Friday, September 20, 2024
HomeIndia6 મહિનામાં 11,00,00,000 શ્રદ્ધાળુઓએ રામમંદિરના કર્યા દર્શન, વારાણસી અને આગ્રા સૌથી લોકપ્રિય

6 મહિનામાં 11,00,00,000 શ્રદ્ધાળુઓએ રામમંદિરના કર્યા દર્શન, વારાણસી અને આગ્રા સૌથી લોકપ્રિય

Date:

spot_img

Related stories

PM મોદીએ રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું, કોંગ્રેસના ‘વારસદાર’...

જમ્મુ-કાશ્મીરમાં 25 સ્પટેમ્બરના રોજ યોજાનાર બીજા તબક્કાના મતદાન પહેલા...

GDPને 5 ટ્રિલિયન સુધી પહોંચાડવાના પોતાના લક્ષ્યાંક માટે દેશમાંથી...

હવે ગ્રોથમાં લંડનની હરીફાઇ કરશે સુરત. જી…હા.. કેન્દ્ર સરકારે...

ગરબાનો થનગનાટ શરૂ: “રાતલડી”- ધ મંડલી ગરબામાં ઢોલના તાલે...

અમદાવાદ : નવરાત્રિ જેમ જેમ નજીક આવી રહી છે...

સુપ્રીમકોર્ટના બે સિનિયર જજોની બેન્ચો વચ્ચે બબાલ, CJIએ કરવી...

નવી દિલ્હીમાં આડેધડ વૃક્ષો કાપવા મામલે દિલ્હી ડેવલપમેન્ટ એસોસિએશન...

કરીનાની નવી ફિલ્મ ફરી રીલિઝ થયેલી તુમ્બાડ કરતાં પાછળ

બોક્સ ઓફિસ પર સર્જાયેલાં એક આશ્ચર્યમાં કરીના કપૂરની નવી...

જાણીતા સિંગર હિમેશ રેશમિયાના પિતાનું નિધન, બોલિવૂડ ઈન્ડસ્ટ્રી શોકમગ્ન,...

તાજેતરમાં મલાઈકા અરોરાના પિતા અનિલ મહેતાનું નિધન થયું હતું...
spot_img

અયોધ્યામાં ભગવાન શ્રી રામનું મંદિર બન્યા બાદ તેની મુલાકાત લેનારાની સંખ્યા સતત વધી રહી છે. મૂર્તિ પ્રતિષ્ઠા પછી એટલે કે જાન્યુઆરીથી જૂન દરમિયાન લગભગ 11 કરોડ શ્રદ્ધાળુએ શ્રી રામલલાના દર્શન કર્યા હતા. પ્રવાસન વિભાગે ઉત્તર પ્રદેશના વિવિધ પ્રવાસન સ્થળોની મુલાકાત લેતા પ્રવાસીઓની સંખ્યા જાહેર કરી છે. અહીંના વિવિધ પ્રવાસન સ્થળોએ આ ગાળામાં કુલ 32.98 કરોડ પ્રવાસી આવ્યા હતા, જ્યારે ગયા વર્ષે આ જ છ મહિનામાં 19.60 કરોડ પ્રવાસીઓ આવ્યા હતા.

વારાણસી અને આગ્રા સૌથી લોકપ્રિય :
ગયા વર્ષની છ માસની સરખામણીએ આ વર્ષે મુલાકાત લેનારા પ્રવાસીઓની સંખ્યા આ વર્ષે 13.38 કરોડ વધી છે. જેમાં 10.36 લાખ વિદેશી પ્રવાસીઓનો સમાવેશ થાય છે. વિદેશી પ્રવાસીઓએ આગ્રા અને વારાણસીની સૌથી વધુ મુલાકાત લીધી છે. તેમાં પણ સૌથી વધુ 7.03 લાખ પ્રવાસીએ આગ્રા અને 1.33 લાખ પ્રવાસીએ વારાણસીની મુલાકાત લીધી હતી. આ અંગે પ્રવાસન મંત્રી જયવીર સિંહે જણાવ્યું હતું કે તાજેતરના વર્ષોમાં રાજ્યમાં પ્રવાસનનો ઝડપથી વિકાસ થયો છે. આ વર્ષે શ્રી રામ જન્મભૂમિ અયોધ્યામાં શ્રી રામલલાના વિસર્જન બાદ પ્રવાસીઓનું આગમન ઝડપથી વધ્યું છે.

જાન્યુઆરીથી જૂન વચ્ચે સૌથી વધુ 10.99 કરોડ પ્રવાસીઓએ અયોધ્યા રામ મંદિરની મુલાકાત લઈને રામલલાના દર્શન કર્યા છે, જેમાં 2,851 વિદેશી પ્રવાસીઓ પણ સામેલ છે. આ ઉપરાંત 4.61 કરોડ પ્રવાસીઓએ વારાણસીની મુલાકાત લીધી હતી, જેમાં 1.33 લાખ વિદેશી પ્રવાસીઓ સામેલ છે. પ્રયાગરાજમાં 4.53 કરોડ પ્રવાસી આવ્યા હતા, જેમાં 3,668 વિદેશી પ્રવાસીઓ પણ સામેલ છે. એવી જ રીતે 49,619 વિદેશી પ્રવાસીઓ સહિત 3.07 કરોડ પ્રવાસીઓએ મથુરાની મુલાકાત લીધી છે.

તાજમહેલ જોવા માટે 76.88 લાખ પ્રવાસીઓ આગ્રાની મુલાકાતે આવ્યા હતા, તો લખનઉની મુલાકાતે આવનારા પ્રવાસીઓની સંખ્યા 35.14 લાખ હતી. જેમાં 7,108 વિદેશી પ્રવાસીઓનો પણ સમાવેશ થાય છે.નોંધનીય છે કે, ઉત્તર પ્રદેશના વિવિધ પ્રવાસન સ્થળોએ ગયા વર્ષે 48 કરોડ પ્રવાસીએ મુલાકાત લીધી હતી. આ વર્ષે પ્રવાસીઓની સંખ્યા 60 કરોડને પાર થવાની આશા છે. પ્રવાસન વિભાગે પ્રવાસીઓની ચોક્કસ સંખ્યા વિશે માહિતી એકત્ર કરવા માટે સર્વે કરવાની વ્યવસ્થા પણ કરી છે.

PM મોદીએ રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું, કોંગ્રેસના ‘વારસદાર’...

જમ્મુ-કાશ્મીરમાં 25 સ્પટેમ્બરના રોજ યોજાનાર બીજા તબક્કાના મતદાન પહેલા...

GDPને 5 ટ્રિલિયન સુધી પહોંચાડવાના પોતાના લક્ષ્યાંક માટે દેશમાંથી...

હવે ગ્રોથમાં લંડનની હરીફાઇ કરશે સુરત. જી…હા.. કેન્દ્ર સરકારે...

ગરબાનો થનગનાટ શરૂ: “રાતલડી”- ધ મંડલી ગરબામાં ઢોલના તાલે...

અમદાવાદ : નવરાત્રિ જેમ જેમ નજીક આવી રહી છે...

સુપ્રીમકોર્ટના બે સિનિયર જજોની બેન્ચો વચ્ચે બબાલ, CJIએ કરવી...

નવી દિલ્હીમાં આડેધડ વૃક્ષો કાપવા મામલે દિલ્હી ડેવલપમેન્ટ એસોસિએશન...

કરીનાની નવી ફિલ્મ ફરી રીલિઝ થયેલી તુમ્બાડ કરતાં પાછળ

બોક્સ ઓફિસ પર સર્જાયેલાં એક આશ્ચર્યમાં કરીના કપૂરની નવી...

જાણીતા સિંગર હિમેશ રેશમિયાના પિતાનું નિધન, બોલિવૂડ ઈન્ડસ્ટ્રી શોકમગ્ન,...

તાજેતરમાં મલાઈકા અરોરાના પિતા અનિલ મહેતાનું નિધન થયું હતું...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here