અમદાવાદઃ સીદી સૈયદની જાળીના સંરક્ષણ માટે કરાશે આ ખાસ કામ

0
372
ahmedabad-news/civic-issues/asi-will-repair-jali-of-saiyed-mosque
ahmedabad-news/civic-issues/asi-will-repair-jali-of-saiyed-mosque

વિશ્વભરમાં ઈદનો તહેવાર ઉજવવામાં આવી રહ્યો છે, ત્યારે પ્રખ્યાત સીદી સૈયદની મસ્જિદને પણ લાઈટિંગથી સણગારવામાં આવી છે. તાજેતરમાં યુનેસ્કો દ્વારા અમદાવાદને હેરિટેજ સિટી જાહેર કરવામાં આવ્યું હતું ત્યારે સીદી સૈયદની જાળીને પહોંચેલા નુકસાનને કારણે અતુલ્ય ધરોહરમાંની એક નાશ પામી રહી હોવાનો ભય અને ચિંતાનો માહોલ સર્જાયો છે. જેથી ચેતીને આર્કિયોલોજિસ્ટ સર્વે ઑફ ઈન્ડિયા (ASI) સીદી સૈયદની પથ્થરથી કંડોરેલી જાળીને બચાવવા માટે ખાસ કામ કરશે.ડિજિટલી દસ્તાવેજો ઉપયોગ કરી જાળીનું સમારકામ શરૂ કરવામાં આવશે, આવતા અઠવાડિયે આખી મસ્જિદને સ્કેન કરવામાં આવશે. ASI અધિકારીઓએ કહ્યું કે ગયા વર્ષે સપ્ટેમ્બરમાં જાપાનના પીએમ શિન્ઝો આબે ભારતની મુલાકાતે આવ્યા ત્યારે પીએમ મોદી સાથે સીદી સૈયદની જાળી નિહાળવા માટે તેઓ અહીં આવ્યા હતા, દરમિયાન 16મી સદીની કળાકારીગરીનો ઉત્કૃષ્ટ નમૂનો એવી સીદી સૈયદની જાળી આકર્ષણનું એક કેન્દ્ર બની ગઈ હતી, આ જાળી જેવી જ બીજી કોપી બનાવવી અઘરી છેASIના સિનિયર અધિકારીએ કહ્યું કે, “કથિત રીતે આ નુકસાન તાજેતરમાં નથી થયુ. લાઈટિંગ એન્ગલથી પણ તે પ્રભાવિત થઈ છે. અગાઉ કેટલાક પ્રાચિન સ્મારકોનું સમારકામ કરવામાં આવ્યું તેવી રીતે જ સીદી સૈયદની જાળીનું પણ સમારકામ કરવામાં આવશે અને આર્ટવર્કની અખંડિતતા જળવાય રહે તેનું પણ ખાસ ધ્યાન રાખવામાં આવશે.”નિષ્ણાંતોએ જણાવ્યા મુજબ જાળીને વધુ નુકસાનથી બચાવવા માટે તેનું સમારકામ કરવું જરૂરી છે. પુનઃપ્રસ્થાપન કામ માટે ASI 3ડી સ્કેનિંગ ટેક્નિકનો ઉપયોગ કરાશે. આગ્રામાં તાજમહેલમાં, કર્ણાટકના હમ્પી મંદીર અને પાટણની રાણકી વાવમાં પણ 3ડી સ્કેનિંગ ટેક્નિકનો જ ઉપયોગ કરવામાં આવ્યો હતો. સીદી સૈયદ દ્વારા બનાવવામાં આવેલી આ જાળીનું સ્થાનિક આર્કિટેક્ચર સ્ટાઈલમાં 1572માં નિર્માણ કરવામાં આવ્યું હતું. બીજે ઈન્સ્ટીટ્યૂટ ઑફ લર્નિંગ એન્ડ રિસર્ચના પ્રોફેસર રામજી સાવલિયાએ કહ્યું કે 400 વર્ષમાં ઘણા બદલાવ આવ્યા છે, અમદાવાદના આર્કિટેક્ટ્સ માટે સીદી સૈયાદની જાળી કોઈ ઘરેણાથી ઓછી નથી