Tuesday, March 10, 2026
HomeEntertainmentBollywoodવર્તમાનમાં જીવતાં શીખવું જોઇએ : કિયારા અડવાણી

વર્તમાનમાં જીવતાં શીખવું જોઇએ : કિયારા અડવાણી

Date:

spot_img

Related stories

T20 વર્લ્ડકપની ફાઈનલમાં ભારત ચેમ્પિયન, રાષ્ટ્રપતિ અને PM મોદીએ...

T20 વર્લ્ડકપની ફાઈનલ મેચમાં ન્યૂઝીલેન્ડને હરાવી ભારતે ઈતિહાસ રચ્યો...

સોના-ચાંદીમાં કડાકો : સોનું 1800 તો ચાંદી 7500 રૂપિયા સસ્તી

મિડલ ઈસ્ટમાં ચાલતા યુદ્ધ અને વૈશ્વિક તણાવની વચ્ચે સોના-ચાંદીના...

“ભારત શાંતિના પક્ષમાં,” પશ્ચિમ એશિયા કટોકટી પર રાજ્યસભામાં બોલ્યા...

સંસદના બજેટ સત્રનો બીજો તબક્કો આજે 9 માર્ચથી શરૂ...

જલ મહોત્સવ 2026નો ભવ્ય શુભારંભ: આંતરરાષ્ટ્રીય મહિલા દિવસે જળ...

ભારત સરકારના જળ શક્તિ મંત્રાલય હેઠળના પીવાના પાણી અને...

અશોક લેલેન્ડે ચેન્નઈ સુપર કિંગ્સ સાથે ભાગીદારી કરી, આગામી...

હિન્દુજા ગ્રૂપની ભારતીય ફ્લેગશીપ અને ભારતની અગ્રણી કોમર્શિયલ વ્હિકલ ઉત્પાદક અશોક લેલેન્ડે આજે પાંચ વખત આઈપીએલ ચેમ્પિયન રહેલી ચેન્નઈ સુપર કિંગ્સ સાથે વ્યૂહાત્મક ભાગીદારીની જાહેરાત કરી હતી. તે ચેન્નઈ સુપર કિંગ્સની સત્તાવાર સ્પોન્સર બની છે. આ ભાગીદારી અંતર્ગત અપકમિંગ સીઝનમાં સીએસકેની આઈકોનિક યેલો જર્સીના ફ્રન્ટ રાઈટ ચેસ્ટ પર અશોક લેલેન્ડનો લોગો જોવા મળશે. આ ભાગીદારી સીએસકે અને હિન્દુજા  ગ્રૂપ વચ્ચેના લાંબા સમયથી ચાલતા જોડાણને આગળ ધપાવે છે, જે 15 વર્ષથી વધુ સમયથી ગ્રૂપની બીજી કંપની ગલ્ફ ઓઇલ સાથેના સફળ સહયોગ પર આધારિત છે. આ ભાગીદારીની સત્તાવાર જાહેરાત અશોક લેલેન્ડના ચેન્નઈ સ્થિત હેડક્વાર્ટર ખાતે કંપનીના ચેરમેન શ્રી ધીરજ હિન્દુજા, અને કંપનીના એમડી અને સીઈઓ શ્રી શેનુ અગ્રવાલે સીએસકેના કેપ્ટન શ્રી ઋતુરાજ ગાયકવાડ, અને ભારતના 2026 અંડર-19 વર્લ્ડ કપ વિજેતા કેપ્ટન શ્રી આયુષ મ્હાત્રેની હાજરીમાં કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં સીએસકેની નવી સત્તાવાર જર્સીનું અનાવરણ પણ કરવામાં આવ્યું હતું, જે ચેન્નઈની શ્રેષ્ઠતા અને ઉચ્ચ પર્ફોર્મન્સના વારસામાં ઊંડા મૂળ ધરાવતી બે પ્રતિષ્ઠિત સંસ્થાઓના એકજૂટ થવાનું પ્રતીક છે. આ ઉજવણીમાં ઉમેરો કરતાં અશોક લેલેન્ડે ખાસ ડિઝાઇન કરેલી સીએસકે ફેન બસ રજૂ કરી હતી. જે ફક્ત સીએસકેના વ્હિસલ પોડુ ચાહકો માટે બનાવવામાં આવી છે. આ ફેન બસ જુસ્સો, ગૌરવ અને પ્રદર્શનની સહિયારી ભાવનાને પ્રતિબિંબિત કરે છે, જે લોકોને જોડવા અને ચાહકોને ક્રિકેટ સીઝનના ઉત્સાહ સાથે જોડવા માટે અશોક લેલેન્ડની પ્રતિબદ્ધતાને મજબૂત બનાવે છે. આ ભાગીદારી અંગે અશોક લેલેન્ડના ચેરમેન શ્રી ધીરજ હિન્દુજાએ જણાવ્યું હતું કે, "અમે ચેન્નઈ સુપર કિંગ્સ સાથે હાથ મિલાવવા બદલ ઉત્સુક છીએ. જે શ્રેષ્ઠતા, સુસંગતતા અને વિજયી થવાના જુસ્સાનું પ્રતિનિધિત્વ કરતી મજબૂત ટીમ છે. આ ભાગીદારી દ્વારા અમે સ્થિતિસ્થાપકતા અને ઉચ્ચ પ્રદર્શનના અમારા સહિયારા મૂલ્યોની ઉજવણી કરીએ છીએ. અમે એવી ટીમને ટેકો આપી રહ્યા છીએ, જેણે અમારા વતનને અપાર ગૌરવ અપાવ્યું છે." ચેન્નઈ સુપર કિંગ્સના મેનેજિંગ ડિરેક્ટર શ્રી કેએસ વિશ્વનાથને ઉમેર્યું હતું કે, “અમે અશોક લેલેન્ડનું ચેન્નઈ સુપર કિંગ્સ ફેમિલીમાં અમારા સત્તાવાર સ્પોન્સર તરીકે સ્વાગત કરવા માટે ઉત્સુક છીએ. આઈકોનિક બ્રાન્ડ અશોક લેલેન્ડ ચેન્નઈમાં ઊંડા મૂળ ધરાવે છે. તેની શ્રેષ્ઠતાનો વારસો સીએસકેની સફળતાની ગાથાનું પ્રતિબિંબ છે. આ ભાગીદારી હાઈ પર્ફોર્મન્સ, સ્થિતિસ્થાપકતા અને મજબૂત સમુદાય જોડાણ પર બનેલી બે ઈન્સ્ટીટ્યુશન્સને એકજૂટ કરે છે.” અશોક લેલેન્ડના એમડી અને સીઈઓ શ્રી શેનુ અગ્રવાલે આ અંગે જણાવ્યું હતું કે, “અમારી બ્રાન્ડ સ્ટ્રેટેજી હંમેશા અમારા પ્રેક્ષકો સાથે મજબૂત ભાવનાત્મક જોડાણ સ્થાપિત કરવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે. આ ભાગીદારી જર્સી પર લોગો સુધી સીમિત નથી, પણ તે ચેમ્પિયન્સની યાત્રાનો એક ભાગ બને છે, તે ગુણવત્તા અને ટકાઉપણાના મૂલ્યોને માન આપતાં લાખો ચાહકો સાથે જોડે છે.”

વ્યાજખોરોના ત્રાસથી ગાંધીધામ શહેર ભાજપના મંત્રીનો આપઘાત

કચ્છના ગાંધીધામ શહેર ભાજપના મંત્રી દિપેશ ત્રિપાઠીના આપઘાત મામલે...
spot_img

‘કબીરસિંહ’ અને ‘ગુડ ન્યુઝ’ જેવી ફિલ્મોથી પોતાની કારકિર્દીને કંડારનાર કિયારા અડવાણી હાલ પોતાની ફિલ્મ ‘ઇન્દુ કી જવાની’ને લઇને ચર્ચામાં છે. કોરોનાકાળથી શરૂ થયેલા લૉકડાઉનને કારણે બંધ રહેલાં થિયેટરો નવ મહિના પછી ખૂલી રહ્યાં છે ત્યારે તેને દર્શકો કેવો પ્રતિસાદ આપશે ત્યાંથી માંડીને બીજા અનેક મુદ્દા પર કિયારા સાથે થયેલી વાતચીત માણવી તમને ગમશે.

તમારી ફિલ્મ ‘ઇન્દુ કી જવાની’ થિયેટરમાં રજૂ થવા જઇ રહી છે. શું તમને લાગે છે કે કોરોના કાળમાં લોકો થિયેટરમાં ફિલ્મ જોવા આવશે? હું સૌથી પહેલાં તો એ સુનિશ્ર્ચિત કરવા માગું છું કે બધા સુરક્ષિત રહે. બધાએ એ વિચારવું જોઇએ કે શું એ થિયેટરમાં જવા માટે પોતાને કમ્ફર્ટેબલ માની રહ્યા છે? જો તેઓ એમ માની રહ્યા હોય તો પછી કોઇ વાંધો નહીં. મારો જ દાખલો આપું. હું હાલમાં જ કેટલાય મહિનાઓ બાદ ફ્લાઇટમાં બેઠી. શરૂઆતમાં થોડો ગભરાટ થયો, પરંતુ મેં જોયું કે વિમાનમાં ઘણા લોકો હતા. થોડી વાર પછી મને સ્થિતિ એકદમ સામાન્ય લાગવા લાગી. બધા જ માસ્ક પહેરીને બેઠા હતા. આપણે તમામ સાવધાની સાથે જિંદગી તો આગળ વધારતા જ રહેવી પડશેને? થિયેટરવાળા પણ શરૂઆતની કેટલીક ફિલ્મો માટે વધુ સાવધાની રાખશે જ. સિનેમા હાલનું ખૂલવું પણ જરૂરી છે. તેનાથી કેટલાય લોકોનું ઘર ચાલે છે. અંતે તો એ લોકોની મરજી અને કમ્ફર્ટ પર નિર્ભર કરે છે કે થિયેટરમાં જવું જોઇએ કે નહીં?

આ ફિલ્મ તમારી સોલો રિલીઝ છે. આનો સમગ્ર ભાર તમે ઉઠાવી રહ્યાં છો. શું તમે કોઇ જાતનું દબાણ અનુભવી રહ્યાં છો? દબાણ તો હંમેશાં રહે છે. અત્યાર સુધી મેં જેટલી ફિલ્મો કરી છે તેનો બધો બોજો પુરુષ કલાકાર તરીકે ઉઠાવ્યો છે. મને નથી લાગતું ક્ે ફક્ત હીરો પર જ પૂરી ફિલ્મનો ભાર હોય છે. આ ફિલ્મમાં આદિત્ય સીલ, મલિકા દુઆ અને બીજા જેટલા પણ આર્ટિસ્ટ છે અને દિગ્દર્શકને ગણીને બધાની જ આ ફિલ્મ છે. બધા પર આની જવાબદારી છે. ફિલ્મ બનાવવી એક ટીમવર્ક હોય છે. જેટલું દબાણ હું અનુભવી રહી છું એટલું ફિલ્મ સાથે સંકળાયેલા બીજા લોકો પણ અનુભવતા હશે. મારી અન્ય ફિલ્મો વખતે પણ મારા પર પ્રેશર રહ્યું જ હતું.ફિલ્મ ‘દિલ તેરા’ ગાયનમાં તમે રેટ્રો લુકમાં નજરે પડો છો. કેવો રહ્યો અનુભવ? જે લોકો બાળપણથી જ ફિલ્મપ્રેમી છે તેને માટે તો રેટ્રો લુક એટલો નવાઇભર્યો નથી. મને આ ગાયન કરવામાં ઘણી મજા આવી, કારણ કે આમાં અમે ચાર લુક્સ અપનાવ્યા હતા. સાઠના દાયકાના શર્મિલા ટાગોરજીના ‘કશ્મીર કી કલી’વાળા દેખાવને પણ દોહરાવ્યો. સિત્તેરના દાયકાની હેમા માલિનીજીની હેર સ્ટાઇલ તો એંશીના દાયકાનો પરવીન બાબીજીનો ‘નમક હલાલ’વાળો દેખાવ પણ સ્ક્રીન પર તાજો કર્યો. ત્યાર બાદ નેવુંના દાયકાની ઊર્મિલા માતોન્ડકરજીની ‘રંગીલા’ ફિલ્મની સ્ટાઇલ તો અમારે કરવાની જ હતી. ઘણા સમય બાદ આવું રેટ્રો ગાયન જોવા મળી રહ્યું છે. આની પહેલાં એક ગાયન ફિલ્મ ‘દિલ ચાહતા હૈ’ માં ‘વહ લડકી હૈ કહાં’ એ હતું જે ઘણું હિટ સાબિત થયું હતું.તમેે કેવા પ્રકારના પ્રેમમાં વિશ્ર્વાસ રાખો છો? હું ઓલ્ડ સ્કૂલ રોમેન્સમાં વિશ્ર્વાસ રાખું છું. મને લાગે છે કે મારો સપનાનો રાજકુમાર એક દિવસ એની મેળે જ મારી સામે આવશે, પરંતુ એવું ક્યારે થશે એનો જવાબ તો આવનારો સમય જ આપશે. લૉકડાઉનમાં તમને શું શીખવા મળ્યું?સહુથી જરૂરી વાત મારા માટે લૉકડાઉનમાં એ રહી કે આપણે વર્તમાનમાં જીવવું જોઇએ. બધા વિચારે છે કાલે શું થશે? એક સમય હતો જે રોકાઇ ગયો હતો, તેણે આપણને શીખવ્યું કે થોભો આજે જે છે તેમાં રમમાણ રહો. તેને પારખો. કૃતજ્ઞ રહો અને જિંદગીની વેલ્યુ કરો. આ સમય બધા માટે જ મુશ્કેલ હતો.આપણે બધા નસીબદાર છીએ કે સ્વસ્થ છીએ. હું તો એ જ શીખી છું કે દરેક પળને ખાસ બનાવો. તમારે જેને કહેવું હોય આઇ લવ યુ કે પછી સોરી એ બેધડક કહી દો. કાલે શું થવાનું છે એનો સાચે જ કોઇને ખ્યાલ નથી.તમારી આવનારી ફિલ્મોથી તમને કેટલી આશા છે? ઘણી બધી આશા છે. ઘણી મહેનત અને લગનથી ફિલ્મોમાં કામ કર્યું છે. ‘શેરશાહ’નું શૂટિંગ પૂરું થયું છે. તેના પોસ્ટ પ્રોડક્શનનું કામ ચાલી રહ્યું છે. એક વાર તે પૂરું થઇ જાય પછી ખબર પડશે કે ક્યારે રજૂ થશે.

T20 વર્લ્ડકપની ફાઈનલમાં ભારત ચેમ્પિયન, રાષ્ટ્રપતિ અને PM મોદીએ...

T20 વર્લ્ડકપની ફાઈનલ મેચમાં ન્યૂઝીલેન્ડને હરાવી ભારતે ઈતિહાસ રચ્યો...

સોના-ચાંદીમાં કડાકો : સોનું 1800 તો ચાંદી 7500 રૂપિયા સસ્તી

મિડલ ઈસ્ટમાં ચાલતા યુદ્ધ અને વૈશ્વિક તણાવની વચ્ચે સોના-ચાંદીના...

“ભારત શાંતિના પક્ષમાં,” પશ્ચિમ એશિયા કટોકટી પર રાજ્યસભામાં બોલ્યા...

સંસદના બજેટ સત્રનો બીજો તબક્કો આજે 9 માર્ચથી શરૂ...

જલ મહોત્સવ 2026નો ભવ્ય શુભારંભ: આંતરરાષ્ટ્રીય મહિલા દિવસે જળ...

ભારત સરકારના જળ શક્તિ મંત્રાલય હેઠળના પીવાના પાણી અને...

અશોક લેલેન્ડે ચેન્નઈ સુપર કિંગ્સ સાથે ભાગીદારી કરી, આગામી...

હિન્દુજા ગ્રૂપની ભારતીય ફ્લેગશીપ અને ભારતની અગ્રણી કોમર્શિયલ વ્હિકલ ઉત્પાદક અશોક લેલેન્ડે આજે પાંચ વખત આઈપીએલ ચેમ્પિયન રહેલી ચેન્નઈ સુપર કિંગ્સ સાથે વ્યૂહાત્મક ભાગીદારીની જાહેરાત કરી હતી. તે ચેન્નઈ સુપર કિંગ્સની સત્તાવાર સ્પોન્સર બની છે. આ ભાગીદારી અંતર્ગત અપકમિંગ સીઝનમાં સીએસકેની આઈકોનિક યેલો જર્સીના ફ્રન્ટ રાઈટ ચેસ્ટ પર અશોક લેલેન્ડનો લોગો જોવા મળશે. આ ભાગીદારી સીએસકે અને હિન્દુજા  ગ્રૂપ વચ્ચેના લાંબા સમયથી ચાલતા જોડાણને આગળ ધપાવે છે, જે 15 વર્ષથી વધુ સમયથી ગ્રૂપની બીજી કંપની ગલ્ફ ઓઇલ સાથેના સફળ સહયોગ પર આધારિત છે. આ ભાગીદારીની સત્તાવાર જાહેરાત અશોક લેલેન્ડના ચેન્નઈ સ્થિત હેડક્વાર્ટર ખાતે કંપનીના ચેરમેન શ્રી ધીરજ હિન્દુજા, અને કંપનીના એમડી અને સીઈઓ શ્રી શેનુ અગ્રવાલે સીએસકેના કેપ્ટન શ્રી ઋતુરાજ ગાયકવાડ, અને ભારતના 2026 અંડર-19 વર્લ્ડ કપ વિજેતા કેપ્ટન શ્રી આયુષ મ્હાત્રેની હાજરીમાં કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં સીએસકેની નવી સત્તાવાર જર્સીનું અનાવરણ પણ કરવામાં આવ્યું હતું, જે ચેન્નઈની શ્રેષ્ઠતા અને ઉચ્ચ પર્ફોર્મન્સના વારસામાં ઊંડા મૂળ ધરાવતી બે પ્રતિષ્ઠિત સંસ્થાઓના એકજૂટ થવાનું પ્રતીક છે. આ ઉજવણીમાં ઉમેરો કરતાં અશોક લેલેન્ડે ખાસ ડિઝાઇન કરેલી સીએસકે ફેન બસ રજૂ કરી હતી. જે ફક્ત સીએસકેના વ્હિસલ પોડુ ચાહકો માટે બનાવવામાં આવી છે. આ ફેન બસ જુસ્સો, ગૌરવ અને પ્રદર્શનની સહિયારી ભાવનાને પ્રતિબિંબિત કરે છે, જે લોકોને જોડવા અને ચાહકોને ક્રિકેટ સીઝનના ઉત્સાહ સાથે જોડવા માટે અશોક લેલેન્ડની પ્રતિબદ્ધતાને મજબૂત બનાવે છે. આ ભાગીદારી અંગે અશોક લેલેન્ડના ચેરમેન શ્રી ધીરજ હિન્દુજાએ જણાવ્યું હતું કે, "અમે ચેન્નઈ સુપર કિંગ્સ સાથે હાથ મિલાવવા બદલ ઉત્સુક છીએ. જે શ્રેષ્ઠતા, સુસંગતતા અને વિજયી થવાના જુસ્સાનું પ્રતિનિધિત્વ કરતી મજબૂત ટીમ છે. આ ભાગીદારી દ્વારા અમે સ્થિતિસ્થાપકતા અને ઉચ્ચ પ્રદર્શનના અમારા સહિયારા મૂલ્યોની ઉજવણી કરીએ છીએ. અમે એવી ટીમને ટેકો આપી રહ્યા છીએ, જેણે અમારા વતનને અપાર ગૌરવ અપાવ્યું છે." ચેન્નઈ સુપર કિંગ્સના મેનેજિંગ ડિરેક્ટર શ્રી કેએસ વિશ્વનાથને ઉમેર્યું હતું કે, “અમે અશોક લેલેન્ડનું ચેન્નઈ સુપર કિંગ્સ ફેમિલીમાં અમારા સત્તાવાર સ્પોન્સર તરીકે સ્વાગત કરવા માટે ઉત્સુક છીએ. આઈકોનિક બ્રાન્ડ અશોક લેલેન્ડ ચેન્નઈમાં ઊંડા મૂળ ધરાવે છે. તેની શ્રેષ્ઠતાનો વારસો સીએસકેની સફળતાની ગાથાનું પ્રતિબિંબ છે. આ ભાગીદારી હાઈ પર્ફોર્મન્સ, સ્થિતિસ્થાપકતા અને મજબૂત સમુદાય જોડાણ પર બનેલી બે ઈન્સ્ટીટ્યુશન્સને એકજૂટ કરે છે.” અશોક લેલેન્ડના એમડી અને સીઈઓ શ્રી શેનુ અગ્રવાલે આ અંગે જણાવ્યું હતું કે, “અમારી બ્રાન્ડ સ્ટ્રેટેજી હંમેશા અમારા પ્રેક્ષકો સાથે મજબૂત ભાવનાત્મક જોડાણ સ્થાપિત કરવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે. આ ભાગીદારી જર્સી પર લોગો સુધી સીમિત નથી, પણ તે ચેમ્પિયન્સની યાત્રાનો એક ભાગ બને છે, તે ગુણવત્તા અને ટકાઉપણાના મૂલ્યોને માન આપતાં લાખો ચાહકો સાથે જોડે છે.”

વ્યાજખોરોના ત્રાસથી ગાંધીધામ શહેર ભાજપના મંત્રીનો આપઘાત

કચ્છના ગાંધીધામ શહેર ભાજપના મંત્રી દિપેશ ત્રિપાઠીના આપઘાત મામલે...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here