Friday, May 17, 2024
Homenationalવારાણસીમાં PM નરેન્દ્ર મોદીનો બીજો દિવસ, BJP મુખ્યમંત્રીઓ સાથે કરશે બેઠક, મહામંદિરધામની...

વારાણસીમાં PM નરેન્દ્ર મોદીનો બીજો દિવસ, BJP મુખ્યમંત્રીઓ સાથે કરશે બેઠક, મહામંદિરધામની મુલાકાત લેશે

Date:

spot_img

Related stories

ચારધામ મંદિર પરિસરના 200 મીટરની આસપાસ મોબાઈલ ફોન પર પ્રતિબંધ

ઉત્તરાખંડમાં ચારધામ યાત્રામાં ભારે ભીડને કારણે 5 દિવસમાં જ...

‘જો આવું નહીં થાય તો આપણે ફરી ગુલામ બની જઈશું…’ કોંગ્રેસ અધ્યક્ષ ખડગેએ કેમ આવું કહેવું પડ્યું

ઉત્તર પ્રદેશની રાજધાની લખનૌમાં બુધવારે ઈન્ડિયા અલાયન્સની સંયુક્ત પ્રેસ...

કર્નલ વૈભવ કાલેએ ઈઝરાયલના હુમલામાં ગુમાવ્યો જીવ, UNએ કહ્યું- ‘અમે પહેલા જ ચેતવણી આપી હતી’

ગાઝાના દક્ષિણી વિસ્તારમાં ઈઝરાયલના હુમલામાં ભારતના પૂર્વ સૈનિક કર્નલ...

હવે પાણીની અંદર પણ કમાન્ડો ઓપરેશન કરશે Arowana, દેશની પહેલી મિડગેટ સબમરિન તૈયાર

ભારતની પહેલી મિડગેટ સબમરિન (Midget Submarine) બનીને તૈયાર થઈ...
spot_img

નવી દિલ્હી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ની બે દિવસીય વારાણસી યાત્રના બીજા દિવસે મંગળવારે ઘણા મહત્વપૂર્ણ કાર્યક્રમો પ્રસ્તાવિત છે. વડાપ્રધાન આજે સવારે 9 વાગ્યે અનેક ભાજપ શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથેબેઠક કરશે. આ બેઠકમાં 9 ઉપમુખ્યમંત્રીઓ પણ હાજરી આપી શકે છે. તેને 2022ની વિધાનસભા ચૂંટણીપહેલાની મહત્વની બેઠક માનવામાં આવી રહી છે. ત્યારબાદ વડાપ્રધાન સાંજે સર્વવેદ મંદિરના સદગુરુ સફલદેવ વિહંગમ યોગ સંસ્થાનની 98મી વર્ષગાંઠની ઉજવણીમાં ભાગ લેશે. પીએમ મોદી વિહંગમ યોગના મોટા કેન્દ્ર સર્વવેદ મહામંદિર ધામની પણ મુલાકાત લઈ શકે છે સાંજે વડાપ્રધાન લગભગ 5 વાગ્યે વારાણસી એરપોર્ટ થી નવી દિલ્હી માટે રવાના થશે. આ પહેલા સોમવારે કાશી વિશ્વનાથ ધામ પ્રોજેક્ટ દેશવાસીઓને સમર્પિત કર્યા બાદ પીએમ મોદીએ કહ્યું- દેશવાસી ઈશ્વરનું સ્વરૂપ છે અને દરેક ભારતીય ઈશ્વરનો અંશ છે તેથી હું તમારી પાસેથી કંઈક માંગુ છું. હું મારા માટે નહીં પણ દેશ માટે તમારી પાસેથી 3 સંકલ્પો માગું છું છે. તે 3 સંકલ્પો છે સ્વચ્છતા, સર્જન અને આત્મનિર્ભર ભારત માટે નિરંતર પ્રયાસ. 3 સંકલ્પો વિશે વિસ્તારથી જણાવતાં પીએમ મોદીએ પહેલા સંકલ્પ સ્વચ્છતાને જીવનશૈલીનો એક મહત્વપૂર્ણ ભાગ ગણાવ્યો અને લોકોને તેને અપનાવવા કહ્યું, ખાસ કરીને નમામિ ગંગે પ્રોજેક્ટમાં ભાગેદારી નિભાવવાની અપીલ કરી. તો બીજા સંકલ્પ સર્જન અંગે પીએમ મોદીએ કહ્યું કે ગુલામીના લાંબા ગાળાએ ભારતીયોને એવી રીતે તોડી નાખ્યા છે કે તેઓ સર્જનમાંથી વિશ્વાસ ગુમાવી ચૂક્યા છ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું- હજારો વર્ષ જૂની કાશીમાંથી આજે હું દરેક દેશવાસીને આહ્વાન કરું છું કે તેઓ સંપૂર્ણ આત્મવિશ્વાસથી સર્જન કરે, નવા વિચારો સાથે આગળ વધ પીએમ મોદીએ કહ્યું કે ત્રીજો અને અંતિમ સંકલ્પ આજે આપણે જે લેવાનો છે તે આત્મનિર્ભર ભારત માટે આપણા પ્રયાસોને વધારવાનો છે. તેમણે કહ્યું કે દેશ આઝાદીના 75માં વર્ષમાં છે અને આ આઝાદીનો અમૃતકાળ છે. જ્યારે ભારત આઝાદીના 100 વર્ષની ઉજવણી કરશે, ત્યારે ભારત કેવું હશે તેના પર આપણે હવેથી કામ કરવાની જરૂર છે.સોમવારે કાશીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની હાજરી વચ્ચે ટ્વિટર પર #KashiVishwanathDham ચર્ચામાં રહ્યું હતું. આ હેશટેગ 2 લાખ 16 હજારથી વધુ થયા છે. આ હેશટેગ આખી દુનિયામાં બીજા નંબરે ટ્રેન્ડ થયો. દેશમાં આખો દિવસ #KashiVishwanathDham ટેગ ટોપ ટ્રેન્ડ રહ્યો હતો. મળતી માહિતી મુજબ આ હેશટેગ લગભગ સાડા ત્રણ કરોડ લોકો સુધી પહોંચ્યું છે.

ચારધામ મંદિર પરિસરના 200 મીટરની આસપાસ મોબાઈલ ફોન પર પ્રતિબંધ

ઉત્તરાખંડમાં ચારધામ યાત્રામાં ભારે ભીડને કારણે 5 દિવસમાં જ...

‘જો આવું નહીં થાય તો આપણે ફરી ગુલામ બની જઈશું…’ કોંગ્રેસ અધ્યક્ષ ખડગેએ કેમ આવું કહેવું પડ્યું

ઉત્તર પ્રદેશની રાજધાની લખનૌમાં બુધવારે ઈન્ડિયા અલાયન્સની સંયુક્ત પ્રેસ...

કર્નલ વૈભવ કાલેએ ઈઝરાયલના હુમલામાં ગુમાવ્યો જીવ, UNએ કહ્યું- ‘અમે પહેલા જ ચેતવણી આપી હતી’

ગાઝાના દક્ષિણી વિસ્તારમાં ઈઝરાયલના હુમલામાં ભારતના પૂર્વ સૈનિક કર્નલ...

હવે પાણીની અંદર પણ કમાન્ડો ઓપરેશન કરશે Arowana, દેશની પહેલી મિડગેટ સબમરિન તૈયાર

ભારતની પહેલી મિડગેટ સબમરિન (Midget Submarine) બનીને તૈયાર થઈ...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here