Thursday, May 15, 2025
HomeGujaratખેડૂત આંદોલન: શાકભાજીના ભાવ ડબલ થયા, ગૃહિણીઓ પરેશાન

ખેડૂત આંદોલન: શાકભાજીના ભાવ ડબલ થયા, ગૃહિણીઓ પરેશાન

Date:

spot_img

Related stories

તાલુકા આરોગ્ય કચેરી વિરમગામ ખાતે રક્તદાન કેમ્પ યોજાયો :...

અમદાવાદ જિલ્લા પંચાયત હસ્તક આરોગ્ય વિભાગ દ્વારા વિવિધ તાલુકા...

ભારતમાં ડિજિટલ મનોરંજનમાં પરિવર્તન લાવવા માટે ઓટીટીપ્લે પ્રીમિયમ અને...

ભારતના અગ્રણી ઓટીટી કન્ટેન્ટ એગ્રીગેટર, ઓટીટી પ્લે પ્રીમિયમે જીટીપીએલ...

સુરતમાં ‘ઓપરેશન સિંદૂર’ના વિજયની આન, બાન, શાનથી ઉજવણી થશે...

પહલગામમાં આતંકી હુમલા બાદ ભારતીય સેનાએ પાકિસ્તાન વિરૂદ્ધ કરેલા...

પીએનબી હાઉસિંગ ફાઈનાન્સે નવા ફિક્સ્ડ રેટ નોન-હોમ લોન પ્રોડક્ટ...

ભારતની ત્રીજી સૌથી મોટી હાઉસિંગ ફાઇનાન્સ કંપની પીએનબી હાઉસિંગ...

વર્તમાન બજાર સ્થિતિમાં ફ્લેક્સિ કેપ ફંડ્સ રોકાણકારો માટે સ્માર્ટ...

ભારતીય શેરબજાર અત્યારે સાવચેતી સાથે આશાવાદી તબક્કામાં છે. ભારત...

ફેડએક્સ ભુજ નાના અને મધ્યમ ઉદ્યોગોને મોટું વિચારવા અને...

ફેડરલ એક્સપ્રેસ કોર્પોરેશન ("ફેડએક્સ"), વિશ્વની સૌથી મોટી એક્સપ્રેસ ટ્રાન્સપોર્ટેશન...
spot_img

છેલ્લા થોડા દિવસોથી દેશના જુદા-જુદા ભાગોમાં ખેડૂતો કેંદ્ર સરકારની ખેડૂત વિરોધી નીતિનો ઉગ્ર વિરોધ કરી રહ્યા છે જેના પગલે શાકભાજીના ભાવ આકાશને આંબ્યા છે. સુરતમાં દરેક શાકભાજીના ભાવ લગભગ બમણા થઈ ગયા છે. APMCએ જણાવ્યું કે, ખેડૂતોના આંદોલનની અસર અન્ય રાજ્યોમાંથી આવતી શાકભાજીના ભાવો પર પણ પડી છે. આગામી દિવસોમાં હજુ શાકના ભાવમાં વધારો થવાની શક્યતા છે.શાકભાજીનો નવો સ્ટોક ન આવતો હોવાથી ડાયમંડ સિટી સુરતમાં છૂટક વેચાતા શાકના ભાવમાં લગભગ 10-20 રૂપિયા પ્રતિ કિલો વધ્યા છે. ડાબેરીઓએ 5 જૂનથી આંદોલન વધુ ઉગ્ર બનાવવાની આપેલી ધમકીના પગલે હાલના તબક્કે સ્થિતિ સુધરવાના કોઈ અણસાર નથી. ખેડૂતોના વિવિધ સંગઠનોએ દેશના 22 રાજ્યોમાં 10 દિવસના આંદોલનની જાહેરાત કરી છે. સાથે જ તેમના ઉત્પાદનના ષોષણક્ષમ ભાવ મળે, સ્વામીનાથન કમિશનની ભલામણોનો અમલ થાય અને ખેડૂતોની લોન માફ થાય તેવી માગ કરી છે.સુરત APMCના વેપારી ભાણા પટેલે કહ્યું કે, “આંદોલનના કારણે પાડોશી રાજ્યોમાંથી આવતા શાકભાજીના સપ્લાય પર અસર પડી છે. છેલ્લા થોડા દિવસોમાં શાકભાજીના ભાવમાં લગભગ 100 ટકા વધારો થયો છે.” ફ્લાવરની હોલસેલ કિંમતમાં પ્રતિ 20 કિલો 250 રૂપિયા વધ્યા છે. રીંગણના ભાવ પ્રતિ 20 કિલોએ 200 રૂપિયા, ટામેટાંના ભાવમાં 200 રૂપિયા, ભીંડાના ભાવમાં 500 રૂપિયા અને પ્રતિ 20 કિલો ડુંગળીના ભાવ 60 રૂપિયા વધ્યા છે.પાલનપુર પાટિયા માર્કેટના છૂટક વેપારી માનારામ ચૌધરીએ જણાવ્યું કે, “શાકભાજીના વધતા ભાવના કારણે ગ્રાહકો અમારા પર ગુસ્સે થાય છે. હોલસેલ માર્કેટમાં આવતા શાકભાજીના ભાવ વધારે હોવાથી છૂટક વેચાતા શાકભાજીના ભાવ અમારે નાછૂટકે વધારવા પડે છે.”અડાજણ વિસ્તારના ગૃહિણી રેખા નામ્બિયારે કહ્યું કે, “ખેડૂતોની હડતાલને કારણે અમારું માસિક બજેટ ખોરવાયું છે. મધ્યમવર્ગીય પરિવારોને મોંઘા શાકભાજી પોસાતા નથી. અમે તો બસ એટલી પ્રાર્થના કરીએ છીએ કે જલ્દી જ આ આંદોલન સમેટાઈ જાય.”

તાલુકા આરોગ્ય કચેરી વિરમગામ ખાતે રક્તદાન કેમ્પ યોજાયો :...

અમદાવાદ જિલ્લા પંચાયત હસ્તક આરોગ્ય વિભાગ દ્વારા વિવિધ તાલુકા...

ભારતમાં ડિજિટલ મનોરંજનમાં પરિવર્તન લાવવા માટે ઓટીટીપ્લે પ્રીમિયમ અને...

ભારતના અગ્રણી ઓટીટી કન્ટેન્ટ એગ્રીગેટર, ઓટીટી પ્લે પ્રીમિયમે જીટીપીએલ...

સુરતમાં ‘ઓપરેશન સિંદૂર’ના વિજયની આન, બાન, શાનથી ઉજવણી થશે...

પહલગામમાં આતંકી હુમલા બાદ ભારતીય સેનાએ પાકિસ્તાન વિરૂદ્ધ કરેલા...

પીએનબી હાઉસિંગ ફાઈનાન્સે નવા ફિક્સ્ડ રેટ નોન-હોમ લોન પ્રોડક્ટ...

ભારતની ત્રીજી સૌથી મોટી હાઉસિંગ ફાઇનાન્સ કંપની પીએનબી હાઉસિંગ...

વર્તમાન બજાર સ્થિતિમાં ફ્લેક્સિ કેપ ફંડ્સ રોકાણકારો માટે સ્માર્ટ...

ભારતીય શેરબજાર અત્યારે સાવચેતી સાથે આશાવાદી તબક્કામાં છે. ભારત...

ફેડએક્સ ભુજ નાના અને મધ્યમ ઉદ્યોગોને મોટું વિચારવા અને...

ફેડરલ એક્સપ્રેસ કોર્પોરેશન ("ફેડએક્સ"), વિશ્વની સૌથી મોટી એક્સપ્રેસ ટ્રાન્સપોર્ટેશન...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here