Thursday, September 19, 2024
HomeIndiaપોસ્ટ ઓફિસની મહત્ત્વની PPF યોજનાના 3 નિયમ બદલાયાં, જાણી લો નહીંતર થશે...

પોસ્ટ ઓફિસની મહત્ત્વની PPF યોજનાના 3 નિયમ બદલાયાં, જાણી લો નહીંતર થશે મોટું નુકસાન!

Date:

spot_img

Related stories

PM મોદીએ રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું, કોંગ્રેસના ‘વારસદાર’...

જમ્મુ-કાશ્મીરમાં 25 સ્પટેમ્બરના રોજ યોજાનાર બીજા તબક્કાના મતદાન પહેલા...

GDPને 5 ટ્રિલિયન સુધી પહોંચાડવાના પોતાના લક્ષ્યાંક માટે દેશમાંથી...

હવે ગ્રોથમાં લંડનની હરીફાઇ કરશે સુરત. જી…હા.. કેન્દ્ર સરકારે...

ગરબાનો થનગનાટ શરૂ: “રાતલડી”- ધ મંડલી ગરબામાં ઢોલના તાલે...

અમદાવાદ : નવરાત્રિ જેમ જેમ નજીક આવી રહી છે...

સુપ્રીમકોર્ટના બે સિનિયર જજોની બેન્ચો વચ્ચે બબાલ, CJIએ કરવી...

નવી દિલ્હીમાં આડેધડ વૃક્ષો કાપવા મામલે દિલ્હી ડેવલપમેન્ટ એસોસિએશન...

કરીનાની નવી ફિલ્મ ફરી રીલિઝ થયેલી તુમ્બાડ કરતાં પાછળ

બોક્સ ઓફિસ પર સર્જાયેલાં એક આશ્ચર્યમાં કરીના કપૂરની નવી...

જાણીતા સિંગર હિમેશ રેશમિયાના પિતાનું નિધન, બોલિવૂડ ઈન્ડસ્ટ્રી શોકમગ્ન,...

તાજેતરમાં મલાઈકા અરોરાના પિતા અનિલ મહેતાનું નિધન થયું હતું...
spot_img

પોસ્ટ ઓફિસની સ્મોલ સેવિંગ સ્કીમ્સ હેઠળ સંચાલિત પબ્લિક પ્રોવિડન્ટ ફંડ (PPF) સ્કીમમાં ત્રણ મોટા ફેરફારો થવા જઈ રહ્યા છે. આ ફેરફાર 1 ઓક્ટોબર 2024 એટલે કે આવતા મહિનાથી લાગુ થઈ જશે. આ અંગે નાણા મંત્રાલય દ્વારા માર્ગદર્શિકા બહાર પાડવામાં આવી છે. આ એક એવી યોજના છે, જે 15 વર્ષની મેચ્યોરિટી પીરિયડ સાથે આવે છે અને તમને લાંબા ગાળે કરોડપતિ બનાવી શકે. આવો આજે આ યોજના વિશે વિસ્તૃતમાં જાણીએ.21 ઓગસ્ટ, 2024 ના રોજ કેન્દ્રીય નાણા મંત્રાલયના આર્થિક બાબતોના વિભાગે નવા નિયમો અંગે માર્ગદર્શિકા જારી કરી છે, જે હેઠળ PPFના ત્રણ નવા નિયમો લાગુ કરવામાં આવશે. આ સિવાય સુકન્યા સમૃદ્ધિ યોજના અને NSCના નિયમોમાં પણ ફેરફાર થશે. આ ગાઈડલાઈનમાં સગીરથી લઈને NRI સુધીના ત્રણ અલગ-અલગ કેસોના અનિયમિત ખાતાઓને નિયમિત કરવા વિશે વિગતવાર સમજાવવામાં આવ્યું છે.

પહેલો નિયમ- સગીરના નામે ખોલવામાં આવેલું PPF ખાતું :

આવા અનિયમિત ખાતાઓ પર પોસ્ટ ઓફિસ સેવિંગ્સ એકાઉન્ટ (POSA)પર ત્યા સુધી વ્યાજ ચૂકવવામાં આવશે જ્યાં સુધી વ્યક્તિ ખાતું ખોલવા માટે યોગ્ય ન બને. એટલે કે, જ્યાં સુધી વ્યક્તિ 18 વર્ષની ન થાય, ત્યાર બાદ પીપીએફ વ્યાજ દર ચૂકવવામાં આવશે. મેચ્યોરિટી પીરિયડની ગણતરી તે તારીખથી કરવામાં આવશે જે દિવસે સગીર પુખ્ત થઈ જાય છે. એટલે કે, એ તારીખથી વ્યક્તિ ખાતું ખોલવા માટે યોગ્ય થઈ જાય છે.

બીજો નિયમ – એક કરતા વધુ પીપીએફ એકાઉન્ટ :

પ્રાયમેરી એકાઉન્ટ પર યોજના પ્રમાણે જ વ્યાજ મળશે, પરંતુ જમા રકમ દર વર્ષ માટે લાગુ મહત્તમ મર્યાદાની અંદર હોય. બીજા એકાઉન્ટમાં બાકીની રકમ પહેલા ખાતામાં જમા કરી દેવામાં આવશે. પ્રાથમિક અને ગૌણ ખાતા સિવાયના કોઈપણ વધારાના ખાતા પર ખાતું ખોલવાની તારીખથી 0 (ઝીરો)ટકા વ્યાજ મળશે. એટલે કે, જો એક કરતા વધુ ખાતા ખોલવામાં આવે તો પણ પીપીએફ યોજના હેઠળ વ્યાજ માત્ર એક ખાતા પર જ મળશે.

ત્રીજો ફેરફાર- NRI દ્વારા PPF ખાતાનું વિસ્તરણ :

માત્ર PPF, 1968 હેઠળ ખોલવામાં આવેલા એક્ટિવ NRI PPF ખાતા કે જ્યાં ખાતાધારકની રહેણાંક સ્થિતિ ફોર્મ H માં ખાસ પૂછવામાં આવતી નથી. એકાઉન્ટ હોલ્ડર્સ (ભારતીય નાગરિકો કે જેઓ ખાતું ખોલવાના સમયગાળા દરમિયાન NRI બન્યા છે) ને POSA દરે 30 સપ્ટેમ્બર 2024 સુધી વ્યાજ આપવામાં આવશે. ત્યાર બાદ 1 ઓક્ટોબરથી આ ખાતાઓ પર 0 (શૂન્ય) વ્યાજ દર લાગુ થશે.

PM મોદીએ રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું, કોંગ્રેસના ‘વારસદાર’...

જમ્મુ-કાશ્મીરમાં 25 સ્પટેમ્બરના રોજ યોજાનાર બીજા તબક્કાના મતદાન પહેલા...

GDPને 5 ટ્રિલિયન સુધી પહોંચાડવાના પોતાના લક્ષ્યાંક માટે દેશમાંથી...

હવે ગ્રોથમાં લંડનની હરીફાઇ કરશે સુરત. જી…હા.. કેન્દ્ર સરકારે...

ગરબાનો થનગનાટ શરૂ: “રાતલડી”- ધ મંડલી ગરબામાં ઢોલના તાલે...

અમદાવાદ : નવરાત્રિ જેમ જેમ નજીક આવી રહી છે...

સુપ્રીમકોર્ટના બે સિનિયર જજોની બેન્ચો વચ્ચે બબાલ, CJIએ કરવી...

નવી દિલ્હીમાં આડેધડ વૃક્ષો કાપવા મામલે દિલ્હી ડેવલપમેન્ટ એસોસિએશન...

કરીનાની નવી ફિલ્મ ફરી રીલિઝ થયેલી તુમ્બાડ કરતાં પાછળ

બોક્સ ઓફિસ પર સર્જાયેલાં એક આશ્ચર્યમાં કરીના કપૂરની નવી...

જાણીતા સિંગર હિમેશ રેશમિયાના પિતાનું નિધન, બોલિવૂડ ઈન્ડસ્ટ્રી શોકમગ્ન,...

તાજેતરમાં મલાઈકા અરોરાના પિતા અનિલ મહેતાનું નિધન થયું હતું...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here