Friday, May 17, 2024
HomeGujaratAhmedabadસિંધી સમાજના પ્રખર સંત શ્રી ભાઉજીના દુઃખદ નિધન થી ઘેરા શોકની લાગણી

સિંધી સમાજના પ્રખર સંત શ્રી ભાઉજીના દુઃખદ નિધન થી ઘેરા શોકની લાગણી

Date:

spot_img

Related stories

બોલિવૂડ સ્ટાર કાર્તિક આર્યન સોની સ્પોર્ટ્સ નેટવર્કના UEFA યુરો 2024 કેમ્પેન ફિલ્મ માટે આઉટ ઓફ ધ વર્લ્ડ અવતારમાં જોવા મળ્યો

મુંબઈ, 17મે, 2024:UEFA EURO 2024ના પ્રારંભના 30 દિવસ અગાઉ સોની સ્પોર્ટ્સ નેટવર્ક દ્વારા બ્લોકબસ્ટર કેમ્પેન "2024માં બ્રહ્માંડમાં ફૂટબોલનો સૌથી મોટો તેહવાર" લોન્ચ કર્યું. જેમાં ફૂટબોલનો બ્રાન્ડ એમ્બેસેડર અને બોલિવૂડ સ્ટાર કાર્તિક આર્યન જોવા મળશે, આ કેમ્પેનમાં બોલિવૂડ સ્ટાર ડબલ રોલમાં જોવા મળશે જે દર 4 વર્ષે યોજાનારી ટૂર્નામેન્ટ માટેની અપેક્ષઓના સ્તરમાં વધારો કરશે. આ કેમ્પેન મોટા પ્રમાણમાં વિઝ્યુઅલ અફેક્ટ સાથે UEFA EURO 2024ના ફેન્સના ઉત્સાહને સંક્ષિપ્તમાં દર્શાવે છે અને સાથે રજૂ કરે છે કે-"2024માં બ્રહ્માંડમાં ફૂટબોલની સૌથી મોટી ઈવેન્ટ" દર્શકો માટે શું લાવી રહી છે. આ ભારતીય ટેલિવિઝન માટે એક અલગ જ અનુભવ હશે. જેમાં કાર્તિક આર્યન પ્રથમવાર પૃથ્વી બહારના ગ્રહ પર રહેતા એલિયનની ભૂમિકામાં જોવા મળશે. જે પૃથ્વી પરના સેલિબ્રેશનને જોઈ ફૂટબોલના આ તેહવારની ઉજવણીમાં સામેલ થવાનો નિર્ણય લે છે. આ સમયે તે પોતાના માનવીય અવતારને પણ મળે છે. જે પછી બંને અન્ય ફેન્સની જેમ યુરોપિયન ટીમ અને ખેલાડીઓને ટૂર્નામેન્ટમાં જોવા એક સાથે આગળ વધે છે.UEFA EURO 2024નીકેમ્પેનફિલ્મજેમાંકાર્તિકઆર્યનમુખ્યભૂમિકામાંછેતેનેજોવાઅહીંક્લિકકરો : https://youtu.be/QEHhxGryljk ખંડીય ભવ્યતા એવા UEFA EURO2024 એ આ વર્ષે સૌથી વધુ આતુરતાથી જેની રાહ જોવામાં આવી રહી હોય તે ટૂર્નામેન્ટ છે. આ સ્પર્ધામાં ફિફાના ટોપ-10માંથી 8 દેશોની ટીમ જોવા મળશે, જેમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન ઈટાલી, ફ્રાન્સ, પોર્ટુગલ, બેલ્જિયમ, ઈંગ્લેન્ડ, નેધરલેન્ડ્સ અને ક્રોએશિયા ટાઈટલ પર કબજો કરવાની તૈયારી કરી રહ્યા છે. આ ઉપરાંત તેમા માત્ર યુરોપના જ નહીં પણ સમગ્ર વિશ્વના શાનદાર ખેલાડીઓ અને કોચ સામેલ થતા જોશે કારણ કે, આ સમયગાળા દરમિયાન ક્લબ ફૂટબોલનું સ્થાન આંતરરાષ્ટ્રીય ફૂટબોલ લેશે. ફેન્સના ફેવરિટ ખેલાડીઓ ક્રિસ્ટિયાનો રોનાલ્ડો, કાયલિન એમબાપે, હેરી કેન, થોમસ મુલ્લર, વર્ગિલ વાન ડીક, લુકા મોડ્રિક અને અન્ય ખેલાડીઓ પોતાના દેશની ટીમ તરફથી રમતા જોવા મળશે. તેઓ પિચ પર પોતાનો જાદૂ દેખાડશે અને ટ્રોફી રૂપી ઈનામ જીતવા પ્રયાસ કરશે. સોની સ્પોર્ટ્સ નેટવર્કનું આ કેમ્પેન દર્શકો માટે રોમાંચક ફૂટબોલના મહિના સાથે જોડાવવાનો માર્ગ તૈયાર કરશે. આ UEFA EURO...

સુરત ખાતે લાઠી લીલીયા પટેલ સમાજ ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાશે

સુરત ખાતે લાઠી લીલીયા તાલુકા પટેલ સમાજ સોશ્યલ ગ્રુપ...

ભાવનગર શિશુવિહાર ની ૧૯૮૦ થી અવિરત ચાલતી બુધસભા ની ૨૨૮૭ મી બેઠક મળી

ભાવનગર વર્ષ ૧૯૮૦ થી અવિરત ચાલતી કાવ્યપ્રવૃત્તિ  શિશુવિહાર બુધસભા...

ચારધામ મંદિર પરિસરના 200 મીટરની આસપાસ મોબાઈલ ફોન પર પ્રતિબંધ

ઉત્તરાખંડમાં ચારધામ યાત્રામાં ભારે ભીડને કારણે 5 દિવસમાં જ...
spot_img

– શ્રી ભાઉજીના અંતિમ દર્શનાર્થે હજારો અનુયાયીઓ અને શ્રધ્ધાળુઓ ઉમટયા-કેપ

– શ્રી ભાઉજીની અંતિમયાત્રામાં પણ હજારો અનુયાયીઓ અને સ્થાનિક લોકો જોડાયા : અંતિમ યાત્રામાં એક તબક્કે હ્રદયપૂર્વક ભાવુક દ્રશ્યો સર્જાયા

– શ્રી ભાઉજી સિંધી સમાજના બહુ મોટા અને સાચા અર્થમાં સંત હતા કે જે હંમેશા દિન દુખીયો, ગરીબો અને જરૂરિયાત મંદોને સેવામાં કાર્યરત હતા ; શ્રી ભાઉજીના નિધનને પગલે સિંધી સમાજ ઊંડા આઘાતમાં ગરકાવ

અમદાવાદ, તા.૨૨

     સિંધી સમાજના બહુ મોટા અને સંત ભાઉજી(ચેતનદાસ જેઠાણી)નું આજે સવારે દુઃખદ નિધન થતા સમગ્ર સિંધી સમાજ તેમજ અન્ય હિંદુ સમાજમાં ઘેરા શોકની અને ઊંડા આઘાતની લાગણી પ્રસરી ગઇ હતી. શ્રી ભાઉજી નું ટૂંકી માંદગી બાદ નિધન થતાં ખાસ કરીને સિંધી સમાજ ઊંડા આઘાતમાં ગરકાવ થઈ ગયો છે. ભાઉજીના નિધનના સમાચાર આજે સવારે વાયુવેગે પ્રસરતા સમગ્ર સિંધી સમાજ અને તેમના હજારો અનુયાયીઓ અને સેવકોમાં ઘેરા શોકની લાગણી પ્રસરી હતી કેટલાક શ્રદ્ધાળુ અને લાગણીશીલ અનુયાયીઓ તો રીતસરના ગોખીને આંખોમાં આંસુ સાથે રડતા જોવા મળ્યા હતા. શ્રી ભાઉજીના નિધન બાદ તેમનો પાર્થિવ દેહ આજે બપોરે ૨-૦૦થી ૪-૦૦ વાગ્યા સુધી અંતિમ દર્શનાર્થે રાખવામાં આવ્યો હતો, બાદમાં સાંજે ૪-૦૦ વાગ્યા બાદ તેમની અંતિમ યાત્રા નીકળી હતી, જેમાં હજારો લોકો ભારે હૈયે અને આંસુ સારતા જોડાયા હતા. એક તબક્કે અંતિમ યાત્રામાં અને અંતિમ સંસ્કાર વખતે ભાવુક અને હ્રદયદ્રાવક દ્રશ્યો સર્જાયા હતા.

     સિંધી સમાજના બહુ મોટા અને સાચા સંત શ્રી ભાઉજીની જીવન ઝરમર અંગે તેમના અનુયાયી રમેશભાઇ ગીડવાણીને પૂછતાં તેમણે જણાવ્યું હતું કે, શહેરના જૂના વાડજ વિસ્તારમાં સોરાબજી કમ્પાઉન્ડ માં વર્ષોથી રહેતા સિંધી સમાજના ગુરુ અને સાચા સંત એવા શ્રી ભાઉજી એ આ સ્થળ પર હનુમાનજી મંદિર ની સ્થાપના પણ કરી હતી અને તેમના ગુરુ શ્રી લીલાશા મહારાજ ના નામથી એક આશ્રમ સ્થાપ્યો હતો. ભાઉજી હિન્દી સમાજમાં સાંઈબાબાના અવતાર તરીકે પ્રચલિત હતા. તેમની રહેણીકરણી પોશાક પહેરે અને પ્રતિકૃતિ પણ જાણે સાંઈબાબા જેવી હોય તેવી જ તેમના અનુયાયીઓ અને ભક્તોને અનુભૂતિ થતી હતી. ભાઉજી જીવનભર એક સાચા સંત તરીકે બ્રહ્મચર્યનું પાલન કરી દીન દુખિયાની સેવા કરી તેમના ભક્તો અનુયાયીઓ સાથે સાથે સામાન્ય જનતાને પણ આશીર્વાદ આપી તેમના દુઃખો દર્દો હરી લઈ ભારે લોકપ્રિય ધર્મગુરુ અને સાચા સંત તરીકેનું બિરૂદ પામ્યા હતા. શ્રી ભાઉજી એટલા પ્રખર અને મર્યાદાવાળા સંત હતા કે તેઓ સ્ત્રીઓને ત્યારે તેમના દર્શન માટે નજીક આવવા દેતા ન હતા અને તેઓને દૂરથી જ દર્શન આપતા હતા. શ્રી ભાઉજી દીન દુખિયોની સેવા માટે હરહંમેશ પ્રવૃત રહેતા હતા. ખાસ કરીને ઠંડી માં ગરીબોને ધાબળા વિતરણ, પૂનમ અમાસ ના દિવસે પોતાને ત્યાં વિશાળ ભંડારાનું આયોજન, કોઇપણ નાતજાતના ભેદભાવ ભૂલીને તમામ લોકો માટે સદાવ્રત ભંડારો ચલાવતા હતા અને આશ્રમના સ્થળે રામધુન પણ સતત ચાલ્યા કરતી હતી. એટલું જ નહીં ભાઉજી ખાસ કરીને નાના છોકરાઓ અને વિદ્યાર્થીઓને આપણી ભારતીય સંસ્કૃતિ અને પરંપરા તેમજ સંસ્કાર ઉજાગર કરતા તેઓને યજ્ઞ કેવી રીતે કરવા અને પૂજા વિધિ નું જ્ઞાન માર્ગદર્શન અને જાણકારી આપતા હતા.

     સૌથી નોંધનીય અને મહત્વની વાત એ છે કે શ્રી ભાઉજી ક્યારે તેમની તસવીર એ કોઈને પણ પાડવા દેતા ન હતા કે કોઈપણ પ્રકારની પ્રસિદ્ધિમાં માનતા ન હતા તેઓ માત્ર આમ જનતાને એટલે કે સામાન્ય લોકોના અને ગરીબ તેમજ જરૂરિયાતમંદો નાં દર્દો દૂર કરવા માટે સતત પ્રવૃત્ત રહી તેઓને સાઈબાબા ની જેમ આશીર્વાદ આપતા હતા. તાજેતરમાં જ શ્રી ભાઉજીને હાર્ટ એટેક આવતા તેમને હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા હતા અને સ્ટેન્ટ પણ નાખવામાં આવ્યા હતા પરંતુ ગઈ કાલે ફરીથી તેમની તબિયત એક વખત બગડતા તેઓને તાબડતોબ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા પરંતુ તેમનું દુઃખદ નિધન થયું હતું. શ્રી ભાઉજી ના દુ:ખદ નિધનના સમાચારને પગલે ખાસ કરીને સિંધી સમાજ અને અન્ય હિંદુ સમાજમાં ઘેરા શોકની લાગણી પ્રસરી હતી તો સિંધી સમાજ તો જાણે ઉંડા આઘાતમાં ગરકાવ થઈ ગયો હતો. શ્રી ભાઉજીના પરમ ભક્ત અને અનુયાયી એવા શ્રી વિજયભાઈ કોડવાની (પ્રાયમસ વાલા) અને રમેશભાઈ ગીડવાણી એ જણાવ્યું હતું કે, ભાઉજીના દુઃખદ નિધન થી સિંધી સમાજ ને બહુ જ મોટી અને ક્યારેય પૂરી ન શકાય તેવી ખોટ પડી છે. શ્રી ભાઉજી સિંધી સમાજના એક બહુ મોટા સાચા અને માર્ગદર્શક તેમજ ગુરુ હતા તેમના નિધનથી સિંધી સમાજ જાણે અનાથ બની ગયો છે. સિંધી સમાજને આ કારમો આઘાત સહન કરવાની ઈશ્વર શક્તિ આપે એ જ અને પ્રાર્થના કરીએ છે અને શ્રી ભાઉજી ના આશીર્વાદ હંમેશા તેમના ભક્તો અને સામાન્ય જનતા પર કાયમ રહે તેજ અમારી દિલની પ્રાર્થના છે.

બોલિવૂડ સ્ટાર કાર્તિક આર્યન સોની સ્પોર્ટ્સ નેટવર્કના UEFA યુરો 2024 કેમ્પેન ફિલ્મ માટે આઉટ ઓફ ધ વર્લ્ડ અવતારમાં જોવા મળ્યો

મુંબઈ, 17મે, 2024:UEFA EURO 2024ના પ્રારંભના 30 દિવસ અગાઉ સોની સ્પોર્ટ્સ નેટવર્ક દ્વારા બ્લોકબસ્ટર કેમ્પેન "2024માં બ્રહ્માંડમાં ફૂટબોલનો સૌથી મોટો તેહવાર" લોન્ચ કર્યું. જેમાં ફૂટબોલનો બ્રાન્ડ એમ્બેસેડર અને બોલિવૂડ સ્ટાર કાર્તિક આર્યન જોવા મળશે, આ કેમ્પેનમાં બોલિવૂડ સ્ટાર ડબલ રોલમાં જોવા મળશે જે દર 4 વર્ષે યોજાનારી ટૂર્નામેન્ટ માટેની અપેક્ષઓના સ્તરમાં વધારો કરશે. આ કેમ્પેન મોટા પ્રમાણમાં વિઝ્યુઅલ અફેક્ટ સાથે UEFA EURO 2024ના ફેન્સના ઉત્સાહને સંક્ષિપ્તમાં દર્શાવે છે અને સાથે રજૂ કરે છે કે-"2024માં બ્રહ્માંડમાં ફૂટબોલની સૌથી મોટી ઈવેન્ટ" દર્શકો માટે શું લાવી રહી છે. આ ભારતીય ટેલિવિઝન માટે એક અલગ જ અનુભવ હશે. જેમાં કાર્તિક આર્યન પ્રથમવાર પૃથ્વી બહારના ગ્રહ પર રહેતા એલિયનની ભૂમિકામાં જોવા મળશે. જે પૃથ્વી પરના સેલિબ્રેશનને જોઈ ફૂટબોલના આ તેહવારની ઉજવણીમાં સામેલ થવાનો નિર્ણય લે છે. આ સમયે તે પોતાના માનવીય અવતારને પણ મળે છે. જે પછી બંને અન્ય ફેન્સની જેમ યુરોપિયન ટીમ અને ખેલાડીઓને ટૂર્નામેન્ટમાં જોવા એક સાથે આગળ વધે છે.UEFA EURO 2024નીકેમ્પેનફિલ્મજેમાંકાર્તિકઆર્યનમુખ્યભૂમિકામાંછેતેનેજોવાઅહીંક્લિકકરો : https://youtu.be/QEHhxGryljk ખંડીય ભવ્યતા એવા UEFA EURO2024 એ આ વર્ષે સૌથી વધુ આતુરતાથી જેની રાહ જોવામાં આવી રહી હોય તે ટૂર્નામેન્ટ છે. આ સ્પર્ધામાં ફિફાના ટોપ-10માંથી 8 દેશોની ટીમ જોવા મળશે, જેમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન ઈટાલી, ફ્રાન્સ, પોર્ટુગલ, બેલ્જિયમ, ઈંગ્લેન્ડ, નેધરલેન્ડ્સ અને ક્રોએશિયા ટાઈટલ પર કબજો કરવાની તૈયારી કરી રહ્યા છે. આ ઉપરાંત તેમા માત્ર યુરોપના જ નહીં પણ સમગ્ર વિશ્વના શાનદાર ખેલાડીઓ અને કોચ સામેલ થતા જોશે કારણ કે, આ સમયગાળા દરમિયાન ક્લબ ફૂટબોલનું સ્થાન આંતરરાષ્ટ્રીય ફૂટબોલ લેશે. ફેન્સના ફેવરિટ ખેલાડીઓ ક્રિસ્ટિયાનો રોનાલ્ડો, કાયલિન એમબાપે, હેરી કેન, થોમસ મુલ્લર, વર્ગિલ વાન ડીક, લુકા મોડ્રિક અને અન્ય ખેલાડીઓ પોતાના દેશની ટીમ તરફથી રમતા જોવા મળશે. તેઓ પિચ પર પોતાનો જાદૂ દેખાડશે અને ટ્રોફી રૂપી ઈનામ જીતવા પ્રયાસ કરશે. સોની સ્પોર્ટ્સ નેટવર્કનું આ કેમ્પેન દર્શકો માટે રોમાંચક ફૂટબોલના મહિના સાથે જોડાવવાનો માર્ગ તૈયાર કરશે. આ UEFA EURO...

સુરત ખાતે લાઠી લીલીયા પટેલ સમાજ ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાશે

સુરત ખાતે લાઠી લીલીયા તાલુકા પટેલ સમાજ સોશ્યલ ગ્રુપ...

ભાવનગર શિશુવિહાર ની ૧૯૮૦ થી અવિરત ચાલતી બુધસભા ની ૨૨૮૭ મી બેઠક મળી

ભાવનગર વર્ષ ૧૯૮૦ થી અવિરત ચાલતી કાવ્યપ્રવૃત્તિ  શિશુવિહાર બુધસભા...

ચારધામ મંદિર પરિસરના 200 મીટરની આસપાસ મોબાઈલ ફોન પર પ્રતિબંધ

ઉત્તરાખંડમાં ચારધામ યાત્રામાં ભારે ભીડને કારણે 5 દિવસમાં જ...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here