Friday, July 5, 2024
HomeGujaratAhmedabadઅમદાવાદમાં કોંગ્રેસ-ભાજપ કાર્યકરો વચ્ચે ભારે બબાલ, પોલીસે વાળ-કોલર પકડી કરી અટકાયત

અમદાવાદમાં કોંગ્રેસ-ભાજપ કાર્યકરો વચ્ચે ભારે બબાલ, પોલીસે વાળ-કોલર પકડી કરી અટકાયત

Date:

spot_img

Related stories

ભગવાન જગન્નાથના મોસાળમાં રસોડાં માં જૂની પરંપરાથી ભોજન પીરસાશે

જગતના નાથની નગરચર્યાને હવે ફક્ત ગણતરીની કલાકો જ બાકી...

પ્રાથમિક શાળાઓમાં શિક્ષકોની ખાલી જગ્યાઓની માહિતી નિયામક દ્વારા મંગાઈ...

શિક્ષકોની કાયમી ભરતીના મુદ્દે સર્જાયેલી વિકટ પરિસ્થિતિને પામીને સરકારે...

જયેશ બોઘરા બન્યા ફરી રાજકોટ બેડી માર્કેટિંગ યાર્ડના ચેરમેન

રાજકોટ માર્કેટયાર્ડની ચૂંટણીને લઇને સૌની નજર મંડાયેલી હતી. આજે...

એમસીએક્સ પર ક્રૂડ તેલના વાયદાના ભાવમાં રૂ.36ની નરમાઈ

સોનાનો વાયદો રૂ.150 અને ચાંદીનો વાયદો રૂ.585 વધ્યોઃ બિનલોહ...

સુઝુકીની નેક્સ્ટ ભારત વેન્ચર્સે ભારતના આંત્રપ્રિન્યોર્સને સશક્ત બનાવવા માટે...

• સામાજિક અસર કરતી રોકાણ કંપની પ્રભાવશાળી આંત્રપ્રિન્યોર્સના સમુદાયને...

મુંબઈ પહોંચ્યા ખેલાડીઓ, ભારે ભીડ વચ્ચે ફસાઈ બસ

ટી 20 વર્લ્ડકપ જીત્યાં બાદ આજે ભારતીય ક્રિકેટ ટીમ...
spot_img

BJP-Congress workers stoning: સોમવારે સદનમાં રાહુલ ગાંધીના નિવેદન બાદ મંગળવારે વહેલી સવારે 4 વાગ્યા સુમારે પાલડી સ્થિત કાર્યલાય ખાતે તોડફોડ કરવામાં આવી હતી. જેને લઇને ફરી એકવાર આજે સાંજે ભાજપ અને કોંગ્રેસના કાર્યકારો આમને સામને આવી ગયા હતા અને એકબીજા પર પથ્થરમારો શરૂ કર્યો હતો. આ પથ્થરમારા દરમિયાન પોલીસ મૂકપ્રેક્ષક બની ચૂપચાપ બેસી રહી હતી. આ પથ્થરમારામાં એક પોલીસકર્મીને પણ ઇજા પહોંચી હતી. ઘાયલ પોલીસકર્મીને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. હાલમાં મળી રહેલી માહિતી અનુસાર અનેક કાર્યકારોની અટકાયત કરી હોવાનું જાણવા મળ્યું છે.
કેવી રીતે થઇ શરૂઆત

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ સોમવારે (પહેલી જુલાઈ) લોકસભામાં રાષ્ટ્રપતિના અભિભાષણ પર ચર્ચા દરમિયાન હિંદુ પર આપેલા નિવેદનનો વિરોધ થઈ રહ્યો છે. દિલ્હીમાં ભાજપના અનેક નેતાઓએ તેમના નિવેદનની નિંદા કરી હતી અને રાહુલ ગાંધીની માફી માંગવાની માંગ કરી હતી. ત્યારે મંગળવારે (બીજી જુલાઈ) અમદાવાદના કોંગ્રેસ કાર્યાલયમાં વીએચપી અને બજરંગદળના કાર્યકર્તાઓ દ્વારા વિરોધ દર્શાવવામાં આવ્યો છે. અમદાવાદમાં કોંગ્રેસ કાર્યાલયમાં 20થી 25 લોકોના ટોળાએ તોડફોડ કરી હતી. આ સાથે ટોળા દ્વારા રાહુલ ગાંધીના પોસ્ટર પર કાળી શાહી લગાવી હતી.

ગુજરાત કોંગ્રેસે ભાજપ પર સાધ્યું નિશાન

કોંગ્રેસ નેતા અમિત ચાવડાએ જણાવ્યું હતું કે, ‘રાહુલ ગાંધીએ ભાગલા પડવાની નીતિને ખુલ્લી પાડી છે અને સાચો હિંદુ કોઈને ડરાવતા કે ધમકાવતા નથી. પરંતુ ભાજપના લોકો હિંસા ફેલાવે છે, સમાજને ઉશ્કેરવાનો પ્રયત્ન કરી રહ્યા છે. રાહુલ ગાંધીના લોકસભાના ભાષણનો અમુક જ ભાગ બતાવી રહ્યા છે અને ડરી જઈને કોંગ્રેસ ભવન પર હુમલો કર્યો છે.’

જાણો શું છે મામલો

સંસદ સત્રના છઠ્ઠા દિવસે લોકસભા અને રાજ્યસભા બંને સદનોમાં રાષ્ટ્રપતિના અભિભાષણ પર ધન્યવાદ પ્રસ્તાવ પર ચર્ચા થઇ હતી. આ દરિયાન રાહુલ ગાંધીએ ચર્ચાની શરૂઆત કરી અને બંધારણના બહાને મોદી સરકાર પર ચાબખા મારવાનું શરૂ કર્યું. તેમણે પોતાના ભાષણની શરૂઆત બંધારણની કોપી હાથમાં લઇને કરી. આ દરમિયાન રાહુલ ગાંધીએ એક એવું નિવેદન આપ્યું જેથી હંગામો મચી ગયો. તેમણે કહ્યું કે, ‘મોદીજીએ પોતાના ભાષણમાં એક દિવસ કહ્યું કે હિંદુસ્તાને ક્યારેય કોઇના પર હુમલો કર્યો નથી. તેનું કારણ છે, હિંદુસ્તાન અહિંસાનો દેશ છે, આ ડરતો નથી. આપણા મહાપુરૂષોએ સંદેશ આપ્યો છે- ડરો મત, ડરાવો મત. શિવજી કહે છે- ડરો મત, ડરાવો મત અને ત્રિશૂલને જમીનમાં દાટી દે છે. બીજી તરફ જે લોકો પોતાને હિંદુ કહે છે તે 24 કલાક હિંસા-હિંસા-હિંસા, નફરત-નફરત-નફરત કરે છે. તમે હિંદુ છો જ નહી. તમે હિંદુ ધર્મમાં સ્પષ્ટ લખ્યું છે કે સત્યનો સાથ આપવો જોઇએ.’

ભાજપના નેતાઓએ વિરોધ કર્યો હતો

રાહુલ ગાંધીના આ નિવેદન આપતા જ ​​ભાજપે તેમનો વિરોધ શરૂ કરી દીધો હતો. સંસદની અંદર અને બહાર વિરોધ પ્રદર્શનો થયા. વડાપ્રધાને નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે ‘રાહુલ ગાંધી સમગ્ર હિંદુ સમાજને હિંસક બનાવી રહ્યા છે તે ગંભીર બાબત છે.’ જ્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ‘X’ પર લખ્યું, ‘રાહુલ ગાંધીએ કરોડો હિંદુઓનું અપમાન કર્યું છે કે હિંદુઓ હિંસા કરે છે, જુઠ્ઠું બોલે છે અને નફરત ફેલાવે છે. તેમણે આ માટે માફી માંગવી જોઈએ.’

ભગવાન જગન્નાથના મોસાળમાં રસોડાં માં જૂની પરંપરાથી ભોજન પીરસાશે

જગતના નાથની નગરચર્યાને હવે ફક્ત ગણતરીની કલાકો જ બાકી...

પ્રાથમિક શાળાઓમાં શિક્ષકોની ખાલી જગ્યાઓની માહિતી નિયામક દ્વારા મંગાઈ...

શિક્ષકોની કાયમી ભરતીના મુદ્દે સર્જાયેલી વિકટ પરિસ્થિતિને પામીને સરકારે...

જયેશ બોઘરા બન્યા ફરી રાજકોટ બેડી માર્કેટિંગ યાર્ડના ચેરમેન

રાજકોટ માર્કેટયાર્ડની ચૂંટણીને લઇને સૌની નજર મંડાયેલી હતી. આજે...

એમસીએક્સ પર ક્રૂડ તેલના વાયદાના ભાવમાં રૂ.36ની નરમાઈ

સોનાનો વાયદો રૂ.150 અને ચાંદીનો વાયદો રૂ.585 વધ્યોઃ બિનલોહ...

સુઝુકીની નેક્સ્ટ ભારત વેન્ચર્સે ભારતના આંત્રપ્રિન્યોર્સને સશક્ત બનાવવા માટે...

• સામાજિક અસર કરતી રોકાણ કંપની પ્રભાવશાળી આંત્રપ્રિન્યોર્સના સમુદાયને...

મુંબઈ પહોંચ્યા ખેલાડીઓ, ભારે ભીડ વચ્ચે ફસાઈ બસ

ટી 20 વર્લ્ડકપ જીત્યાં બાદ આજે ભારતીય ક્રિકેટ ટીમ...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here