Monday, September 14, 2026
HomeLife Styleજો તમારી આંખોમાં પણ આ પ્રકારની સમસ્યા છે, તો તે આપે છે...

જો તમારી આંખોમાં પણ આ પ્રકારની સમસ્યા છે, તો તે આપે છે ગંભીર બિમારીનો સંકેત

Date:

Related stories

સુશાસનના 5 વર્ષ: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત...

ગુજરાતને દેશનું અગ્રણી ડેટા સેન્ટર હબ બનાવવાના સંકલ્પ સાથે...

                            તત્વિનિટી (Tatvinity)  – કનેક્ટ ટુ ધી ઈનફિનાઈટ

બિઝનેસમાં સફળતા સાથે ચેતનાનો સંવાદ: કૃતિ ત્રિવેદી દ્વારા 'તત્વિનિટી...

પાંચ વર્ષની પૂર્ણાહૂતિ પર ઝિગલી પૅટ કેરે વાર્ષિક હેલ્થ...

• પપી, એડલ્ટ અને વધુ ઉંમરના શ્વાનની સંભાળ માટેના...

પ્રતિક્રમણ એટલે સંસારી જીવ ફરી એકવાર પોતાનામાં વૈરાગ્ય ભાવનું...

સદગુરુ કૃપા હી કેવલમ. પ્રતિક્રમણપરિચય ફાલ્ગુની વસાવડા.શીર્ષક પ્રાસંગિક. પ્રતિક્રમણ એટલે...

ભારતીય નૌકાદળના વડાએ કેનબેરામાં ઓસ્ટ્રેલિયન સમકક્ષને મળ્યા, દરિયાઈ સહયોગને...

કેનબેરા, 11 સપ્ટેમ્બર (IANS) નૌકાદળના વડા (સીએનએસ) એડમિરલ કૃષ્ણા...

જો કોઈ વ્યક્તિને આંખોમાં અલગ અલગ પ્રકારની સમસ્યા થઈ રહી છે તો તેણે સાવચેત રહેવું જોઈએ. જોવામાં પરેશાની થવી, ઓછું દેખાવું, ઝાંખુ ઝાંખુ દેખાવું અથવા આંખોમાં લાલાશ જોવા મળે તો તાત્કાલિક આંખોની તપાસ કરાવવી જોઈએ. નિષ્ણાંતો જણાવે છે કે, આંખોની મદદથી કોઈપણ વ્યક્તિના સ્વાસ્થ્ય વિશે જાણકારી મેળવી શકાય છે. જો કોઈ વ્યક્તિને લાંબા સમય સુધી આંખોમાં સમસ્યા હોય તો, તે ગંભીર બિમારીનો સંકેત હોઈ શકે છે. જો તમારી આંખોમાં પણ અહીંયા જણાવેલ લક્ષણો જોવા મળે, તો તાત્કાલિક આંખોની તપાસ કરાવવી જોઈએ.નિષ્ણાંતો જણાવે છે કે, કોઈ વ્યક્તિની આંખોમાં કોર્નિયા પર સફેદ ધબ્બા જોવા મળે તો તે એક ચેતવણીની નિશાની હોઈ શકે છે. કોર્નિયા પર સફેદ ધબ્બા જોવા મળે તો તે કોર્નિયલ સંક્રમણનો સંકેત હોઈ શકે છે. જે આંખોને ધીરે ધીરે નુકસાન પહોંચાડે છે, આ કારણોસર આંખોની તાત્કાલિક તપાસ કરાવવી જોઈએ.દારૂ, કેફી પદાર્થ, નિકોટીનનું વધુ પડતું સેવન કરવાથી આંખો ફરકવી તે સામાન્ય બાબત બની ગઈ છે. જો તમને સામાન્ય દિવસોમાં પણ વારંવાર આંખો ફરકે છે અથવા બર્નઆઉટ થાય છે, તો તે એક પ્રારંભિક સંકેત હોઈ શકે છે. શારીરિક થાકને બર્નઆઉટ કહે છે. ડો તમારી આંખો સતત ફરકે છે, તો તમારે શારીરિક મહેનત અને તણાવ ઓછો કરવાની જરૂર છે.જો ઊઠ્યા બાદ પણ તમારી આંખમાં સોજો છે અથવા લાલ છે તો તે એલર્જી, ઈન્ફેક્શન અથવા વધુ પડતા થાકને કારણે હોઈ શકે છે. આંખોમાં સોજો આવવો અથવા લાલ થઈ જાય તો તમારે સમજી જવું જોઈએ કે, તમારે આરામની જરૂર છે.ધુંધળી દ્રષ્ટિ માત્ર ઓછું દેખાવાની સમસ્યા નથી. ધુંધળી દ્રષ્ટિ ડાયાબિટીસ અને મોતિયાનો પણ સંકેત હોઈ શકે છે. હાઈ બ્લડ સુગરથી રેટિનાની બ્લડ વેસલ્સને નુકસાન પહોંતે છે. આ પરિસ્થિતિમાં ડેમેજ થયેલ બ્લડ વેસલ્સમાં સોજો આવી જાય છે, જેમાંથી લોહી અથવા લિક્વિડ નીકળવા લાગે છે. આ કારણોસર સ્પષ્ટ જોઈ શકાતું નથી. બંને આંખોની દ્રષ્ટિ ધુંધળી હોઈ શકે છે. જે લોકોનું બ્લડ સુગર કંટ્રોલમાં રહે છે, તેમની દ્રષ્ટિ સાફ હોઈ શકે છે. મોતિયાના કારણે રોશની આંખમાં જઈ શકતી નથી અને દ્રષ્ટિ ધુંધળી થઈ જાય છે.જો આંખના સફેદ ભાગ અથવા કાર્નિયા પર વિશેષ પ્રકારની રિંગ્સ જોવા મળે તો તે હાઈ કોલસ્ટ્રોલનો સંકેત આપે છે. જો તમારુ કોલસ્ટ્રોલ સતત વધે છે, તો તેના પ્રારંભિક સંકેત આંખમાં જોવા મળે છે. કોર્નિયાની બહાર લિપિડ રિંગ્સ બનાવાનું શરૂ કરી દે છે. 40થી ઓછી વર્ષની ઉંમરના લોકોએ આ બાબત પર વધુ ધ્યાન આપવું જોઈએ. જો આંખમાં રિંગ્સ જોવા મળે તો તાત્કાલિક નિષ્ણાંતનો સંપર્ક કરવો જોઈએ.

સુશાસનના 5 વર્ષ: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત...

ગુજરાતને દેશનું અગ્રણી ડેટા સેન્ટર હબ બનાવવાના સંકલ્પ સાથે...

                            તત્વિનિટી (Tatvinity)  – કનેક્ટ ટુ ધી ઈનફિનાઈટ

બિઝનેસમાં સફળતા સાથે ચેતનાનો સંવાદ: કૃતિ ત્રિવેદી દ્વારા 'તત્વિનિટી...

પાંચ વર્ષની પૂર્ણાહૂતિ પર ઝિગલી પૅટ કેરે વાર્ષિક હેલ્થ...

• પપી, એડલ્ટ અને વધુ ઉંમરના શ્વાનની સંભાળ માટેના...

પ્રતિક્રમણ એટલે સંસારી જીવ ફરી એકવાર પોતાનામાં વૈરાગ્ય ભાવનું...

સદગુરુ કૃપા હી કેવલમ. પ્રતિક્રમણપરિચય ફાલ્ગુની વસાવડા.શીર્ષક પ્રાસંગિક. પ્રતિક્રમણ એટલે...

ભારતીય નૌકાદળના વડાએ કેનબેરામાં ઓસ્ટ્રેલિયન સમકક્ષને મળ્યા, દરિયાઈ સહયોગને...

કેનબેરા, 11 સપ્ટેમ્બર (IANS) નૌકાદળના વડા (સીએનએસ) એડમિરલ કૃષ્ણા...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here