Saturday, May 18, 2024
Homenationalબિહારમાં 15 મે સુધી ટોટલ લોકડાઉન:કોરોનાની ચેઈન તોડવા દેશના સાતમાં રાજ્યમાં પણ...

બિહારમાં 15 મે સુધી ટોટલ લોકડાઉન:કોરોનાની ચેઈન તોડવા દેશના સાતમાં રાજ્યમાં પણ લોકડાઉન લાગુ

Date:

spot_img

Related stories

ભાવનગર શિશુવિહાર ની ૧૯૮૦ થી અવિરત ચાલતી બુધસભા ની ૨૨૮૭ મી બેઠક મળી

ભાવનગર વર્ષ ૧૯૮૦ થી અવિરત ચાલતી કાવ્યપ્રવૃત્તિ  શિશુવિહાર બુધસભા...

ચારધામ મંદિર પરિસરના 200 મીટરની આસપાસ મોબાઈલ ફોન પર પ્રતિબંધ

ઉત્તરાખંડમાં ચારધામ યાત્રામાં ભારે ભીડને કારણે 5 દિવસમાં જ...

‘જો આવું નહીં થાય તો આપણે ફરી ગુલામ બની જઈશું…’ કોંગ્રેસ અધ્યક્ષ ખડગેએ કેમ આવું કહેવું પડ્યું

ઉત્તર પ્રદેશની રાજધાની લખનૌમાં બુધવારે ઈન્ડિયા અલાયન્સની સંયુક્ત પ્રેસ...
spot_img

સપ્તાહમાં 15% કેસ અને 41% મોત વધ્યા, પહેલીવાર એક દિવસમાં રેકોર્ડ 3.18 લોકો સાજા થયા

કોરોના વિશે દેશમાં બે સારા અને બે ખરાબ સમાચાર છે. ખરાબ સમાચાર એ છે કે, દેશમાં કોરોના દર્દીઓનો આંકડો 2 કરોડને પાર થઈ ગયો છે. એટલે કે અત્યાર સુધીમાં 2 કરોડ 2 લાખ 75 હજારથી વધારે લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે.હવે પહેલી સારી ખબર એ છે કે ભારતમાં એક દિવસમાં રેકોર્ડ 3.18 લાખ લોકો રિકવર થયા છે. અત્યાર સુધી દુનિયામાં એક સાથે આટલા દર્દીઓ સાજા નથી થયા. બીજી સારી ખબર એ છે કે, સોમવારે સતત ત્રીજા દિવસે નવા દર્દીઓની સંખ્યામાં ઘટાડો નોંધાયો છે. છેલ્લાં 24 કલાકમાં દેશમાં 3 લાખ 55 હજાર 680 લોકો સંક્રમિત થયા છે. 30 એપ્રિલ પછી નવા દર્દીઓની સંખ્યામાં સતત ઘટાડો નોંધવામાં આવ્યો છે.30 એપ્રિલે એક દિવસમાં રેકોર્ડ 4.02 લાખ નવા દર્દીઓ નોંધાયા છે. ત્યારપછી શનિવારે 3.92 લાખ અને રવિવારે 3.70 લાખ કેસ મળ્યા હતા. ગયા સપ્તાહની સરખામણીએ આ સપ્તાહની સરખામણી કરીએ તો આ દરમિયાન 15 ટકા કેસ વધારે નોંધાયા છે. સોમવારે દેશમાં 3436 લોકોના કોરોના સંક્રમણના કારણે મોત થયા હતા. આ સતત છઠ્ઠો દિવસ હતો જેમાં 3 હજારથી વધારે લોકોએ જીવ ગુમાવ્યો હતો. આખા સપ્તાહના આંકડા પર નજર નાખીએ તો આ સપ્તાહમાં મોતની સંખ્યામાં 41 ટકાનો વધારો નોંધવામાં આવ્યો છે. આ દરમિયાન 24 હજાર 503 દર્દીઓના મોત થયા છે. સ્થિતિ એવી છે કે, દેશના પાટનગર દિલ્હીમાં દર 3 મિનિટે એક વ્યક્તિનું મોત થાય છે. અહીં સોમવારે 448 લોકોના મોત થયા છે. દુનિયાના ટોપ-10 દેશોની સરખામણી કરીએ તો ભારત સિવાય તુર્કી, આર્જેન્ટિના, જર્મની અને કોલંબિયામાં જ મોતના આંકડામાં વધારો જોવા મળ્યો છે. તે સિવાય અમેરિકા, બ્રાઝીલ, ફ્રાન્સ, ઈરાન જેવા અમુક દેશોમાં મોતના આંકડામાં ઘટાડો જોવા મળી રહ્યો છે.

ભાવનગર શિશુવિહાર ની ૧૯૮૦ થી અવિરત ચાલતી બુધસભા ની ૨૨૮૭ મી બેઠક મળી

ભાવનગર વર્ષ ૧૯૮૦ થી અવિરત ચાલતી કાવ્યપ્રવૃત્તિ  શિશુવિહાર બુધસભા...

ચારધામ મંદિર પરિસરના 200 મીટરની આસપાસ મોબાઈલ ફોન પર પ્રતિબંધ

ઉત્તરાખંડમાં ચારધામ યાત્રામાં ભારે ભીડને કારણે 5 દિવસમાં જ...

‘જો આવું નહીં થાય તો આપણે ફરી ગુલામ બની જઈશું…’ કોંગ્રેસ અધ્યક્ષ ખડગેએ કેમ આવું કહેવું પડ્યું

ઉત્તર પ્રદેશની રાજધાની લખનૌમાં બુધવારે ઈન્ડિયા અલાયન્સની સંયુક્ત પ્રેસ...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here