Friday, August 14, 2026
HomeIndiaઇઝરાયલી સ્ટાઈલમાં ભારતનું 'ઓપરેશન સિંદૂર': ભારતની વાયુસેનાએ પાકિસ્તાનમાં ઘૂસીને કર્યો પ્રહાર

ઇઝરાયલી સ્ટાઈલમાં ભારતનું ‘ઓપરેશન સિંદૂર’: ભારતની વાયુસેનાએ પાકિસ્તાનમાં ઘૂસીને કર્યો પ્રહાર

Date:

Related stories

સ્વતંત્રતા દિવસના સુવિચારો

હર્ષ લિમ્બાચિયા:“સ્વતંત્રતા દિવસ હંમેશા આપણને સ્વતંત્રતા, એકતા અને વિવિધતાની...

મૃત્યુંજય મંત્રનો જાપ ભોગ અને દેહ આસક્તિ છોડાવી મૃત્યુ...

સદગુરુ કૃપા હી કેવલમ. શિવ પુરાણ.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- શ્રાવણી...

અમદાવાદના લલિત પટેલે બેંગકોકમાં વર્લ્ડ પાવર લિફ્ટિંગ ચેમ્પિયનશિપમાં ત્રણ...

અમદાવાદ: એક મહત્વપૂર્ણ સિદ્ધિમાં, અમદાવાદ સ્થિત એથ્લીટ લલિત પટેલે...

ભારતીય મહિલાઓની નાણાકીય સફરના દરેક મહત્વપૂર્ણ તબક્કામાં મદદ કરવા...

ઓગસ્ટ, 2026 : આઈસીઆઈસીઆઈ પ્રુડેન્શિયલ લાઇફ ઇન્શ્યોરન્સે મહિલાઓ માટે...

સનશાઇન પિક્ચર્સ લિમિટેડનો આઈપીઓ મંગળવાર, 18 ઓગસ્ટ, 2026ના રોજ...

• પ્રત્યેક રૂ. 10ની ફેસ વેલ્યુ ધરાવતા ઇક્વિટી શેર...

ભારતના મીડ-કેપ ક્ષેત્રમાં લાંબા ગાળાની વૃદ્ધિની સંભાવના શા માટે...

ભારતીય ઇક્વિટી બજારો 2026 દરમિયાન અત્યાર સુધી સ્થિર રહ્યા...

આખરે ભારતે પાકિસ્તાનના આતંકવાદી સંગઠનો સામે વળતો પ્રહાર કર્યો. ભારતીય વાયુસેનાએ મંગળવારે રાત્રે 1:05 વાગ્યે પાકિસ્તાન અને PoK એટલે કે પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં હવાઈ હુમલો કર્યો.આ હુમલામાં 9 આતંકવાદી ઠેકાણાઓને નિશાન બનાવવામાં આવ્યા છે. આમાં 100થી વધુ આતંકવાદીઓ માર્યા ગયા છે. જેમાં લશ્કર-એ-તૈયબાના હાઈ વેલ્યુ ટાર્ગેટ (HVT) હાફિઝ અબ્દુલ મલિકનો સમાવેશ થાય છે. મલિક મુરિદકે સ્થિત મરકઝ તૈયબા હવાઈ હુમલામાં માર્યો ગયો હતો.બીબીસી ઉર્દૂના અહેવાલ મુજબ, જૈશ-એ-મોહમ્મદના વડા મૌલાના મસૂદ અઝહરે કહ્યું છે કે, સુભાન અલ્લાહ મસ્જિદ પર થયેલા હુમલામાં તેના પરિવારના 10 સભ્યો અને ચાર નજીકના સાથીઓ માર્યા ગયા હતા.ભારત દ્વારા આ બદલો લેવાની કાર્યવાહી પહેલગામ હુમલાના 15 દિવસ પછી કરવામાં આવી હતી અને તેને ‘ઓપરેશન સિંદૂર’ નામ આપવામાં આવ્યું હતું. આ નામ એ મહિલાઓને સમર્પિત છે જેમના પતિઓ 22 એપ્રિલના રોજ પહેલગામમાં આતંકવાદીઓ દ્વારા માર્યા ગયા હતા.દરમિયાન, પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફે કહ્યું કે, પાકિસ્તાન પોતાનો બચાવ કરી શકે છે. પણ જો ભારત અટકશે, તો અમે પણ અટકી જઈશું.પાકિસ્તાનના ઇન્ટર-સર્વિસિસ પબ્લિક રિલેશન્સ (ISPR)ના ડિરેક્ટર લેફ્ટનન્ટ જનરલ અહેમદ શરીફ ચૌધરીએ જણાવ્યું હતું કે ભારતે 24 મિસાઇલો છોડી હતી. સમાચાર એજન્સી ANIએ સૂત્રોના હવાલાથી જણાવ્યું છે કે પીએમ મોદી આખી રાત ઓપરેશન સિંદૂર પર નજર રાખતા રહ્યા.સેનાએ એક પ્રેસ કોન્ફરન્સ યોજી. આમાં વિદેશ સચિવ વિક્રમ મિસરી અને સેનાના કર્નલ સોફિયા કુરૈશી અને વાયુસેનાના વિંગ કમાન્ડર વ્યોમિકા સિંહે ઓપરેશન વિશે માહિતી આપી હતી. સૌ પ્રથમ, હવાઈ હુમલાનો 2 મિનિટનો વીડિયો ચલાવવામાં આવ્યો. આમાં આતંકવાદીઓના ઠેકાણાઓ પર ભારતીય સેનાની કાર્યવાહી બતાવવામાં આવી હતી.કર્નલ સોફિયા કુરૈશી અને વિંગ કમાન્ડર વ્યોમિકા સિંહે જણાવ્યું હતું કે, આ ઓપરેશન રાત્રે 1:05 થી 1:30 વાગ્યાની વચ્ચે થયું હતું. પાકિસ્તાન અને પીઓકેમાં 9 ટાર્ગેટ ઓળખવામાં આવ્યા હતા. અમે તેમનો નાશ કર્યો. લોન્ચપેડ અને તાલીમ કેન્દ્રોને નિશાન બનાવવામાં આવ્યા હતા.

  • પીઓકેમાં પહેલું લશ્કર તાલીમ કેન્દ્ર સવાઈ નાલા મુઝફ્ફરાબાદમાં હતું. સોનમર્ગ, ગુલમર્ગ અને પહેલગામ હુમલાના આતંકવાદીઓએ અહીં તાલીમ લીધી હતી.
  • સૈયદના બિલાલ કેમ્પ મુઝફ્ફરાબાદ ખાતે શસ્ત્રો, વિસ્ફોટકો અને જંગલમાં ટકી રહેવાની તાલીમ આપવામાં આવી હતી.
  • કોટલી ગુરપુર કેમ્પ લશ્કરનો છે. 2023માં પૂંછમાં યાત્રાળુઓ પર હુમલો કરનારા આતંકવાદીઓને અહીં તાલીમ આપવામાં આવી હતી.
  • બર્નાલા કેમ્પ ભીમ્બર, અબ્બાસ કેમ્પ કોટલી ખાતે શસ્ત્રોનું સંચાલન. તે નિયંત્રણ રેખાથી 13 કિમી દૂર છે. આત્મઘાતી બોમ્બરો તૈયાર થતા હતા.
  • સરજલ કેમ્પ સિયાલકોટ. માર્ચ 2025માં આતંકવાદીઓને પોલીસ કર્મચારીઓને મારવા માટે અહીં તાલીમ આપવામાં આવી હતી.
  • મહમૂના જયા કેમ્પ સિયાલકોટમાં એક ખૂબ મોટો હિઝબુલ કેમ્પ હતો. આ કઠુઆમાં આતંકવાદનું નિયંત્રણ કેન્દ્ર હતું. પઠાણકોટ હુમલાનું આયોજન અહીં જ કરવામાં આવ્યું હતું.
  • મરકડ તૈયબા મુરીડકેમાં એક આતંકવાદી છાવણી છે. અજમલ કસાબ અને ડેવિડ કોલમેન હેડલીને અહીં તાલીમ આપવામાં આવી હતી.
  • મરકઝ સુભાનલ્લાહ ભાવલપુર જૈશનું હેડક્વાર્ટર હતું. ભરતી અને તાલીમ આપવામાં આવી. મોટા અધિકારીઓ અહીં આવતા હતા. કોઈ નાગરિક જાનહાનિના અહેવાલ નથી, અમે રહેણાંક વિસ્તારોને નિશાન બનાવ્યા નથી.

સ્વતંત્રતા દિવસના સુવિચારો

હર્ષ લિમ્બાચિયા:“સ્વતંત્રતા દિવસ હંમેશા આપણને સ્વતંત્રતા, એકતા અને વિવિધતાની...

મૃત્યુંજય મંત્રનો જાપ ભોગ અને દેહ આસક્તિ છોડાવી મૃત્યુ...

સદગુરુ કૃપા હી કેવલમ. શિવ પુરાણ.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- શ્રાવણી...

અમદાવાદના લલિત પટેલે બેંગકોકમાં વર્લ્ડ પાવર લિફ્ટિંગ ચેમ્પિયનશિપમાં ત્રણ...

અમદાવાદ: એક મહત્વપૂર્ણ સિદ્ધિમાં, અમદાવાદ સ્થિત એથ્લીટ લલિત પટેલે...

ભારતીય મહિલાઓની નાણાકીય સફરના દરેક મહત્વપૂર્ણ તબક્કામાં મદદ કરવા...

ઓગસ્ટ, 2026 : આઈસીઆઈસીઆઈ પ્રુડેન્શિયલ લાઇફ ઇન્શ્યોરન્સે મહિલાઓ માટે...

સનશાઇન પિક્ચર્સ લિમિટેડનો આઈપીઓ મંગળવાર, 18 ઓગસ્ટ, 2026ના રોજ...

• પ્રત્યેક રૂ. 10ની ફેસ વેલ્યુ ધરાવતા ઇક્વિટી શેર...

ભારતના મીડ-કેપ ક્ષેત્રમાં લાંબા ગાળાની વૃદ્ધિની સંભાવના શા માટે...

ભારતીય ઇક્વિટી બજારો 2026 દરમિયાન અત્યાર સુધી સ્થિર રહ્યા...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here