Monday, February 24, 2025
Homenationalસુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદોઃ આરોપી નેતાઓને ચૂંટણી લડતાં ન રોકી શકાય

સુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદોઃ આરોપી નેતાઓને ચૂંટણી લડતાં ન રોકી શકાય

Date:

spot_img

Related stories

પાંચજન્ય આયોજિત સાબરમતી સંવાદમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની પ્રેરક...

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે પાંચજન્ય આયોજિત સાબરમતી સંવાદનું સમાપન...

સોના-ચાંદીના વાયદામાં સામસામા રાહઃ સોનાના વાયદામાં રૂ.236ની વૃદ્ધિ, ચાંદીમાં...

ક્રૂડ તેલ અને નેચરલ ગેસના વાયદાના ભાવમાં ઘટાડોઃ મેન્થા...

કાળઝાળ ગરમીમાં શેકાવા થઈ જાવ તૈયાર: દરિયાકાંઠાના વિસ્તારોમાં ગરમી...

ફેબ્રુઆરી મહિનામાં જ કાળઝાળ ગરમીની શરૂઆત થઈ ગઈ છે....

અમદાવાદ મંડળ પર રાજભાષા કાર્યાન્વયન સમિતિની બેઠકનું આયોજન

અમદાવાદ મંડળની રાજભાષા કાર્યાન્વયન સમિતિની ત્રિમાસિક બેઠક મંડળ રેલ...

બજાજ આલિયાન્ઝ લાઇફ બીમા-એએસબીએ સુવિધા શરૂ કરનાર પ્રથમ વીમા...

ભારતની અગ્રણી ખાનગી જીવન વીમા કંપનીઓ પૈકીની એક બજાજ...

ગોદરેજ એન્ટરપ્રાઇઝિસ ગ્રૂપે દહેજ સુવિધાના વિસ્તરણ માટે રૂ. 200...

ગોદરેજ એન્ટરપ્રાઇઝિસ ગ્રૂપના પ્રોસેસ ઇક્વિપમેન્ટ બિઝનેસે ગુજરાતના દહેજમાં તેની...
spot_img

કલંકિત નેતાઓ ચૂંટણી લડી શકે કે નહીં તે અંગેના ભવિષ્ય પર સુપ્રીમ કોર્ટે મંગળવારે મોટો ચુકાદો આપતાં કહ્યું કે ચાર્જશીટના આધારે જનપ્રતિનિધિઓ પર કાર્યવાહી ન કરી શકાય. ચૂંટણી લડતાં રોકવા માટે માત્ર ચાર્જશીટ જ પૂરતી નથી. એટલે કે સુપ્રીમ કોર્ટે કલંકિત નેતાઓના ચૂંટણી લડવા પર રોક લગાવવાનો ઈન્કાર કર્યો છે. હજુ સુધી આ કાયદા મુજબ ગુનાકિય મામલામાં બે વર્ષથી વધુની સજા થયા બાદ જેલમાંથી બહાર આવ્યા પછી 6 વર્ષની અયોગ્યતાની જોગવાઈ છે, જ્યારે કે કરપ્શન અને NDPSમાં માત્ર દોષિત જાહેર થવું જ પૂરતું છે.

સુપ્રીમ કોર્ટે પોતાના ચુકાદામાં કહ્યું કે સામાન્ય જનતાને પોતાના નેતાઓ અંગે પૂરી જાણકારી હોવી જરૂરી છે. કોર્ટે કહ્યું કે દરેક નેતાએ પોતાના ગુનાહિત રેકોર્ડની જાણકારી ચૂંટણી લડતાં પહેલાં ચૂંટણી પંચને આપવી જોઈએ. કોર્ટે કહ્યું કે આ મુદ્દે સંસદે કાયદો બનાવવો જોઈએ. આ ઉપરાંત તમામ પાર્ટીઓએ પોતાના ઉમેદવારોની જાણકારી પોતાની વેબસાઈટ પર મુકવી પડશે. તો તમામ ઉમેદવારોને ચૂંટણી લડતાં પહેલાં ત્રણ વખત પ્રિન્ટ મીડિયા અને એક વખત ઈલેક્ટ્રોનિક મીડિયામાં પોતાના રેકોર્ડની વિસ્તૃત જાણકારી આપવી પડશે.

પાંચ જજની બંધારણીય બેંચ આપ્યો ચુકાદો

– પાંચ જજની બેંચ આજે રાજકારણમાં ગુનાકિય પ્રવૃતિમાં સામેલ કે આરોપી જાહેર થયેલાંઓ ચૂંટણી લડી શકે કે નહીં તે અંગેનો ચુકાદો આપ્યો હતો.
– જસ્ટિસ દીપક મિશ્રા, જસ્ટિસ આર.એફ.નરિમન, જસ્ટિસ એમ ખાનવિલકર, જસ્ટિસ ડી.વાઇ.ચંદ્રચુડ, જસ્ટિસ ઈંદુ મલ્હોત્રાની બેંચ ચુકાદો જાહેર કર્યો.

– ઓગસ્ટમાં સુપ્રીમ કોર્ટે પોતાના ચુકાદો સુરક્ષિત રાખ્યો હતો.
આ મુદ્દે કોણ છે અરજકર્તા

– આ મુદ્દે NGO પબ્લિક ઈન્ટરેસ્ટ ફાઉન્ડેશન, પૂર્વ મુખ્ય ચૂંટણી કમિશન જેસી લિંગદોહ અને ભાજપના વકીલ અશ્વિની ઉપાધ્યાય છે.

– આ કેસની સુનાવણી દરમિયાન માર્ચ 2016માં સુપ્રીમ કોર્ટે આ મામલો પાંચ જજની બંધારણીય બેંચને વિચાર માટે મોકલ્યો હતો.

અરજકર્તાઓની શું હતી દલીલ?

– અરજકર્તા દ્વારા માંગ કરવામાં આવી હતી કે કોઈ વ્યક્તિને ગંભીર ગુનામાં 5 વર્ષ કે તેથી વધુની સજા મળે અને કોઈ વિરૂદ્ધ આરોપ નક્કી થાય તો તેવી વ્યક્તિ કે નેતાને ચૂંટણી લડવા પર રોક લગાવવામાં આવે.
– આ ઉપરાંત અરજીમાં માગ કરાઈ હતી કે જો કોઈ સાંસદ કે ધારાસભ્ય વિરૂદ્ધ આરોપ નક્કી થાય છે તો તેમનું સભ્યપદ રદ થવું જોઈએ.

શું હતી કેન્દ્ર સરકારની દલીલ

– જ્યારે કાયદો છે તો અદાલત કાયદો ન બનાવી શકે
– નવી અયોગ્યતાઓ જોડવી કોર્ટના અધિકાર ક્ષેત્રમાં નથી.
– આ સંસદનો અધિકાર અને કોર્ટ તેમાં દરમિયાનગીરી ન કરી શકે.
– ચૂંટણી પહેલાં રાજકીય વિરોધીઓ એક બીજા પર કેસ કરી શકે છે.

– ગત સુનાવણીમાં કેન્દ્ર સરકારે પોતાની દલીલમાં કહ્યું હતું કે મોટાં ભાગના મામલાઓમાં આરોપી નેતા નિર્દોષ છૂટે છે, તેથી સભ્યપદ રદ કરવા જેવાં કોઈ આદેશ ન આપવામાં આવે.

કેટલાં નેતાઓ સામે ગુનાકિય કેસ

– 1,518 નેતાઓ પર કેસ, 98 સાંસદ
– 35 પર બળાત્કાર, હત્યા અને અપહરણના આરોપ
– મહારાષ્ટ્રના 65, બિહારના 62, પશ્ચિમ બંગાળના 52 નેતાઓ પર કેસ.

પાંચજન્ય આયોજિત સાબરમતી સંવાદમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની પ્રેરક...

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે પાંચજન્ય આયોજિત સાબરમતી સંવાદનું સમાપન...

સોના-ચાંદીના વાયદામાં સામસામા રાહઃ સોનાના વાયદામાં રૂ.236ની વૃદ્ધિ, ચાંદીમાં...

ક્રૂડ તેલ અને નેચરલ ગેસના વાયદાના ભાવમાં ઘટાડોઃ મેન્થા...

કાળઝાળ ગરમીમાં શેકાવા થઈ જાવ તૈયાર: દરિયાકાંઠાના વિસ્તારોમાં ગરમી...

ફેબ્રુઆરી મહિનામાં જ કાળઝાળ ગરમીની શરૂઆત થઈ ગઈ છે....

અમદાવાદ મંડળ પર રાજભાષા કાર્યાન્વયન સમિતિની બેઠકનું આયોજન

અમદાવાદ મંડળની રાજભાષા કાર્યાન્વયન સમિતિની ત્રિમાસિક બેઠક મંડળ રેલ...

બજાજ આલિયાન્ઝ લાઇફ બીમા-એએસબીએ સુવિધા શરૂ કરનાર પ્રથમ વીમા...

ભારતની અગ્રણી ખાનગી જીવન વીમા કંપનીઓ પૈકીની એક બજાજ...

ગોદરેજ એન્ટરપ્રાઇઝિસ ગ્રૂપે દહેજ સુવિધાના વિસ્તરણ માટે રૂ. 200...

ગોદરેજ એન્ટરપ્રાઇઝિસ ગ્રૂપના પ્રોસેસ ઇક્વિપમેન્ટ બિઝનેસે ગુજરાતના દહેજમાં તેની...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here