Saturday, June 29, 2024
HomeGujaratSurat'ગૌ' માતાએ આપણી નહીં પરંતુ, જીવ માત્રની માતા છે.

‘ગૌ’ માતાએ આપણી નહીં પરંતુ, જીવ માત્રની માતા છે.

Date:

spot_img

Related stories

અમદાવાદમાં જામ્યો ધોધમાર વરસાદ:

હવામાન વિભાગે 5 જિલ્લામાં ઓરેન્જ તેમજ અન્ય જિલ્લામાં વરસાદનું...

સાઉથ આફ્રિકાની ટીમ પહેલીવાર વર્લ્ડ કપની ફાઈનલમાં

સાઉથ આફ્રિકાએ પહેલીવાર વર્લ્ડ કપની ફાઈનલમાં પ્રવેશ કર્યો અને...

નવી સિવિલમાં બાળક ગુમ થવાની ઘટનાનો ભેદ ઉકેલાયો

સુરત: નવી સિવિલ હોસ્પિટલમાં બાળક ગુમ થવાની ઘટનામાં ક્રાઈમ...

પત્રકારત્વના સાંપ્રત પ્રવાહો અને માહિતી ખાતા સાથે સુદ્રઢ સંકલન...

અમદાવાદના લઘુ દૈનિક અખબારોના તંત્રીશ્રીઓ, બ્યુરો ચીફ અને ચીફ...

સમગ્ર રાજ્યમાં આજથી ૨૧મા શાળા પ્રવેશોત્સવ કન્યા-કેળવણી મહોત્સવનો પ્રારંભ

‘ઉજવણી ઉલ્લાસમય શિક્ષણ’ના વિષય સાથે યોજાનારા આ શાળા પ્રવેશોત્સવ...

ઓઢવની ફેક્ટરીમાં બ્લાસ્ટ:

ઓઢવ વિસ્તારમાં આવેલા અરિહંત ઇન્ડસ્ટ્રિયલ એસ્ટેટમાં એક ફેક્ટરીમાં બ્લાસ્ટની...
spot_img

હજુ પાવાગઢમાં ખંડિત મૂર્તિઓને લઈને આંદોલન શાંત પડ્યું નથી ત્યાં બીજી ઘટના બની છે.

આજે સવારે એક વ્યક્તિ ત્યાંથી પસાર થતો હતો ત્યારે તેના દ્વારા રેસીડેન્સીની બહાર પશુનું માથું ફેકાયા હોવાની જાણ રેસિડેન્સીના લોકોને થઈ. તમામ લોકો તુરંત જ બહાર દોડી આવ્યા હતા તેમજ આસપાસના જૈન દેરાસરના મહારાજ સાહેબ પણ આવી પહોંચ્યા હતા. આ ઘટનાથી જૈન સમાજ ફરી રોષે ભરાયો છે અને આ કૃત્યને લઈને વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો છે. અહીં લોકોનો ટોળું એકત્રિત થતા પોલીસ અધિકારીઓનો કાફલો પણ ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. પાલ વિસ્તારમાં માણીભદ્ર રેસીડેન્સીની આજુબાજુ ઘણા બધા જૈન દેરાસરો પણ આવેલા છે અને અહીં મોટાભાગે જૈન લોકો જ વસવાટ કરે છે ત્યારે આ પ્રકારે પશુનું માથુ કાપીને ફેંકવાની ઘટનાએ ફરી જૈન સમાજના લોકોની લાગણી દુભાવી છે. પાલ વિસ્તારમાં આવેલા માણીભદ્ર રેસીડેન્સીની બહાર પશુનું માથું કાપીને ફેંકી દેવાની ઘટના સામે આવતા ફરી એકવાર વિવાદ ઉભો થયો છે, જેને કારણે જૈન સમાજના મહારાજ તેમજ આસપાસના લોકો ખૂબ જ મોટી સંખ્યામાં એકત્રિત થઈ ગયા છે. જોકે, ઘટનાની જાણ થતાં પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી છે.

ગૌ માતાએ આપણી નહીં પરંતુ, જીવ માત્રની માતા છે. તેમની સાથે કરેલા આ કૃત્યને કારણે અમારી લાગણી દુભાય છે. આ પ્રકારના કામ કરનારાઓ સામે સખ્તાઈપૂર્વક પગલાં લેવા જોઈએ. પશુનું માથુ કપાયેલી હાલતમાં જોઈને દોડી આવેલા મહારાજ સાહેબ ભાવુક થઈ ગયા હતા અને તેમણે કહ્યું હતું કે, આ પ્રકારનું કૃત્ય ક્યારેય પણ સાંખી લેવામાં આવશે નહીં.

આ ઘટના અંગે DCP રાકેશ બારોટે જણાવ્યું કે, ખાનગી વ્યક્તિ દ્વારા અડાજણ પોલીસ સ્ટેશનમાં ફોન કરવામાં આવ્યો હતો, જેના આધારે અહીં આવતા પશુના માથાનો ભાગ મળી આવેલો છે. એફિશિયલની ટીમ બોલાવવામાં આવી છે, જે પશુના અંગનો ભાગ મળ્યો છે તેમની DNA તપાસ કરવામાં આવશે તેમજ વેટેનરી ડોક્ટરને પણ બોલાવવામાં આવ્યા હતા. તેમણે પણ નમૂના લીધા છે. પાલ ગાર્ડન પાસે પશુઓના બીજા અંગો મળી આવ્યા છે તેની પણ તપાસ કરવામાં આવી રહી છે.

અમદાવાદમાં જામ્યો ધોધમાર વરસાદ:

હવામાન વિભાગે 5 જિલ્લામાં ઓરેન્જ તેમજ અન્ય જિલ્લામાં વરસાદનું...

સાઉથ આફ્રિકાની ટીમ પહેલીવાર વર્લ્ડ કપની ફાઈનલમાં

સાઉથ આફ્રિકાએ પહેલીવાર વર્લ્ડ કપની ફાઈનલમાં પ્રવેશ કર્યો અને...

નવી સિવિલમાં બાળક ગુમ થવાની ઘટનાનો ભેદ ઉકેલાયો

સુરત: નવી સિવિલ હોસ્પિટલમાં બાળક ગુમ થવાની ઘટનામાં ક્રાઈમ...

પત્રકારત્વના સાંપ્રત પ્રવાહો અને માહિતી ખાતા સાથે સુદ્રઢ સંકલન...

અમદાવાદના લઘુ દૈનિક અખબારોના તંત્રીશ્રીઓ, બ્યુરો ચીફ અને ચીફ...

સમગ્ર રાજ્યમાં આજથી ૨૧મા શાળા પ્રવેશોત્સવ કન્યા-કેળવણી મહોત્સવનો પ્રારંભ

‘ઉજવણી ઉલ્લાસમય શિક્ષણ’ના વિષય સાથે યોજાનારા આ શાળા પ્રવેશોત્સવ...

ઓઢવની ફેક્ટરીમાં બ્લાસ્ટ:

ઓઢવ વિસ્તારમાં આવેલા અરિહંત ઇન્ડસ્ટ્રિયલ એસ્ટેટમાં એક ફેક્ટરીમાં બ્લાસ્ટની...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here