Friday, May 17, 2024
HomeGujaratસુરત સહીત રાજ્યના બે એરપોર્ટનું ખાનગીકરણ થશે , સુવિધામાં વધારો

સુરત સહીત રાજ્યના બે એરપોર્ટનું ખાનગીકરણ થશે , સુવિધામાં વધારો

Date:

spot_img

Related stories

ચારધામ મંદિર પરિસરના 200 મીટરની આસપાસ મોબાઈલ ફોન પર પ્રતિબંધ

ઉત્તરાખંડમાં ચારધામ યાત્રામાં ભારે ભીડને કારણે 5 દિવસમાં જ...

‘જો આવું નહીં થાય તો આપણે ફરી ગુલામ બની જઈશું…’ કોંગ્રેસ અધ્યક્ષ ખડગેએ કેમ આવું કહેવું પડ્યું

ઉત્તર પ્રદેશની રાજધાની લખનૌમાં બુધવારે ઈન્ડિયા અલાયન્સની સંયુક્ત પ્રેસ...

કર્નલ વૈભવ કાલેએ ઈઝરાયલના હુમલામાં ગુમાવ્યો જીવ, UNએ કહ્યું- ‘અમે પહેલા જ ચેતવણી આપી હતી’

ગાઝાના દક્ષિણી વિસ્તારમાં ઈઝરાયલના હુમલામાં ભારતના પૂર્વ સૈનિક કર્નલ...

હવે પાણીની અંદર પણ કમાન્ડો ઓપરેશન કરશે Arowana, દેશની પહેલી મિડગેટ સબમરિન તૈયાર

ભારતની પહેલી મિડગેટ સબમરિન (Midget Submarine) બનીને તૈયાર થઈ...
spot_img

દેશના એરપોર્ટને ખાનગી કંપનીઓને સોંપવાની કેન્દ્ર સરકારની કવાયતની અસર આવનારા દિવસોમાં સુરતમાં પણ જોવા મળશે. વર્ષ 2025 સુધી દેશના 25 જેટલા એરપોર્ટને ખાનગી કંપનીઓને સોંપવાની તૈયારીઓ કરવામાં આવી રહી છે. આ યાદીમાં સુરત સહીત બે એરપોર્ટ ગુજરાતના છે. જેમાં સુરત શહેરને વર્ષ 2023માં તો વડોદરા એરપોર્ટને વર્ષ 2024ની પ્લાનિંગમાં રાખવામાં આવ્યું છે. સુરત અને વડોદરા એરપોર્ટનું ખાનગીકરણ થવાથી મુસાફરોને મળતી સુવિધામાં પણ વધારો થશે એ નક્કી છે.સુરત સહીત બીજા બે એરપોર્ટ ખાનગી કંપની પાસે જવાથી મુસાફરોની સુવિધામાં વધારો થશે. એટલું જ નહીં ડોમેસ્ટિક તેમજ ઇન્ટરનૅશનલ કનેક્ટીવીટીના નવા વિકલ્પો ખૂલવાની સંભાવના છે. દુબઈની કનેક્ટિવિટી વધારવાની માગ પણ પૂર્ણ થઇ શકે છે. એરપોર્ટ લાઉન્જ અને બીજી સુવિધાઓના દરમાં વધારો થવાની પણ સંભાવના છે. જોકે સાથે સાથે ભાડાના દરમાં પણ વધારો થઇ શકે છે.કેન્દ્ર સરકાર છેલ્લા ઘણા સમયથી એરપોર્ટના ખાનગીકરણ માટે પ્રયાસો કરતી આવી છે. જેના પર હવે અમલીકરણ થવા જઈ રહ્યું છે. જેને લઈને દેશભરના 25 એરપોર્ટની પસંદગી કરવામાં આવી છે. જેને ચાર તબક્કામાં ખાનગી કંપનીઓને સોમવામાં આવશે.પહેલા ફેઝમાં વર્ષ 2022 માં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સંસદીય વિસ્તાર વારાણસી સહીત છ એરપોર્ટનું ખાનગીકરણ કરવામાં આવશે. બીજા ફેઝમાં સુરત સહીત આઠ, ત્રીજા ફેઝમાં વડોદરા સહીત છ અને અંતિમ ફેઝમાં રાજસ્થાનના ઉદયપુર સહીત પાંચ એરપોર્ટનું ખાનગીકરણ કરવાનું પ્લાનિંગ છે.સુરત એરપોર્ટ પર પાર્કિંગ પણ વધારશે. કારણ કે એરપોર્ટ પર રાત્રે પાર્કિંગની સમસ્યા ઉભી થઇ છે. જેના કારણે ડોમેસ્ટિક અને આંતરરાષ્ટ્રીય ફ્લાઈટમાં વધારો થશે. આ ઉપરાંત સુરત એરપોર્ટને સીએસઆઇએફને પણ જલ્દી તૈનાત કરવામાં આવશે.કેન્દ્રના આ નિર્ણયથી હવાઈ મુસાફરી કરતા લોકો ખુબ ખુશ છે. તેમનું માનવું છે કે ખાનગી કંપનીઓ પાસે એરપોર્ટ જવાથી મુસાફરોની સુવિધાઓ વધવાની સાથે સરકારી કામકાજમાં ઢીલાશની સમસ્યા પણ હળવી થશે અને તેઓને વધુ સારી સગવડ મળશે. જોકે તેના માટે યુઝર ચાર્જમાં પણ બદલાવ આવશે. મુસાફરોનું માનવું છે કે જો સુવિધા સારી મળશે તો તેના બદલામાં આવા દરમાં થતા વધારો કોઈ મહત્વ નથી રાખતું.

ચારધામ મંદિર પરિસરના 200 મીટરની આસપાસ મોબાઈલ ફોન પર પ્રતિબંધ

ઉત્તરાખંડમાં ચારધામ યાત્રામાં ભારે ભીડને કારણે 5 દિવસમાં જ...

‘જો આવું નહીં થાય તો આપણે ફરી ગુલામ બની જઈશું…’ કોંગ્રેસ અધ્યક્ષ ખડગેએ કેમ આવું કહેવું પડ્યું

ઉત્તર પ્રદેશની રાજધાની લખનૌમાં બુધવારે ઈન્ડિયા અલાયન્સની સંયુક્ત પ્રેસ...

કર્નલ વૈભવ કાલેએ ઈઝરાયલના હુમલામાં ગુમાવ્યો જીવ, UNએ કહ્યું- ‘અમે પહેલા જ ચેતવણી આપી હતી’

ગાઝાના દક્ષિણી વિસ્તારમાં ઈઝરાયલના હુમલામાં ભારતના પૂર્વ સૈનિક કર્નલ...

હવે પાણીની અંદર પણ કમાન્ડો ઓપરેશન કરશે Arowana, દેશની પહેલી મિડગેટ સબમરિન તૈયાર

ભારતની પહેલી મિડગેટ સબમરિન (Midget Submarine) બનીને તૈયાર થઈ...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here