Sunday, February 23, 2025
Homenationalમુઝફ્ફરપુરકાંડ: છોકરીઓ બેભાન થઈ જાય ત્યાં સુધી બળાત્કાર કરતા

મુઝફ્ફરપુરકાંડ: છોકરીઓ બેભાન થઈ જાય ત્યાં સુધી બળાત્કાર કરતા

Date:

spot_img

Related stories

ઇન્દુલાલ યાજ્ઞિકની ૧૩૩મી જન્મજયંતી નિમિત્તે ગુજરાત વિધાનસભા ખાતે પુષ્પાંજલિ...

'ઇન્દુચાચા'ના હુલામણા નામથી જાણીતા સ્વાતંત્ર્ય સેનાની શ્રી ઇન્દુલાલ યાજ્ઞિકની...

અમદાવાદ શહેરમાં રેશનકાર્ડ ધારકો માટે ઇ-કેવાયસીની સુવિધાનો પોસ્ટ ઓફિસ...

રેશન કાર્ડના લાભાર્થીઓના ઇ-કેવાયસીની પ્રક્રિયા ઝડપથી પૂર્ણ કરવા માટે...

સપ્તાહ દરમિયાન ચાંદીના વાયદાના ભાવમાં રૂ.1,880નો ઉછાળોઃ સોનાના વાયદામાં...

ક્રૂડ તેલના વાયદામાં સેંકડા વધ્યાઃ કોટન-ખાંડી વાયદામાં રૂ.380ની વૃદ્ધિઃ...

દરેક વિદ્યાર્થી જો નીતિપૂર્વક પરીક્ષાઓ આપે તો ભારતનું ભવિષ્ય...

માધ્યમિક શિક્ષણ બોર્ડ તરફથી ધોરણ 10 ની પરીક્ષાઓ શરૂ...

જાવાએ ભારતીય માર્ગો પર એક વર્ષની ઊજવણી કરવા માટે...

એક વર્ષ પહેલા જાવા 350એ ભારતમાં ક્લાસિક મોટરસાઇકલિંગની ચમક...

જેએસડબલ્યુ ગ્રૂપના ચેરમેન સજ્જન જિંદાલને એઆઇએમએ મેનેજિંગ ઇન્ડિયા એવોર્ડ્સમાં...

જેએસડબલ્યુ ગ્રૂપના ચેરમેન સજ્જન જિંદાલને 15માં એઆઇએમએ મેનેજિંગ ઇન્ડિયા...
spot_img
Muzaffarpur shelter home: Details of sex abuse incidents 'horrible, scary', says SC
Muzaffarpur shelter home: Details of sex abuse incidents ‘horrible, scary’, says SC

આ કેસમાં તપાસ કરતી સીબીઆઇએ રજૂ કરેલા રિપોર્ટની સુપ્રીમ કોર્ટે ગંભીર નોંધ લીધી: ૩૦મીએ વધુ સુનાવણી

નવી દિલ્હી: મુઝફ્ફરપુર શેલ્ટર હોમ કેસમાં સીબીઆઇએ આપેલાં રિપોર્ટની વિગતો જોઇને સુપ્રીમ કોર્ટ પણ હચમચી ગઇ છે. તેણે આ ઘટનાને ‘ત્રાસદાયક’, ‘ભયાવહ’ અને ‘બિહામણું’ ગણાવીને તેની ગંભીર નોંધ લીધી છે. આ આશ્રય ગૃહમાં અનેક છોકરીઓ પર કથિતરીતે બળાત્કાર અને જાતીય સતામણીનો આરોપ છે. સુપ્રીમે આ રિપોર્ટમાં મળેલી વિગતો અંગે જણાવ્યું કે એમાં અનેક ‘આઘાતજનક’ બાબતો જાણવા મળી છે. છોકરીઓ બેભાન થાય થઇ જાય ત્યાં સુધી તેમની સાથે દુષ્કર્મ આચરવામાં આવતું હોવાની વિગતો મળી છે. આમ બિહારમાં સુશાસનનો દાવો કરતી નીતિશ કુમારની સરકાર પર કાળી ટીલી લાગી છે. કોર્ટે જણાવ્યું હતું કે ‘બાળકો પર આવું જુલમ? શું થઇ રહ્યું છે? આ ભયાનક છે. આ કેસના મુખ્ય આરોપી બ્રજેશ ઠાકુર સામે સીબીઆઇએ મુકેલા આરોપો ‘અત્યંત ગંભીર’ છે.’

જસ્ટિસ મદન બી લોકુરની આગેવાની હેઠળની બેન્ચે સીબીઆઇ અને બિહાર સરકારને આદેશ કર્યો છે કે રાજ્યના પૂર્વ મંત્રી મંજૂ વર્માના પતિ ચંદ્રશેખર વર્માનો પત્તો શોધવામાં થયેલા વિલંબ અંગે જણાવવા માટે સ્ટેટસ રિપોર્ટ ફાઇલ કરે.

સુપ્રીમે ગત મહિને પૂર્વ મંત્રી અને તેમના પતિ પાસેથી મળેલા શસ્ત્રોના મોટા જથ્થાની થયેલી કથિત રિકવરીમાં તપાસનો આદેશ આપ્યો હતો. આ કેસને પગલે મંજૂ વર્માએ સામાજિક કલ્યાણ મંત્રી તરીકે રાજીનામું આપ્યું હતું. તેમના પતિએ આ વર્ષે જાન્યુઆરી અને જૂન દરમિયાન ઠાકુર સાથે કથિતરીતે અનેક વખત વાતચીત કરી હતી.

સુના‌વણીમાં કોર્ટે જણાવ્યું હતું કે ઠાકુર એક વગદાર વ્યક્તિ છે અને સીબીઆઇ મુજબ તેની પાસે જેલની અંદર મોબાઇલ ફોન મળી આવ્યો હતો. પ્રથમદ્રષ્ટિએ એવું લાગે છે કે ઠાકુરને બિહારમાં જેલમાં રાખવો યોગ્ય નથી. કોર્ટે કહ્યું હતું કે ‘ઠાકુરની જેલની કસ્ટડી અન્ય રાજ્યમાં ટ્રાંસફર કેમ ન કરાઇ તે જાણવા અંગે શો કોઝ નોટિસ જારી કરો.’ આ કેસની સુનાવણી હવે ૩૦ ઓક્ટોબર પર રાખવામાં આવી છે.

બેન્ચે એવું પણ કહ્યું હતું કે આ કેસની તપાસ કરી રહેલી સીબીઆઇની ટીમને બદલવી ન જોઇએ. આ મામલે કોર્ટને એમિકસ ક્યૂરે તરીકે મદદ કરી રહેલાં એડવોકેટ અપર્ણા ભટે કહ્યું હતું કે આ કેસમાં અત્યારસુધી ૧૭ વ્યક્તિઓની ધરપકડ કરાઇ છે અને સ્ટેટસ રિપોર્ટમાં સીબીઆઇએ આપેલી વિગતો ‘દુખદ’ છે. આના જવાબમાં બેન્ચે કહ્યું હતું કે ‘દુખદ’? આ અત્યંત દુખદ છે. આ ભયાવહ છે. આ ત્રાસદાયક છે. તમારી રાજ્ય સરકાર શું કરી રહી છે ? તેમ બેન્ચે બિહાર સરકાર વતી હાજર વકીલ રણજીત કુમારને કહ્યું હતું.

સીબીઆઇએ કોર્ટને માહિતી આપી હતી કે રાજ્યના સામાજિક કલ્યાણ વિભાગે કેવીરીતે ઠાકુર દ્વારા ચલાવાતા શેલ્ટર હોમમાંથી થોડીક છોકરીઓને કેવીરીતે શિફ્ટ કરી હતી તેમાં પણ તપાસ કરી રહી છે. શેલ્ટર હોમમાં ૩૦થી વધુ છોકરીઓ પર બળાત્કાર થયો છે. જેમાં છોકરીઓને રાખવામાં આવતી હતી તે ઠાકુરની ચાર માળની ઇમારતની સત્તાવાર મંજૂરી સાથેની છે કે કેમ તેની પણ તપાસ કરવા આદેશ કરાયો છે.

ઇન્દુલાલ યાજ્ઞિકની ૧૩૩મી જન્મજયંતી નિમિત્તે ગુજરાત વિધાનસભા ખાતે પુષ્પાંજલિ...

'ઇન્દુચાચા'ના હુલામણા નામથી જાણીતા સ્વાતંત્ર્ય સેનાની શ્રી ઇન્દુલાલ યાજ્ઞિકની...

અમદાવાદ શહેરમાં રેશનકાર્ડ ધારકો માટે ઇ-કેવાયસીની સુવિધાનો પોસ્ટ ઓફિસ...

રેશન કાર્ડના લાભાર્થીઓના ઇ-કેવાયસીની પ્રક્રિયા ઝડપથી પૂર્ણ કરવા માટે...

સપ્તાહ દરમિયાન ચાંદીના વાયદાના ભાવમાં રૂ.1,880નો ઉછાળોઃ સોનાના વાયદામાં...

ક્રૂડ તેલના વાયદામાં સેંકડા વધ્યાઃ કોટન-ખાંડી વાયદામાં રૂ.380ની વૃદ્ધિઃ...

દરેક વિદ્યાર્થી જો નીતિપૂર્વક પરીક્ષાઓ આપે તો ભારતનું ભવિષ્ય...

માધ્યમિક શિક્ષણ બોર્ડ તરફથી ધોરણ 10 ની પરીક્ષાઓ શરૂ...

જાવાએ ભારતીય માર્ગો પર એક વર્ષની ઊજવણી કરવા માટે...

એક વર્ષ પહેલા જાવા 350એ ભારતમાં ક્લાસિક મોટરસાઇકલિંગની ચમક...

જેએસડબલ્યુ ગ્રૂપના ચેરમેન સજ્જન જિંદાલને એઆઇએમએ મેનેજિંગ ઇન્ડિયા એવોર્ડ્સમાં...

જેએસડબલ્યુ ગ્રૂપના ચેરમેન સજ્જન જિંદાલને 15માં એઆઇએમએ મેનેજિંગ ઇન્ડિયા...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here