Monday, July 8, 2024
HomeSportsCricketટીમ ઈન્ડિયાને લેવા BCCIએ સ્પેશિયલ વિમાન મોકલ્યું, બાર્બાડોસના કર્મચારીઓએ કહ્યું- આટલું મોટું...

ટીમ ઈન્ડિયાને લેવા BCCIએ સ્પેશિયલ વિમાન મોકલ્યું, બાર્બાડોસના કર્મચારીઓએ કહ્યું- આટલું મોટું વિમાન પહેલીવાર જોયું

Date:

spot_img

Related stories

મિશેલિન ગાઈડ દુબઈ 2024 એ અમીરાતના કલીનરી હોટસ્પોટ તરીકે...

● મિશેલિન ગાઈડ દુબઈની ત્રીજી આવૃત્તિ વન એન્ડ ઓન્લી...

અનિતા ભાભીનું બસ દુર્ઘટનામાં ઓચિંતા મૃત્યુ?

એન્ડટીવી પર ભાભીજી ઘર પર હૈની નવી વાર્તામાં આંચકાજનક...

અમદાવાદથી થાઈલેન્ડનો પ્રવાસ કરવા માગતા લોકો માટે ગુડ ન્યૂઝ

થાઈલેન્ડ જવું થશે સસ્તું અમદાવાદથી થાઈલેન્ડનો પ્રવાસ કરવા માગતા લોકો...

જીત બાદ માટી કેમ ખાધી? તે એક એવી ક્ષણ...

ભારતીય ટીમ ટ્રોફી જીત્યા બાદ બાર્બાડોસથી દિલ્હી પહોંચી હતી....

અમદાવાદમાં સૌથી સસ્તા ઘર મળી રહ્યા હોવાનો દાવો ,...

તમામ આધુનિક સુવિધાઓથી સજ્જ અને શાંતિમય જીવન પસાર કરવા...

અભિનયની દુનિયામાં પગ મૂકનાર કલાકારે કિંગ ખાન સાથે કરી...

ડાન્સ ઈન્ડિયા ડાન્સ રિયાલિટી શોથી ડેબ્યૂ કરનાર રાઘવ જુયાલ...
spot_img

ભારતીય ટીમને બાર્બાડોસથી લાવવા માટે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ એટલે કે BCCI દ્વારા એક સ્પેશિયલ વિમાનની વ્યવસ્થા કરવામાં આવી છે. તેથી હવે ટૂંક સમયમાં ભારતીય ટીમ દેશમાં આવી જશે. એર ઈન્ડિયાનું એક વિશાળ વિમાન બાર્બાડોસમાં લેન્ડ થઈ ગયું છે, જેને જોઈને કર્મચારીઓ પણ આશ્ચર્યચકિત થઈ ગયા છે, કારણ કે બાર્બાડોસનું એરપોર્ટ બહુ નાનું છે, કારણ કે તે આખા ટાપુ પર ડોમેસ્ટિક સાઇઝની ફ્લાઈટ્સ ઉડે છે. પહેલીવાર બોઇંગ 777 બાર્બાડોસના ગ્રાન્ટલી એડમ્સ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર લેન્ડ થયું છે. ભારતીય ટીમને આ ફ્લાઈટમાં ભારતમાં લાવવામાં આવશે.

ભારતીય ટીમ સાથે 22 પત્રકારોને આવવાની પણ પુષ્ટિ કરાઈ

માહિતી પ્રમાણે આ વિમાન બાર્બાડોસથી ભારતીય ટીમને લઈને ભારત આવશે. આ સિવાય BCCI બાર્બાડોસમાં ફસાયેલા ભારતીય પત્રકારોને પણ આ વિમાન દ્વારા ભારત લાવવાની તૈયારી કરી રહ્યું છે. BCCI સેક્રેટરી જય શાહે એક નિવેદન આપતા કહ્યું હતું કે, હું કોશિશ કરી રહ્યો છું કે, ભારતીય મીડિયાના લોકો પણ ટીમ સાથે પ્રવાસ કરી શકે. ભારતીય ટીમ સાથે 22 પત્રકારોને આવવાની પણ પુષ્ટિ કરવામાં આવી છે.

આ પણ વાંચો:- ટીમ ઈન્ડિયા માટે રમવાની ઉત્સુકતામાં પાસપોર્ટ-મોબાઈલ ભૂલ્યો આ તોફાની બેટર, BCCIએ વીડિયો શેર કર્યો

ભારતીય ખેલાડીઓ ગુરુવારે સવારે દિલ્હીમાં ઉતરી શકે છે

હકીકતમાં T-20 વર્લ્ડ કપ 2024 નું કવરેજ કરવા ગયેલા પત્રકારોને એરપોર્ટ કર્મચારીઓ જણાવ્યું હતું કે, પહેલીવાર તેમણે આ એરપોર્ટ પર આટલું મોટું પ્લેન લેન્ડ થતું જોયું છે. BCCI એ AIC24WC નિશાન સાથે પ્લેનની વ્યવસ્થા કરી હતી. જોકે, કેટલાક લોકોએ દાવો કર્યો છે કે, આ ફ્લાઈટ ન્યૂયોર્કથી દિલ્હી આવવાની હતી. જે કેન્શલ કરવામાં આવી હતી અને તેને બાર્બાડોસ મોકલવામાં આવ્યું હતું. જોકે, ખરેખર સાચી હકીકત શું છે, તે ટૂંક સમયમાં જ બહાર આવશે. પરંતુ સુત્રોના જણાવ્યા પ્રમાણે ભારતીય ખેલાડીઓ ગુરુવારે સવારે દિલ્હીમાં ઉતરી શકે છે અને ત્યારબાદ મુંબઈમાં રોડ શો પણ કરવામાં આવી શકે છે.

મિશેલિન ગાઈડ દુબઈ 2024 એ અમીરાતના કલીનરી હોટસ્પોટ તરીકે...

● મિશેલિન ગાઈડ દુબઈની ત્રીજી આવૃત્તિ વન એન્ડ ઓન્લી...

અનિતા ભાભીનું બસ દુર્ઘટનામાં ઓચિંતા મૃત્યુ?

એન્ડટીવી પર ભાભીજી ઘર પર હૈની નવી વાર્તામાં આંચકાજનક...

અમદાવાદથી થાઈલેન્ડનો પ્રવાસ કરવા માગતા લોકો માટે ગુડ ન્યૂઝ

થાઈલેન્ડ જવું થશે સસ્તું અમદાવાદથી થાઈલેન્ડનો પ્રવાસ કરવા માગતા લોકો...

જીત બાદ માટી કેમ ખાધી? તે એક એવી ક્ષણ...

ભારતીય ટીમ ટ્રોફી જીત્યા બાદ બાર્બાડોસથી દિલ્હી પહોંચી હતી....

અમદાવાદમાં સૌથી સસ્તા ઘર મળી રહ્યા હોવાનો દાવો ,...

તમામ આધુનિક સુવિધાઓથી સજ્જ અને શાંતિમય જીવન પસાર કરવા...

અભિનયની દુનિયામાં પગ મૂકનાર કલાકારે કિંગ ખાન સાથે કરી...

ડાન્સ ઈન્ડિયા ડાન્સ રિયાલિટી શોથી ડેબ્યૂ કરનાર રાઘવ જુયાલ...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here