Sunday, February 23, 2025
HomeGujaratAhmedabadગુજરાતમાં ડોક્ટરોની હડતાળથી તબીબી વ્યવસ્થા બીમાર : 15000 ઓપીડી, 2500થી વધુ ઓપરેશન...

ગુજરાતમાં ડોક્ટરોની હડતાળથી તબીબી વ્યવસ્થા બીમાર : 15000 ઓપીડી, 2500થી વધુ ઓપરેશન રદ

Date:

spot_img

Related stories

ઇન્દુલાલ યાજ્ઞિકની ૧૩૩મી જન્મજયંતી નિમિત્તે ગુજરાત વિધાનસભા ખાતે પુષ્પાંજલિ...

'ઇન્દુચાચા'ના હુલામણા નામથી જાણીતા સ્વાતંત્ર્ય સેનાની શ્રી ઇન્દુલાલ યાજ્ઞિકની...

અમદાવાદ શહેરમાં રેશનકાર્ડ ધારકો માટે ઇ-કેવાયસીની સુવિધાનો પોસ્ટ ઓફિસ...

રેશન કાર્ડના લાભાર્થીઓના ઇ-કેવાયસીની પ્રક્રિયા ઝડપથી પૂર્ણ કરવા માટે...

સપ્તાહ દરમિયાન ચાંદીના વાયદાના ભાવમાં રૂ.1,880નો ઉછાળોઃ સોનાના વાયદામાં...

ક્રૂડ તેલના વાયદામાં સેંકડા વધ્યાઃ કોટન-ખાંડી વાયદામાં રૂ.380ની વૃદ્ધિઃ...

દરેક વિદ્યાર્થી જો નીતિપૂર્વક પરીક્ષાઓ આપે તો ભારતનું ભવિષ્ય...

માધ્યમિક શિક્ષણ બોર્ડ તરફથી ધોરણ 10 ની પરીક્ષાઓ શરૂ...

જાવાએ ભારતીય માર્ગો પર એક વર્ષની ઊજવણી કરવા માટે...

એક વર્ષ પહેલા જાવા 350એ ભારતમાં ક્લાસિક મોટરસાઇકલિંગની ચમક...

જેએસડબલ્યુ ગ્રૂપના ચેરમેન સજ્જન જિંદાલને એઆઇએમએ મેનેજિંગ ઇન્ડિયા એવોર્ડ્સમાં...

જેએસડબલ્યુ ગ્રૂપના ચેરમેન સજ્જન જિંદાલને 15માં એઆઇએમએ મેનેજિંગ ઇન્ડિયા...
spot_img

કોલકાતાની મેડિકલ કોલેજમાં જુનિયર મહિલા ડોક્ટર પર દુષ્કર્મ-હત્યા ઘટનાના વિરોધમાં અમદાવાદની 1500થી વધુ ખાનગી હોસ્પિટલોએ હડતાળ પાડી હતી. જેના પગલે 15 હજાર જેટલી ઓ.પી.ડી. અને બે હજારથી વધુ પ્લાન્ડ સર્જરી રદ કરવામાં આવ હતી. ખાનગી હોસ્પિટલોમાં ઓ.પી.ડી.-સારવાર આજ (18મી ઑગસ્ટ)થી રાબેતા મુજબ શરૂ થશે. બીજી તરફ સરકારી હોસ્પિટલોમાં પણ ઓ.પી.ડી. અને ઓપરેશનમાં 40 ટકાથી વધુનો ઘટાડો નોંધાયો હતો.

ડોક્ટરોની હડાતાળથી દર્દીઓને હાલાકી :
કોલકાતામાં મહિલા જુનિયર ડોક્ટર સાથે બનેલી ઘટનાના દેશભરમાં ઘેરા પડથા પડ્યા છે. જેના વિરોધમાં રાજ્યભરના ડોક્ટરો જોડાયા છે. મહિલા ડોક્ટર સાથે બનેલી ઘટનાના વિરોધમાં ડોક્ટરો રસ્તા પર ઉતર્યા હતા. જેના કારણે વાયરલ ફીવરના તબીબી સારવાર ખોરવાતા દર્દીઓને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. અમદાવાદની અસારવા સિવિલ હોસ્પિટલમાં સામાન્ય રીતે શનિવારે 2200 જેટલી ઓ.પી.ડી. થતી હોય છે. જુનિયર ડોક્ટરોની હડતાળને પગલે સર્જરીમાં પણ અસર જોવા મળી હતી. સામાન્ય રીતે શનિવારે 40થી વધુ ઓપરેશન થતાં હોય છે. જેની સામે આજે 22 જેટલા ઓપરેશન થયા હતા. હડતાળને પગલે સોલા સિવિલમાં ઓપીડીમાં સામાન્ય ઘટાડો જોવા મળ્યો હતો. આજેસોલા સિવિલમાં 700 જેટલા ઓપરેશન રદ કરાયા હતા. ઈમરજન્સીમાં આવનારા દર્દીઓને સમસ્યા નડે નહીં તેના માટે ખાસ તકેદારી રાખી હતી. દિવસ દરમિયાન 3 હજાર લોકોને ઈમરજન્સી સારવાર અપાઈ હતી. બીજી તરફ ઈન્ડિયન મેડિકલ એસોસિયેશનની ગુજરાત બ્રાન્ચે કોલકાતામાં બનેલી ઘટના ડોક્ટરોના સુરક્ષા બિલની માગણી કરાઈ છે.અમદાવાદ મેડિકલ એસોસિયેશનના ડો. મુકેશ મહેશ્વરીએ જણાવ્યું કે, ‘શનિવારે સવારે ઈન્કમટેક્સ સુધારેલી યોજવામાં આવી હતી. જેમાં એક હજારથી વધુ ડોક્ટરો ન્યાય આપવાની માગ સાથેના બેનર લઈને જોડાયા હતા. સાંજે 600થી વધુ ડોક્ટરો એકત્ર થયા હતા અને કેન્ડલ માર્ચમાં ભાગ લીધો હતો.’ હાલ વાયરલ ઈન્ફેક્શન, મચ્છરજન્ય રોગનો રાફડો ફાટ્યો છે. ત્યારે ડોક્ટરોને હડતાળથી દર્દીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડયો હતો. શરદી-તાવ ધરાવતા સેંકડો દર્દીઓ પોતાની રીતે જાતે જ દવા લેવા માટે મજબૂર બન્યા હતા. આજથી ઓ.પી.ડી. રાબેતા મુજબ શરૂ થતાં હોસ્પિટલ-ક્લિનિકમાં દર્દીઓની લાંબી લાઇન જોવા મળશે.કોલકાતામાં મહિલા ડોક્ટરો સાથે થયેલા દુષ્કર્મ-હત્યા જેવી ઘટનાનું પુનરાવર્તન અમદાવાદની અસારવા સિવિલ હોસ્પિટલમાં થાય નહીં તેના માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવેલી છે. સિવિલ હોસ્પિટલના સુપ્રિટેન્ડન્ટ ડો. રાકેશ જોશીએ જણાવ્યું કે, ‘હોસ્પિટલની તમામ જગ્યા પર લાઇટિંગ વધારી દેવામાં આવેલું છે. જૂના ટ્રોમા સેન્ટર સામેની કેન્ટિનમાં અસામાજિક તત્ત્વો બેસી રહેતા હતા. જેના કારણે તેને બંધ કરી દેવામાં આવી છે. પીજી હોસ્ટેલ પાસે રાત્રે પણ પોલીસની શી ટીમ તહેનાત રહેશે. રાત્રિના મહિલા ડોક્ટરો ઈમરજન્સીમાં જાય તો તેમની સાથે શી ટીમ પણ રહેશે. લોકલ પેટ્રોલિંગ-પોલીસ પેટ્રોલિંગ વધારવામાં આવ્યું છે. સ્પીડ બ્રેકર વધારવામાં આવ્યા છે? જેથી કોઇ છેડતી કરીને ભાગતું હોય તો ઝડપી શકાય. ટ્રોમા ટ્રોમા સેન્ટર અને આઈસીયુમાં દર્દી એક જ રહેશે અને તેમની સાથે વધારાને સગા નહીં આવવા દેવામાં આવે.’

ઇન્દુલાલ યાજ્ઞિકની ૧૩૩મી જન્મજયંતી નિમિત્તે ગુજરાત વિધાનસભા ખાતે પુષ્પાંજલિ...

'ઇન્દુચાચા'ના હુલામણા નામથી જાણીતા સ્વાતંત્ર્ય સેનાની શ્રી ઇન્દુલાલ યાજ્ઞિકની...

અમદાવાદ શહેરમાં રેશનકાર્ડ ધારકો માટે ઇ-કેવાયસીની સુવિધાનો પોસ્ટ ઓફિસ...

રેશન કાર્ડના લાભાર્થીઓના ઇ-કેવાયસીની પ્રક્રિયા ઝડપથી પૂર્ણ કરવા માટે...

સપ્તાહ દરમિયાન ચાંદીના વાયદાના ભાવમાં રૂ.1,880નો ઉછાળોઃ સોનાના વાયદામાં...

ક્રૂડ તેલના વાયદામાં સેંકડા વધ્યાઃ કોટન-ખાંડી વાયદામાં રૂ.380ની વૃદ્ધિઃ...

દરેક વિદ્યાર્થી જો નીતિપૂર્વક પરીક્ષાઓ આપે તો ભારતનું ભવિષ્ય...

માધ્યમિક શિક્ષણ બોર્ડ તરફથી ધોરણ 10 ની પરીક્ષાઓ શરૂ...

જાવાએ ભારતીય માર્ગો પર એક વર્ષની ઊજવણી કરવા માટે...

એક વર્ષ પહેલા જાવા 350એ ભારતમાં ક્લાસિક મોટરસાઇકલિંગની ચમક...

જેએસડબલ્યુ ગ્રૂપના ચેરમેન સજ્જન જિંદાલને એઆઇએમએ મેનેજિંગ ઇન્ડિયા એવોર્ડ્સમાં...

જેએસડબલ્યુ ગ્રૂપના ચેરમેન સજ્જન જિંદાલને 15માં એઆઇએમએ મેનેજિંગ ઇન્ડિયા...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here