Sunday, April 20, 2025
HomeGujaratAhmedabadગુજરાતમાં લોકોએ ડી.જે.ના તાલ વગર સાયલન્ટ ઉત્તરાયણ ઊજવી

ગુજરાતમાં લોકોએ ડી.જે.ના તાલ વગર સાયલન્ટ ઉત્તરાયણ ઊજવી

Date:

spot_img

Related stories

મણિનગર ચેટીચંડ કમિટી દ્વારા ભગવાન ઝૂલેલાલનો ભવ્ય સંગીત કાર્યક્રમ...

આ કમિટી દ્વારા છેલ્લા સાથ વર્ષથી ભગવાન ઝૂલેલાલની શોભાયાત્રા...

અમદાવાદનાં અમરાઈવાડી ખાતે આવેલ શ્રી નાગરવેલ હનુમાન મંદિરમાં ...

અમદાવાદનાં અમરાઈવાડી-રખિયાલ રોડ પર આવેલ શ્રી નાગરવેલ હનુમાન મંદિરના...

આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ, ડેટા સાયન્સ અને કમ્પ્યુટર કૉન્સેપ્ટ્સ પર કૌશલ...

આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ, ડેટા સાયન્સ અને કમ્પ્યુટર કૉન્સેપ્ટ્સ પર કૌશલ...

બંધન બેંકે સમૃદ્ધ ગ્રાહકો માટે એલીટ પ્લસ સેવિંગ્સ એકાઉન્ટ...

દેશભરમાં ઉપસ્થિતિ ધરાવતી બંધન બેંકે એલીટ પ્લસ સેવિંગ્સ એકાઉન્ટ...

વિશ્વનું સૌથી મોટી હોમિયોપેથી કોન્ફરન્સ ગુજરાતમાં યોજાશે

આ વખતે હોમિયોપેથીના પિતા ડૉ. સેમ્યુઅલ હેનેમેનના જન્મજયંતિ નિમિત્તે...

પિયુષ ગોયલ 13 એપ્રિલે યશોભૂમિ ખાતે ભારતના સૌથી મોટા...

ભારતનું સૌથી મોટું બિલ્ડિંગ મટીરીયલ અને કન્સ્ટ્રક્શન એક્સપો –...
spot_img

અમદાવાદ: ગુજરાતમાં ખાસ કરીને મહાનગરોમાં ઉત્તરાયણના બે દિવસ દરમિયાન મકાન કે સોસાયટીના કોમન ધાબે બહારના લોકોને બોલાવીને કે ડી.જે. ના ઘોંઘાટ તેમ જ સોસિયલ ડિસ્ટન્સિંગ સાથે પંતગબાજી ન કરવાના સરકાર આદેશને પગલે ઘણાં વર્ષો બાદ પહેલીવાર અમદાવાદ સહિતના નગરોમાં લોકોએ સાયલન્ટ ઉત્તરાયણ ઊજવી હતી. જોકે પરંરાગત પીપુડા વગાડવાની સાથે કા…ઇ પો ….છે… ની કિકિયારીઓ સાથે પતંગબાજો ઉત્તરાયણ ઊજવી હતી જ્યારે સવારે ગાય પૂજન અને અને દર્શનના પરંપરાગત રીવાજોનું પાલન પણ કરવામાં આવ્યું હતુ. તેમજ લોકોએ સીંગ અને તલની ચીક્કી અને ઊંધિયા જલેબીની જયાફત પણ માણી હતી. અમદાવાદમાં પહેલીવાર અવાજ વિનાની ઉત્તરાયણ જોવા મળી હતી. વહેલી સવારથી બાળકો ધાબા પર ચડી ગયા હતા. જો કે ઠંડીની સાથે સારો પવન હોવાથી પતંગની મોજ પડી ગઈ હતી. બાળકો રંગબેરંગી ફુગ્ગા અને અલગ અલગ પીપૂડા સાથે પતંગના પેચ લડાવવા લાગ્યા હતા. જ્યારે વડીલો પણ વહેલી સવારે મંદિરોમાં દર્શન કરવા પહોંચી ગયા હતા. તેમજ ઠેર ઠેર ગાયોને પૂળો મકાઈ અને ગરીબોને દાન આપતા જોવા મળ્યા હતા. ઘણા લોકોએ બાળકોને તલ-ચીકીનું પણ વિતરણ કર્યું હતું. જ્યારે શહેરના પોળ વિસ્તારમાં કોરોના મહામારીની વચ્ચે મહેમાનો વગર ઉત્તરાયણની ઉજવણી જોવા મળી હતી. પોલીસે કેટલાક ઠેકાણે ધાબા પર પોઇન્ટ ગોઠવીને કોરોના ગાઇડ લાઇના પાલન પર નજર રાખી હતી.અમદાવાદમાં દર વર્ષે ઉત્તરાયણ પર ઘર દીઠ ૧૫-૨૦ જેટલા મિત્રો અને કુટુંબીજનો ભેગા થતા હોય છે. આ વખતે કોરોનાને કારણે પરિવાર સિવાયના લોકોને ધાબે ભેગા થવા પર પ્રતિબંધ હોવાથી શહેરીજનોએ માત્ર પરિવાર સાથે જ ઉત્તરાયણ ઊજવી હતી. શહેરના સેટેલાઈટ, વસ્ત્રાપુર, સરખેજ, રાણીપ, બોપલ, ચાંદખેડા, નારણપુરા, ઈસનપુર, નિકોલ, નરોડા, બાપુનગર, વસ્ત્રાલ સહિતના વિસ્તારોમાં રહેતાં લોકો માત્ર પોતાના ટેરેસ પર જ ફેમિલી પાર્ટી અને પતંગ ઉડાવી સંતોષ માન્યો હતો.

મણિનગર ચેટીચંડ કમિટી દ્વારા ભગવાન ઝૂલેલાલનો ભવ્ય સંગીત કાર્યક્રમ...

આ કમિટી દ્વારા છેલ્લા સાથ વર્ષથી ભગવાન ઝૂલેલાલની શોભાયાત્રા...

અમદાવાદનાં અમરાઈવાડી ખાતે આવેલ શ્રી નાગરવેલ હનુમાન મંદિરમાં ...

અમદાવાદનાં અમરાઈવાડી-રખિયાલ રોડ પર આવેલ શ્રી નાગરવેલ હનુમાન મંદિરના...

આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ, ડેટા સાયન્સ અને કમ્પ્યુટર કૉન્સેપ્ટ્સ પર કૌશલ...

આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ, ડેટા સાયન્સ અને કમ્પ્યુટર કૉન્સેપ્ટ્સ પર કૌશલ...

બંધન બેંકે સમૃદ્ધ ગ્રાહકો માટે એલીટ પ્લસ સેવિંગ્સ એકાઉન્ટ...

દેશભરમાં ઉપસ્થિતિ ધરાવતી બંધન બેંકે એલીટ પ્લસ સેવિંગ્સ એકાઉન્ટ...

વિશ્વનું સૌથી મોટી હોમિયોપેથી કોન્ફરન્સ ગુજરાતમાં યોજાશે

આ વખતે હોમિયોપેથીના પિતા ડૉ. સેમ્યુઅલ હેનેમેનના જન્મજયંતિ નિમિત્તે...

પિયુષ ગોયલ 13 એપ્રિલે યશોભૂમિ ખાતે ભારતના સૌથી મોટા...

ભારતનું સૌથી મોટું બિલ્ડિંગ મટીરીયલ અને કન્સ્ટ્રક્શન એક્સપો –...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here