Friday, May 17, 2024
HomenationalCorona: બેંગલુરૂમાં પાંચ દિવસમાં 242 બાળકો કોરોના પોઝિટિવ

Corona: બેંગલુરૂમાં પાંચ દિવસમાં 242 બાળકો કોરોના પોઝિટિવ

Date:

spot_img

Related stories

ચારધામ મંદિર પરિસરના 200 મીટરની આસપાસ મોબાઈલ ફોન પર પ્રતિબંધ

ઉત્તરાખંડમાં ચારધામ યાત્રામાં ભારે ભીડને કારણે 5 દિવસમાં જ...

‘જો આવું નહીં થાય તો આપણે ફરી ગુલામ બની જઈશું…’ કોંગ્રેસ અધ્યક્ષ ખડગેએ કેમ આવું કહેવું પડ્યું

ઉત્તર પ્રદેશની રાજધાની લખનૌમાં બુધવારે ઈન્ડિયા અલાયન્સની સંયુક્ત પ્રેસ...

કર્નલ વૈભવ કાલેએ ઈઝરાયલના હુમલામાં ગુમાવ્યો જીવ, UNએ કહ્યું- ‘અમે પહેલા જ ચેતવણી આપી હતી’

ગાઝાના દક્ષિણી વિસ્તારમાં ઈઝરાયલના હુમલામાં ભારતના પૂર્વ સૈનિક કર્નલ...

હવે પાણીની અંદર પણ કમાન્ડો ઓપરેશન કરશે Arowana, દેશની પહેલી મિડગેટ સબમરિન તૈયાર

ભારતની પહેલી મિડગેટ સબમરિન (Midget Submarine) બનીને તૈયાર થઈ...
spot_img

બેંગલુરૂઃ કોરોના વાયરસની બીજી લહેરે દેશમાં તાંડવ મચાવ્યું હતું. ત્યારબાદ નિષ્ણાંતોએ ત્રીજી લહેરને લઈને ચેતવણી આપી હતી અને કહ્યું હતું કે તેની સૌથી વધુ અસર બાળકો પર જોવા મળશે. હવે તેમ લાગી રહ્યું છે કે દેશમાં કોરોનાની ત્રીજી લહેરની એન્ટ્રી થઈ ગઈ છે. બેંગલુરૂમાં છેલ્લા પાંચ દિવસમાં ઓછામાં ઓછા 242 બાળકો કોરોના પોઝિટિવ આવ્યા છે. સ્વાસ્થ્ય અધિકારીઓએ ચેતવણી આપી કે આવનારા સમયમાં આ આંકડો વધી શકે છે. આ મામલાને ત્રીજી લહેરની એન્ટ્રીના રૂપમાં જોવામાં આવી રહ્યાં છે. મંગળવારે કર્ણાટકમાં કોરોનાના 1338 નવા કેસ સામે આવ્યા અને 31 લોકોના મોત થયા છે. નિષ્ણાંતો પહેલા ચેતવણી આપી ચુક્યા છે કે કોરોનાની ત્રીજી લહેર સૌથી વધુ બાળકોને પ્રભાવિત કરી શકે છે. તેવામાં બાળકો આટલા મોટી સંખ્યામાં સંક્રમિત મળવા ડરાવે છે.બેંગલુરૂ મહાનગર પાલિકાએ કહ્યું કે છેલ્લા પાંચ દિવસમાં 19 વર્ષથી નાની ઉંમરના 242 બાળકો પોઝિટિવ આવ્યા છે. નિષ્ણાંતોએ ચેતવણી આપી છે કે કોવિડની ત્રીજી લહેર શરૂ થઈ ચુકી છે. આંકડા અનુસાર શહેરમાં છેલ્લા પાંચ દિવસમાં 9 વર્ષથી ઓછી ઉંમરના 106 બાળકો અને 9થી 19 વર્ષની વચ્ચેના 136 બાળકો કોરોના પોઝિટિવ આવ્યા છે. સ્વાસ્થ્ય વિભાગે ચેતવણી આપી છે કે આવનારા દિવસોમાં બાળકોના પોઝિટિવ કેસ વધી શકે છે. સ્વાસ્થ્ય વિભાગના એક અધિકારીએ કહ્યું કે, આ સંખ્યા થોડા દિવસમાં ત્રણ ગણી થઈ જશે જે એક મોટો ખતરો છે. અધિકારીએ કહ્યું- અમે બસ એટલું કહી શકીએ કે પોતાના બાળકોને ઘરની અંદર રાખી આ વાયરસથી બચાવો. મોટાની તુલનામાં બાળકોમાં વધુ ઇમ્યુનિટી હશે નહીં. માતા-પિતાને વિનંતી છે કે આવા બાળકોને ઘરની અંદર રાખો અને કોવિડ પ્રોટોકોલનું પાલન કરો. કર્ણાટક સરકારે પહેલાથી બધા જિલ્લામાં રાત્રી અને વીકેન્ડ કર્ફ્યૂનો આદેશ આપ્યો છે, આ સિવાય કેરલ, મહારાષ્ટ્ર, કર્ણાટકની સરહદો પર પ્રવેશ પ્રતિબંધિત કરવામાં આવ્યો છે. 72 કલાક સુધીનો આરટી-પીસીઆર ટેસ્ટ નેગેટિવ દેખાડનારને રાજ્યમાં પ્રવેશની મંજૂરી છે

ચારધામ મંદિર પરિસરના 200 મીટરની આસપાસ મોબાઈલ ફોન પર પ્રતિબંધ

ઉત્તરાખંડમાં ચારધામ યાત્રામાં ભારે ભીડને કારણે 5 દિવસમાં જ...

‘જો આવું નહીં થાય તો આપણે ફરી ગુલામ બની જઈશું…’ કોંગ્રેસ અધ્યક્ષ ખડગેએ કેમ આવું કહેવું પડ્યું

ઉત્તર પ્રદેશની રાજધાની લખનૌમાં બુધવારે ઈન્ડિયા અલાયન્સની સંયુક્ત પ્રેસ...

કર્નલ વૈભવ કાલેએ ઈઝરાયલના હુમલામાં ગુમાવ્યો જીવ, UNએ કહ્યું- ‘અમે પહેલા જ ચેતવણી આપી હતી’

ગાઝાના દક્ષિણી વિસ્તારમાં ઈઝરાયલના હુમલામાં ભારતના પૂર્વ સૈનિક કર્નલ...

હવે પાણીની અંદર પણ કમાન્ડો ઓપરેશન કરશે Arowana, દેશની પહેલી મિડગેટ સબમરિન તૈયાર

ભારતની પહેલી મિડગેટ સબમરિન (Midget Submarine) બનીને તૈયાર થઈ...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here