઇઝેશન ટેક-૪ ઓલ દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીને ફગાવી દીધી હતી. બેંચે કહ્યું હતું કે, સીજેઆઈ આ મામલામાં સુનાવણી ચલાવી શકે છે. આવી સ્થિતિમાં બે જજની વેકેશન બેંચ સમક્ષ શા માટે સુનાવણીની તક લેવામાં આવી રહી છે. અમે તાકિદની સુનાવણી માટે આવા કોઇ કેસને હાથ ધરીશું. સીજેઆઈના આદેશને ઉપર જઇને કોઇ નિર્ણય લેવામાં આવશે નહીં. સુપ્રીમ કોર્ટે આ મામલાની તાકિદની સુનાવણી માટે માત્ર ઇન્કાર જ કર્યો નથી બલ્કે અરજીને સ્પષ્ટપણે ફગાવી દીધી હતી. ૭મી મેના દિવસે સીજેઆઈના નેતૃત્વમાં ત્રણ જજની બેંચે ૨૧ વિરોધ પક્ષો દ્વારા દાખલ કરવામાં આવેલી રિવ્યુ પિટિશનને ફગાવી દીધી હતી. આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુના નેતૃત્વમાં ૨૧ વિરોધ પક્ષો દ્વારા આ અરજી કરવામાં આવી હતી જેમાં ઇવીએમ સાથે વીવીપેટ સ્લીપને મેચ કરવાની સંખ્યા ૫૦ ટકા કરવાની માંગ કરવામાં આવી હતી. આ પહેલા સુપ્રીમ કોર્ટે ૮મી એપ્રિલના દિવસે મહત્વપૂર્ણ ચુકાદો દાખલ કર્યો હતો. ચેન્નાઈ સ્થિત કંપનીએ અરજી દાખલ કરીને કહ્યું હતું કે, ૨૦૧૯ લોકસભાની ચૂંટણીમાં ઉપયોગ કરવામાં આવેલા ઇવીએમ મોડલ પ્રથમ વખત ઉપયોગ કરવામાં આવ્યા છે જેથી ઇવીએમ સાથે ચેડાને લઇને શંકા રહેલી છે. સુપ્રીમ કોર્ટે સાફ શબ્દોમાં કહ્યુ હતુ કે આ પ્રકારની માંગને વારંવાર સાંભળી શકાય તેમ નથી. દરમિયાન વિપક્ષ મંગળવારના દિવસે ઇવીએમને લઇને બેઠક કરતા આને લઇને ઉત્સુકતા વધી ગઇ છે. વિપક્ષી દળોએ સાથે મળીને ઇવીએમને લઇને ફરિયાદ કરવાનો નિર્ણય કર્યો છે. દરમિયાન ચૂંટણી પંચે ઉત્તરપ્રદેશના ચાર મામલામાં વિપક્ષની શંકાને ફંગાવી દીધી છે. સાથે સાથે કહ્યુ છે કે ઇવીએમ બિલુકલસુરક્ષિત છે. તેમાં વિશ્વાસ જાળવી રાખવાની જરૂર છે. ટેકનોક્રેટ્‌સના એક ગ્રુપ તરફથી આ પ્રકારની માંગ કરવામાં આવી હતી. જેમાં માંગ કરવામાં આવી હતી કે વેરિફિકેશન માટે તમામ ઇવીએમને ઇવીએમ સાથે જાડી દેવાની જરૂર છે. સુપ્રીમ કોર્ટે આ અરજીને ફગાવી દીધી હતી. સાથે સાથે કહ્યુ હતુ કે તે મેરિટ મુજબ નથી. દરમિયાન ચૂંટણી પંચે યુપીના ચાર જિલ્લામાં ઇવીએમની સુરક્ષાને લઇને વિપક્ષ તરફથી કેટલાક પ્રશ્નો ઉઠાવવામાં આવ્યા હતા. કાશ્મીરના પૂર્વ મુખ્યપ્રધાન મહેબુબા મુÂફ્તએ પણ ઇવીએમને લઇને શંકા વ્યકત કરી છે. લોકસભાની ચૂંટણીના પરિણામ આવે તે પહેલા જ ઈવીએમ અને વીવીપેટના મુદ્દા ઉપર ફરીવાર હોબાળો શરૂ થઇ ગયો છે. આ સંદર્ભમાં આજે તૃણમુલ કોંગ્રેસ, કોંગ્રેસ, સમાજવાદી પાર્ટી, બહુજન સમાજ પાર્ટી, આમ આદમી પાર્ટી સહિતના ૨૨ વિરોધ પક્ષોના નેતાઓ ચૂંટણી પંચને મળવા માટે પહોંચ્યા હતા. વિપક્ષે ચૂંટણી પંચ સમક્ષ માંગ કરી હતી કે, ૨૩મી મેના દિવસે મતગણતરી શરૂ થતાં પહેલા કોઇપણ ક્રમમાં ચૂંટાયેલા પોલિંગ સ્ટેશનોની વીવીપેટ સ્લીપમાં તપાસ કરવી જાઇએ. વિપક્ષી દળોએ એવી માંગ પણ કરી છે કે, જા કોઇ એક બૂથ ઉપર વીવીપેટ સ્લીપ મેચ થતાં નથી તો સંબંધિત વિધાનસભા ક્ષેત્રમાં તમામ મતદાન કેન્દ્રોની વીવીપેટની અરજીની ગણતરી કરવી જાઇએ. સાથે સાથે તેના ઇવીએમ રિઝલ્ટ સાથે મુલ્યાંકન કરવાની જરૂર છે. ચૂંટણી પંચના અધિકારીઓ સાથે વાતચીત કર્યા બાદ કોંગ્રેસના વરિષ્ઠ નેતાગુલામ નબી આઝાદે પત્રકારો સાથે વાતચીત કરતા કહ્યું હતું કે, અમે માંગણી કરી રહ્યા છે કે, વીવીપેટ સ્લીપના મેચિંગ પહેલા કરવા જાઇએ. જા કોઇ ભુલ નજરે પડે તો એ ક્ષેત્રમાં તમામની ગણતરી થવી જાઇએ. બીજી બાજુ ચૂંટણી પંચે કહ્યું છે કે, સ્ટ્રોંગરુમમાં ઇવીએમ સંપૂર્ણપણે સુરક્ષિત છે. ચૂંટણી પંચે ઉપયોગ કરવામાં આવેલા વોટિંગ મશીનની હેરાફેરીના આક્ષેપોને પણ રદિયો આપ્યો હતો. તમામ આક્ષેપો અને ફરિયાદોને ફગાવી દઇને ચૂંટણી પંચે કહ્યું છે કે, તેઓ સ્પષ્ટતા કરી દેવા માંગે છે કે, આ પ્રકારના આક્ષેપ અને અહેવાલ આધારવગરના છે. કોંગ્રેસના નેતા અભિષેક મનુ સિંઘવીએ કહ્યું હતુંકે, છેલ્લા ઘણા મહિનાથી ચૂંટણી પંચ સમક્ષ વારંવાર રજૂઆત છતાં હવે ચૂંટણી પંચે કહ્યું છે કે, તેઓ મામલે બુધવારે બેઠક યોજશે. ટીડીપીના વડા ચંદ્રાબાબુ નાયડુએ કહ્યું હતું કે, જનાદેશનું સન્માન કરવા માટે કહેવામાં આવ્યું છે. બસપના નેતા સતિષચંદ્ર મિશ્રાએ કહ્યું હતું કે, ઇવીએમને લઇને ઉત્તરપ્રદેશમાં મોટાપાયે ગેરરીતિ થઇ શકે છે જેથી કેન્દ્રીય દળોની ગોઠવણી થવી જાઇએ. વિપક્ષી નેતાઓએ અનેક સ્થળો પર સ્ટ્રોંગરુમથી ઇવીએમના ટ્રાન્સફર સાથે જાડાયેલી ફરિયાદોને લઇને પણ કાર્યવાહીની માંગ કરી હતી. આ પહેલા વિપક્ષી નેતાઓએ દિલ્હીમાં બેઠખ યોજી હતી. મંગળવારના દિવસે ચૂંટણી પંચને સોંપવામાં આવેલા ૨૨ પક્ષોના મેમોરેન્ડમમાં જે મુખ્ય વિપક્ષી નેતાઓએ હસ્તાક્ષર કર્યા છે તેમાં કોંગ્રેસ નેતા અહેમદ પટેલ, અશોક ગહેલોત, ગુલામ નબી આઝાદ, અભિષેક મનુ સિંઘવી, રાજ બબ્બર, ટીડીપીના નેતા ચંદ્રબાબુ નાયડુ, સપાના રામગોપાલ યાદવ, સીપીઆઈએમના સીતારામ યેચુરી, તૃણમુલના બેરેક બ્રાયન, આમ આદમી પાર્ટીના અરવિંદ કેજરીવાલ, બસપના નેતા સતિષચંદ્ર મિશ્રા, ડીએમકેના કાનીમોઝી, આરજેડીના મનોજ ઝા, એનસીપીના પ્રફુલ પટેલ અને માજીદ મેમણ અને એચએએમના રજનીશકુમારનો સમાવેશ થાય છે. ૨૨ વિરોધ પક્ષના નેતાઓએ આજે ચૂંટણી પંચને મળ્યા હતા અને મતોની ગણતરી પહેલા પસંદ કરવામાં આવેલા પોલિંગ સ્ટેશનોના વીવીપેટ સ્લીપના વેરિફિકેશનની માંગ કરી હતી. રાજકીય પક્ષો દ્વારા અનેક તર્કદાર દલીલો કરવામાં આવી હતી જેમાં જણાવવામાં આવ્યું હતું કે, વીવીપેટ વેરિફિકેશન દરમિયાન કોઇ ગેરરીતિ દેખાય તો કાર્યવાહી થવી જાઇએ. લોકસભાની ચૂંટણીના પરિણામ આડે કલાકોનો ગાળો રહ્યો છે ત્યારે હોબાળો થઇ રહ્યો છે. કોંગ્રેસ સહિતના વિરોધ પક્ષોએ આજે બેઠક યોજી હતી. એÂક્ઝટ પોલના તારણોને ફગાવી દઇને બિનએનડીએ સરકારની રચના કરવાની શક્યતા ચકાસવામાં આવની રહી છે. આજે યોજાયેલી બેઠકમાં રાજકીય પક્ષોએ વિવિધ મુદ્દા ઉપર ચર્ચા કરી હતી. આ બેઠકમાં ચૂંટણી પંચ સમક્ષ ફરિયાદ કરવાનો નિર્ણય કરાયો હતો. નાયડુના નેતૃત્વમાં આ બેઠક યોજવામાં આવી હતી જેમાં રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત પણ ઉપસ્થિત રહ્યા હતા. બેઠકમાં ૧૦૦ ટકા ઇવીએમની સાથે વીવીપેટના મેચિંગનો મુદ્દો છવાયો હતો.
ઇવીએમને લઇ વિવાદથી પ્રણવ મુખર્જી ભારે ચિંતિત: લોકસભાની ચૂંટણીના પરિણામ પહેલા એÂક્ઝટ પોલના તારણ આવ્યા બાદ વિરોધ પક્ષો પરેશાન દેખાઈ રહ્યા છે. એકબાજુ ૨૧ વિરોધ પક્ષોના નેતાઓએ આજે ચૂંટણી પંચ સાથે મળીને પોતાની રજૂઆત કરી હતી. બીજી બાજુ આશંકા અને આરોપોના માહોલ વચ્ચે પૂર્ણ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીએ મતદારોના ચુકાદા સાથે ચેડાના અહેવાલો ઉપર ચિંતા વ્યક્ત કરી હતી. એક નિવેદન જારી કરીને પ્રણવ મુખર્જીએ કહ્યું છે કે, ઇવીએમ જે ચૂંટણી પંચની કસ્ટડીમાં છે તેમની સુરક્ષા અને રક્ષણની જવાબદારી ચૂંટણી પંચની છે. પ્રણવ મુખર્જીએ કહ્યું છે કે, આ પ્રકારની અટકળબાજી માટે કોઇ સ્થાન હોઈ શકે નહીં. જે અમારા લોકતંત્રને પડકાર ફેંકી શકે તે બાબત હોવી જાઇએ નહીં. પ્રણવ મુખર્જીએ ઉમેર્યું હતું કે, જનાદેશ પવિત્ર છે. જનાદેશને લઇને કોઇપણ પ્રકારની શંકા હોવી જાઇએ નહીં. પ્રણવ મુખર્જીએ એમ પણ કહ્યું હતું કે, પોતાની સંસ્થાઓ ઉપર મક્કમ વિશ્વાસની સાથે સાથે આ તેમનો અભિપ્રાય છે કે, કામ કરનાર લોકો જ છે જે નિર્ણય કરે છે તે સંસ્થાગત સાધનો કઈ રીતે કામ કરે. આ સંદર્ભમાં સંસ્થાગત અખંડતાની ખાતરી કરવાનું કામ ચૂંટણી પંચનું રહેલું છે. આના માટે કોઇપણ પ્રકારની શંકા હોવી જાઇએ નહીં. એÂક્ઝટ પોલ બાદ વિરોધ પક્ષો હચમચી ઉઠ્યા છે.

ઇવીએમ સુરક્ષિત અને વિશ્વાસ રાખવાની જરૂર : ચૂંટણી પંચે પણ ખાતરી આપી

વિરોધ પક્ષોએ સાથે મળીને ચૂંટણી પંચ સમક્ષ રજૂઆત કરી છે ત્યારે બીજી બાજુ સુપ્રીમ કોર્ટની સાથે સાથે ચૂંટણી પંચે પણ રાજકીય પક્ષોની રજૂઆતને ફગાવી દીધી છે. ચૂંટણી પંચે ઉત્તરપ્રદેશમાં ચાર મામલાઓમાં વિપક્ષની આશંકાઓને ફગાવી દઇને કહ્યું છે કે, ઇવીએમ બિલકુલ સુરક્ષિત છે અને વિશ્વાસ જાળવી રાખવાની
આભાર – નિહારીકા રવિયા જરૂર છે. ટેકનોક્રેટ્‌સના એક ગ્રુપે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરીને માંગ કરી હતી કે, વેરિફિકેશન માટે તમામ ઇવીએમને જાડી શકાય નહીં. ચૂંટણી પંચે કહ્યું છે કે, તમામ મામલાઓમાં ઇવીએમ અને વીવીપેટને ઉમેદવારની સામે સારીરીતે સીલ કરવામાં આવ્યા હતા. વિડિયોગ્રાફી કરવામાં આવી હતી. તમામ આક્ષેપો આધારવગરના છે.