Monday, July 8, 2024
HomeGujaratAhmedabadબાવળા ખાતે પ્રાકૃતિક ખેતી માટે ખરીફ પાકની પૂર્વતૈયારીના ભાગરૂપે મીટિંગનું આયોજન થયું

બાવળા ખાતે પ્રાકૃતિક ખેતી માટે ખરીફ પાકની પૂર્વતૈયારીના ભાગરૂપે મીટિંગનું આયોજન થયું

Date:

spot_img

Related stories

મિશેલિન ગાઈડ દુબઈ 2024 એ અમીરાતના કલીનરી હોટસ્પોટ તરીકે...

● મિશેલિન ગાઈડ દુબઈની ત્રીજી આવૃત્તિ વન એન્ડ ઓન્લી...

અનિતા ભાભીનું બસ દુર્ઘટનામાં ઓચિંતા મૃત્યુ?

એન્ડટીવી પર ભાભીજી ઘર પર હૈની નવી વાર્તામાં આંચકાજનક...

અમદાવાદથી થાઈલેન્ડનો પ્રવાસ કરવા માગતા લોકો માટે ગુડ ન્યૂઝ

થાઈલેન્ડ જવું થશે સસ્તું અમદાવાદથી થાઈલેન્ડનો પ્રવાસ કરવા માગતા લોકો...

જીત બાદ માટી કેમ ખાધી? તે એક એવી ક્ષણ...

ભારતીય ટીમ ટ્રોફી જીત્યા બાદ બાર્બાડોસથી દિલ્હી પહોંચી હતી....

અમદાવાદમાં સૌથી સસ્તા ઘર મળી રહ્યા હોવાનો દાવો ,...

તમામ આધુનિક સુવિધાઓથી સજ્જ અને શાંતિમય જીવન પસાર કરવા...

અભિનયની દુનિયામાં પગ મૂકનાર કલાકારે કિંગ ખાન સાથે કરી...

ડાન્સ ઈન્ડિયા ડાન્સ રિયાલિટી શોથી ડેબ્યૂ કરનાર રાઘવ જુયાલ...
spot_img

આ તાલીમમાં ૪૦૦ જેટલા ખેડૂતોએ ભાગ લીધો

અમદાવાદ જિલ્લાના બાવળા ખાતે આવેલા અટલ કોમ્યુનિટી હોલ ખાતે પ્રાકૃતિક ખેતી માટે ખરીફ પાકની પૂર્વતૈયારીના ભાગરૂપે તેમજ પ્રાકૃતિક ઉત્થાન ફોર્મર પ્રોડ્યુસર કંપનીની દ્વિતીય વાર્ષિક જનરલ બોડી મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ દ્વિતીય વાર્ષિક જનરલ બોડી મીટિંગ અંગે વાત કરતા અમદાવાદ જિલ્લાના આત્માના પ્રોજેક્ટ ડિરેક્ટર શ્રી કે.કે. પટેલે જણાવ્યું હતું કે, આ દ્વિતીય વાર્ષિક સભામાં ૪૦૦ જેટલા ખેડૂતોએ ભાગ લીધો હતો. ખેડૂતોની માંગ મુજબ પ્રાકૃતિક ખેતપેદાશના વેચાણના હેતુથી પ્રાકૃતિક ઉત્થાન ફોર્મર પ્રોડ્યુસર કંપનીની સ્થાપના કરવામાં આવી છે. આમ, બાવળા ખાતે પ્રાકૃતિક ખેતપેદાશના વેચાણ કેન્દ્રની શરૂઆત પણ થઈ ગઈ છે. પ્રાકૃતિક ઉત્થાન ફોર્મર પ્રોડ્યુસર કંપની, જે સાણંદ બાવળા અને વિરમગામ તાલુકામાં છેલ્લા એક વર્ષથી કાર્યરત છે, જે ધરતી ચેરિટેબલ ટ્રસ્ટ અને ટાટા મોટર્સ લિ. (સાણંદ પ્લાન્ટ)ના સહયોગથી રચાયેલી છે.

આ તાલીમમાં નવાગામ ચોખા સંશોધન કેન્દ્રના મુખ્ય વૈજ્ઞાનિક શ્રી ડૉ. મહેશભાઈ પરમારે ડાંગરની વિવિધ જાતો અને પાક ની માહિતી ઉપસ્થિત ખેડૂતોને આપી હતી. આ ઉપરાંત નિષ્ણાંત શ્રી મુકેશભાઈ તૃણ ધન્ય પાકોની માહિતી ખેડૂતોને ઉપલબ્ધ કરાવવામાં આવી હતી. આ સમગ્ર કાર્યક્રમ અમદાવાદ જિલ્લાના ખેતીવાડી વિભાગ, બાગાયત વિભાગ, આત્મા તેમજ પ્રાકૃતિક ઉત્થાન ફોર્મર પ્રોડ્યુસર કંપનીના સંયુકત ઉપક્રમે યોજાયો હતો.

આ દ્વિતીય વાર્ષિક જનરલ બોડી મીટિંગમાં ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ શ્રી કાંતિભાઈ મકવાણા, પ્રાકૃતિક ઉત્થાન ફાર્મર પ્રોડ્યુસર કંપનીના મેનેજિંગ ડિરેક્ટર શ્રી કાશીરામભાઈ વાઘેલા, બાગાયત અધિકારી શ્રી રિદ્ધિબહેન વસરા તેમજ મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા.

મિશેલિન ગાઈડ દુબઈ 2024 એ અમીરાતના કલીનરી હોટસ્પોટ તરીકે...

● મિશેલિન ગાઈડ દુબઈની ત્રીજી આવૃત્તિ વન એન્ડ ઓન્લી...

અનિતા ભાભીનું બસ દુર્ઘટનામાં ઓચિંતા મૃત્યુ?

એન્ડટીવી પર ભાભીજી ઘર પર હૈની નવી વાર્તામાં આંચકાજનક...

અમદાવાદથી થાઈલેન્ડનો પ્રવાસ કરવા માગતા લોકો માટે ગુડ ન્યૂઝ

થાઈલેન્ડ જવું થશે સસ્તું અમદાવાદથી થાઈલેન્ડનો પ્રવાસ કરવા માગતા લોકો...

જીત બાદ માટી કેમ ખાધી? તે એક એવી ક્ષણ...

ભારતીય ટીમ ટ્રોફી જીત્યા બાદ બાર્બાડોસથી દિલ્હી પહોંચી હતી....

અમદાવાદમાં સૌથી સસ્તા ઘર મળી રહ્યા હોવાનો દાવો ,...

તમામ આધુનિક સુવિધાઓથી સજ્જ અને શાંતિમય જીવન પસાર કરવા...

અભિનયની દુનિયામાં પગ મૂકનાર કલાકારે કિંગ ખાન સાથે કરી...

ડાન્સ ઈન્ડિયા ડાન્સ રિયાલિટી શોથી ડેબ્યૂ કરનાર રાઘવ જુયાલ...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here