Thursday, July 16, 2026
HomeLife Styleપાણીપૂરીનું ટેસ્ટી પાણી છે બીમારીઓનું ઘર, જીવ પણ જઈ શકે છે

પાણીપૂરીનું ટેસ્ટી પાણી છે બીમારીઓનું ઘર, જીવ પણ જઈ શકે છે

Date:

Related stories

બજાજ લાઇફ ઇન્શ્યોરન્સે ગ્રાહકોને તેમના માતાપિતા માટે નાણાકીય સલામતીની...

પૂણે, 15 જુલાઈ, 2026 : ભારતમાં ખાનગી ક્ષેત્રની અગ્રણી જીવન વીમાકંપનીઓ પૈકીની એક...

અમદાવાદના નારણપુરા માં આવેલી નવરંગ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ  ના...

નારણપુરા માં આવેલી નવરંગ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ  ખાતે ભગવાન...

સ્કોડા ઓટો ઇન્ડિયાએ પીપીએસ મોટર્સ પ્રાઇવેટ લિમિટેડ સાથેની ભાગીદારીમાં...

• અમદાવાદના નરોડા અને મણિનગરમાં બે નવા વેચાણ કેન્દ્રો...

અષાઢી બીજ, શ્રીકૃષ્ણ, બલરામ અને સુભદ્રાનાં વિશિષ્ટ રુપની નગરચર્યાનો...

સદગુરુ કૃપા હી કેવલમ. અષાઢી બીજપરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- પ્રાસંગિક. અષાઢી...

સુબોધ ભાઈ સાવ આમ જ વિદાય લેશે! એવો તો...

સદગુરુ કૃપા હી કેવલમ.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- મૃત્યુ! વેદના કે...

કાઠમાંડુ : આજે કોઇ પણ ઉંમરના લોકોને પાણીપૂરી તો પસંદ હોય છે. પાણીપૂરી લઈને તો ઘણા જોક્સ પણ વાઇરલ થતા રહે છે. યુવતીઓ કોઈ પણ જગ્યાએ પાણીપૂરી ખાતા અચકાતી નથી. ઘણા લોકો તો પાછી એવી બડાશ હાંકે છે કે, મને તો હોટેલ કરતા રોડ પર જે પાણીપૂરી મળે છે તે વધારે ટેસ્ટી લાગે છે. પરંતુ આ ટેસ્ટ જ કયારેક બીમારીનું કારણ બની શકે છે. થોડા દિવસ પહેલાં નેપાળના કાઠમંડુના લલિતપુરમાં પાણીપૂરી વેચવા પર પ્રતિબંધ લગાડી દીધો હતો. પાણીપૂરીના વેચાણ પર પ્રતિબંધ લગાડવાનું એક માત્ર કારણ પાણી હતું. પાણીમાં કોલેરાના બેક્ટેરિયા હોવાનું માલુમ પડ્યું હતું. જો તમે પણ ચોમાસામાં પાણીપુરીનો સ્વાદ લેતા હોય તો ચેતી જજો. એવું કહેવામાં આવે છે કે, પાણીપૂરીના પાણીમાં ફુદીનો અને બીજી વસ્તુઓ હોય છે, જેનાથી અનેક ફાયદાઓ થાય છે, પરંતુ આ પાણીથી જ અનેક બીમારીઓ પણ ઘર કરી જાય તો નવાઈ નહીં. ઝારખંડની રાજધાની રાંચી RIIMSના ડો. પ્રદીપ ભટ્ટાચાર્ય જણાવે છે કે, વધુ પ્રમાણમાં પાણીપૂરી ખાવાથી કઇ-કઇ બીમારીઓ ઘર કરી જાય છે? શું પાણીપૂરી ખાવાથી જીવ ગુમાવવાનો વારો આવી શકે છે? આપણે હોશે-હોશે જે પાણીપૂરી ખાઈએ છીએ, તેનું પાણી ક્યાંથી આવે છે તે વિશે ક્યારે પણ વિચાર્યું છે? તો પાણી ક્યાં સ્ટોર કરે છે તે અંગે પણ આપણે અજાણ હોઈએ છીએ. આ સાથે જ સૌથી મહત્વની વાત એ છે કે, જે વાસણમાં પાણી તૈયાર કરવામાં આવે છે તે વાસણ સાફ કરેલું છે કે નહિ. જો તમને આ ત્રણ સવાલના જવાબ મળી જશે તો તમે ક્યારે પણ પાણીપૂરી ખાશો નહિ. જો તમને આ ત્રણ સવાલ મનમાં નથી આવતા તો તમે મોટી ભૂલ કરી રહ્યા છો અને સ્વાસ્થ્ય સાથે ચેડાં કરી રહ્યા છો.પાણીમાં ખટાશ આવે તે માટે કાચી અને સુકી કેરી, આંબલી, લીંબુ જેવી ખટાશ પકડતી વસ્તુઓનો ઉપયોગ કરવામાં આવે છે. પરંતુ કફોડી હાલત તો ત્યારે થાય છે, જયારે લીંબુ મોંઘા હોય છે અને કેરી પણ મળતી નથી. આ સમયે પાણીમાં ખટાશ માટે હાઈડ્રોક્લોરિક એસિડ, સલ્ફ્યુરિક એસિડ ટાર્ટરિક એસિડ અને ઓક્જેલિક એસિડનો બેફામ ઉપયોગ કરવામાં આવે છે. જો આટલા પ્રકારના એસિડનો ઉમેરો પાણીમાં ખટાશ માટે કરવામાં આવે તો શરીર પર એટલી ખરાબ અસર કરે છે કે સીધા હોસ્પિટલ ભેગું થવાનો વારો પણ આવી શકે છે. આટલેથી અટકતું નથી પાણીપૂરીનું પાણી ક્યારેક તમારો જીવ પણ લઇ શકે છેઆ સિવાય પાણીને લીલુંછમ કરવા માટે ફુદીનો અને કોથમીરની બદલે આર્ટિફિશિયલ કલરનો પણ ઉપયોગ કરવામાં આવે છે. આ આર્ટિફિશિયલ કલર પાણીપૂરમાં ધીમા ઝેર તરીકે કામ કરે છે.પાણીપૂરીના પાણીમાં વધુ મીઠું મિક્સ કરવામાં આવે છે, જેથી બ્લડપ્રેશર વધી શકે છે. તો પૂરીને જે તેલમાં તળવામાં આવે છે, તે તેલની ક્વોલિટી પણ સારી નથી હોતી. તો ઘણીવાર વારંવાર એક જ તેલમાં પૂરી તળવામાં આવે છે, જેની સ્વાસ્થ્ય ઉપર ખરાબ અસર પડે છે. ચોમાસાની ઋતુમાં ચોખ્ખાઈનું ખાસ ધ્યાન રાખવામાં આવે છે. અમુકવાર પાણીપૂરી ખાવાથી ઘણી બીમારીઓ થઇ શકે છે.કોલેરા સંક્ર્મણને કારણે થાય છે. કોલેરાના મુખ્ય લક્ષણો પૈકી એક હોય તો ઉલટી અને ડાયેરિયાની સમસ્યા છે. ઘણી વખત પાણી અને પોષણની કમીને કારણે કોલેરાથી મૃત્યુ પણ થઇ શકે છે. કોલેરાના બેક્ટેરિયા ખરાબ ખોરાક અને ગંદા પાણીને કારણે ફેલાય છે. આ સ્થિતિમાં ખોરાક અને પીવાના પાણીને સ્વચ્છ રાખવા પર વધુ ધ્યાન આપવું જોઈએ.ગંદા પાણીમાંથી vibrio cholera bacteria જયારે ખાવા-પીવાની વસ્તુમાંથી શરીરમાંથી પ્રવેશ કરે છે ત્યારે કોલેરા થઇ જાય છે. જગ્યા કે જગ્યાનું પાણી ગંદુ હોય છે ત્યારે કોલેરાનું જોખમ વધારે રહે છે.જો તમારી આસપાસ કોઈને પણ કોલેરા છે, તો બીજા માટે તે ખતરનાક સાબિત થઇ શકે છે. જે લોકોને પેટમાં એસિડનું લેવલ ઓછું હોય છે તે લોકોને કોલેરા થવાનું જોખમ વધુ રહે છે.

બજાજ લાઇફ ઇન્શ્યોરન્સે ગ્રાહકોને તેમના માતાપિતા માટે નાણાકીય સલામતીની...

પૂણે, 15 જુલાઈ, 2026 : ભારતમાં ખાનગી ક્ષેત્રની અગ્રણી જીવન વીમાકંપનીઓ પૈકીની એક...

અમદાવાદના નારણપુરા માં આવેલી નવરંગ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ  ના...

નારણપુરા માં આવેલી નવરંગ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ  ખાતે ભગવાન...

સ્કોડા ઓટો ઇન્ડિયાએ પીપીએસ મોટર્સ પ્રાઇવેટ લિમિટેડ સાથેની ભાગીદારીમાં...

• અમદાવાદના નરોડા અને મણિનગરમાં બે નવા વેચાણ કેન્દ્રો...

અષાઢી બીજ, શ્રીકૃષ્ણ, બલરામ અને સુભદ્રાનાં વિશિષ્ટ રુપની નગરચર્યાનો...

સદગુરુ કૃપા હી કેવલમ. અષાઢી બીજપરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- પ્રાસંગિક. અષાઢી...

સુબોધ ભાઈ સાવ આમ જ વિદાય લેશે! એવો તો...

સદગુરુ કૃપા હી કેવલમ.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- મૃત્યુ! વેદના કે...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here