Friday, May 17, 2024
Homenationalસિક્કીમ : સેનાના ટ્રક અક્સમાતમાં 16 જવાનો શહીદ, સેના-PM મોદીએ શોક વ્યક્ત...

સિક્કીમ : સેનાના ટ્રક અક્સમાતમાં 16 જવાનો શહીદ, સેના-PM મોદીએ શોક વ્યક્ત કર્યો

Date:

spot_img

Related stories

ચારધામ મંદિર પરિસરના 200 મીટરની આસપાસ મોબાઈલ ફોન પર પ્રતિબંધ

ઉત્તરાખંડમાં ચારધામ યાત્રામાં ભારે ભીડને કારણે 5 દિવસમાં જ...

‘જો આવું નહીં થાય તો આપણે ફરી ગુલામ બની જઈશું…’ કોંગ્રેસ અધ્યક્ષ ખડગેએ કેમ આવું કહેવું પડ્યું

ઉત્તર પ્રદેશની રાજધાની લખનૌમાં બુધવારે ઈન્ડિયા અલાયન્સની સંયુક્ત પ્રેસ...

કર્નલ વૈભવ કાલેએ ઈઝરાયલના હુમલામાં ગુમાવ્યો જીવ, UNએ કહ્યું- ‘અમે પહેલા જ ચેતવણી આપી હતી’

ગાઝાના દક્ષિણી વિસ્તારમાં ઈઝરાયલના હુમલામાં ભારતના પૂર્વ સૈનિક કર્નલ...

હવે પાણીની અંદર પણ કમાન્ડો ઓપરેશન કરશે Arowana, દેશની પહેલી મિડગેટ સબમરિન તૈયાર

ભારતની પહેલી મિડગેટ સબમરિન (Midget Submarine) બનીને તૈયાર થઈ...
spot_img

ગંગટોક : ઉત્તર સિક્કીમથી એક મોટી દુર્ઘટના સામે આવી છે, જેમાં 16 જવાનો શહિદ થયા હોવાના અહેવાલો સામે આવ્યા છે. સિક્કીમના ઝેમામાં સેનાની બસ જઈ રહી હતી, ત્યારે અચાનક ટ્રક ઉંડી ખીણમાં ખાબકી હતી, જેમાં 16 જવાનો શહિદ થયા હોવાના અહેવાલો સાંપડ્યા છે. તો ચાર જવાનો ઈજાગ્રસ્ત થયા છે. દરમિયાન આ ઘટનાને પગલે બચાવ કાર્ય પુરજોશમાં ચાલી રહ્યું છે. સિક્કિમમાં એક મોટો માર્ગ અકસ્માત થયો છે. અહીં શુક્રવારે એક બસ ઊંડી ખીણમાં પડી જતાં 16 સેનાના જવાનો શહિદ થયા છે. ઘટના સ્થળે ભીડ એકઠી થઈ ગઈ છે. ઘટનાસ્થળે રાહત અને બચાવ કાર્ય પુરજોશમાં શરૂ કરી દેવાયું છે. આ અકસ્માત ઉત્તર સિક્કિમના લાચેનથી 15 કિમી દૂર ગેમા વિસ્તારમાં સર્જાયો હતો.સવારે સેનાના ત્રણ વાહનો સૈનિકોને લઈ જઈ રહ્યા હતા. આ કાફલો ચટનથી થંગુ તરફ જઈ રહ્યા હતા. ગેમા જવાના રસ્તે વળાંક પર એક વાહનના ચાલકે અચાનક વાહન પર કાબુ ગુમાવી દીધો હતો અને વાહન નીચે ખીણમાં ખાબક્યું હતું. માહિતી મળતા જ સ્થાનિક પોલીસ અધિકારીઓ પહોંચી ગઈ હતી અને બચાવ કામગીરી પુરજોશમાં શરૂ કરી છે. કહેવાય છે કે 4 ઘાયલ જવાનોને હેલિકોપ્ટર દ્વારા બહાર કાઢવામાં આવ્યા છે. જ્યારે 3 જુનિયર કમિશન્ડ ઓફિસર અને 13 સૈનિકો અકસ્માતમાં શહિદ થયા છે.ભારતીય સેનાએ આ દુર્ઘટના પર નિવેદન જાહેર કરીને જણાવ્યું કે, તે આ દુઃખની ઘડીમાં શોકગ્રસ્ત પરિવારોની સાથે છે. પરિવારને દરેક શક્ય મદદ કરાશે. રક્ષા મંત્રી રાજનાથ સિંહે પણ ટ્વિટ કરીને શોક વ્યક્ત કર્યો છે. તેમણે જણાવ્યું કે, હું ઉત્તર સિક્કિમમાં એક માર્ગ અકસ્માતમાં ભારતીય સેનાના જવાનો શહિદ થતા તેઓ ખૂબ જ દુઃખી છું. તેમની સેવા અને પ્રતિબદ્ધતા માટે રાષ્ટ્ર તેમનો હૃદયપૂર્વક આભાર માને છે. શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે મારી સંવેદના. જે લોકો ઈજાગ્રસ્ત થયા છે તેઓ ઝડપથી સાજા થાય તેવી પ્રાર્થના…

ચારધામ મંદિર પરિસરના 200 મીટરની આસપાસ મોબાઈલ ફોન પર પ્રતિબંધ

ઉત્તરાખંડમાં ચારધામ યાત્રામાં ભારે ભીડને કારણે 5 દિવસમાં જ...

‘જો આવું નહીં થાય તો આપણે ફરી ગુલામ બની જઈશું…’ કોંગ્રેસ અધ્યક્ષ ખડગેએ કેમ આવું કહેવું પડ્યું

ઉત્તર પ્રદેશની રાજધાની લખનૌમાં બુધવારે ઈન્ડિયા અલાયન્સની સંયુક્ત પ્રેસ...

કર્નલ વૈભવ કાલેએ ઈઝરાયલના હુમલામાં ગુમાવ્યો જીવ, UNએ કહ્યું- ‘અમે પહેલા જ ચેતવણી આપી હતી’

ગાઝાના દક્ષિણી વિસ્તારમાં ઈઝરાયલના હુમલામાં ભારતના પૂર્વ સૈનિક કર્નલ...

હવે પાણીની અંદર પણ કમાન્ડો ઓપરેશન કરશે Arowana, દેશની પહેલી મિડગેટ સબમરિન તૈયાર

ભારતની પહેલી મિડગેટ સબમરિન (Midget Submarine) બનીને તૈયાર થઈ...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here