Thursday, May 1, 2025
HomeGujaratAhmedabadઅમદાવાદ બન્યું ભુવાનગરી : 44 ભુવાના સમારકામ પાછળ 1.20 કરોડથી વધુનો ખર્ચ...

અમદાવાદ બન્યું ભુવાનગરી : 44 ભુવાના સમારકામ પાછળ 1.20 કરોડથી વધુનો ખર્ચ કરાયો

Date:

spot_img

Related stories

બંધન બેંકનો કુલ બિઝનેસ 11 ટકા વધીને રૂ. 2.89...

બંધન બેંકે નાણાકીય વર્ષ 2024-25ના ચોથા ક્વાર્ટર માટે તેના...

અક્ષય તૃતીયા પર સોનું ચમકી રહ્યું છે ત્યારે ગોલ્ડ...

અક્ષય તૃતીયા નજીક આવી રહી છે અને તે પરંપરાગત...

અમદાવાદ મંડળના વિવિધ સ્ટેશનો પર શ્રી રાઘવ સેવા સમિતિના...

પશ્ચિમ રેલવેનું અમદાવાદ મંડળ હંમેશા પોતાના રેલવે યાત્રીઓની સુવિધાને...

ટ્રેલર લોન્ચ : થ્રિલર ફિલ્મના ચાહકો માટે 16મી મે...

ગુજરાતી સિનેમાના ચાહકો માટે થ્રિલર ફિલ્મોની દુનિયામાં એક નવી...

અમદાવાદ ચેપ્ટરના EDP વિદ્યાર્થીઓ અને અન્ય લોકો માટે મૂટ...

૨૯ એપ્રિલ, ૨૦૨૫ ના રોજ GLS યુનિવર્સિટી દ્વારા સર...

ભગવાન વિષ્ણુના છઠ્ઠા અવતાર અને સનાતન ધર્મના રક્ષક એવા...

આજરોજ અમદાવાદમાં સનાતન ધર્મના રક્ષક અને ભગવાન વિષ્ણુના છઠ્ઠા...
spot_img

અમદાવાદ : સ્માર્ટસિટી અમદાવાદ હવે ભુવાનગરી બની રહ્યું છે. આ વર્ષે જૂનથી શરુ થયેલા ચોમાસાની મોસમમાં અત્યાર સુધીમાં શહેરના વિવિધ વિસ્તારમાં કુલ 44 ભુવા પડ્યા હતા. આ ભુવાના સમારકામ પાછળ મ્યુનિસિપલ તંત્રએ રુપિયા 1.20 કરોડથી વઘુની રકમનો ખર્ચ કર્યો છે. છેલ્લા ચાર વર્ષના સમયમાં શહેરના વિવિધ વિસ્તારમાં કુલ 363 ભુવા પડ્યા હતા. જેના સમારકામ પાછળ રુપિયા 50 કરોડનો ખર્ચ મ્યુનિસિપલ તંત્ર તરફથી કરવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે.

ચાર વર્ષમાં 363 ભુવાના સમારકામ પાછળ રૂ. 50 કરોડનો ખર્ચ :
અમદાવાદમાં છેલ્લા કેટલાક વર્ષથી ચોમાસાના સમય સિવાય પણ રોડ ઉપર અલગ અલગ કારણથી ભુવા પડી રહ્યા છે. સ્માર્ટસિટી મ્યુનિસિપલ કૉર્પોરેશન વહીવટીતંત્ર ભુવા શબ્દનો ઉપયોગ કરવાના બદલે બ્રેકડાઉન શબ્દનો ઉપયોગ કરે છે. વિવિધ વિસ્તારના રોડ ઉપર ભુવા મશીનહોલ, ડ્રેનેજલાઇન અથવા આર.સી.સી.ડકટમાં ભંગાણ થવાથી પડતા હોવાનુ કારણ મહદઅંશે વહીવટીતંત્ર તરફથી આગળ કરવામાં આવી રહ્યું છે.

ડ્રેનેજલાઇનમાં ભંગાણના કારણે 14 ભુવા પડ્યા :

આ વર્ષે શહેરના વિવિધ વિસ્તારમાં આવેલી ડ્રેનેજલાઇનમાં ભંગાણ પડવાના કારણે 14 ભુવા પડ્યા હતા. આ ભુવાના સમારકામ પાછળ મ્યુનિસિપલ તંત્રે રુપિયા 73.12 લાખનો ખર્ચ કર્યો હતો. મશીનહોલમાં ભંગાણના કારણે 11 ભુવા પડ્યા હતા. જેના સમારકામ પાછળ રુપિયા 47.5 લાખનો ખર્ચ કરાયો હતો. અન્ય કારણથી શહેરમાં 19 ભુવા પડ્યા હતા. 44 ભુવાના સમારકામ પાછળ મ્યુનિસિપલ તંત્રે રુપિયા 1.20 કરોડથી વઘુની રકમનો ખર્ચ કર્યો હતો.અમદાવાદમાં દર વર્ષે નવા રોડ બનાવવા ઉપરાંત રોડ રીસરફેસ કરવા તથા વિવિધ રોડ ઉપર પડેલા ખાડા પૂરવા તેમજ રોડ ઉપર પડતાં ભુવાના સમારકામની કામગીરી પાછળ અંદાજે રુપિયા એક હજાર કરોડનો ખર્ચ મ્યુનિસિપલ તંત્ર તરફથી કરવામાં આવે છે. નવા રોડ બનાવવા કે વ્હાઇટ ટોપિંગ રોડ અથવા આઇકોનિક રોડ બનાવવા કોન્ટ્રાક્ટરોને અપાતાં વર્કઓર્ડરમાં મ્યુનિસિપલના અધિકારીઓ અને રાજકારણીઓની કોન્ટ્રાક્ટરો સાથે ટકાવારી નક્કી થયેલી જ હોય છે.

બંધન બેંકનો કુલ બિઝનેસ 11 ટકા વધીને રૂ. 2.89...

બંધન બેંકે નાણાકીય વર્ષ 2024-25ના ચોથા ક્વાર્ટર માટે તેના...

અક્ષય તૃતીયા પર સોનું ચમકી રહ્યું છે ત્યારે ગોલ્ડ...

અક્ષય તૃતીયા નજીક આવી રહી છે અને તે પરંપરાગત...

અમદાવાદ મંડળના વિવિધ સ્ટેશનો પર શ્રી રાઘવ સેવા સમિતિના...

પશ્ચિમ રેલવેનું અમદાવાદ મંડળ હંમેશા પોતાના રેલવે યાત્રીઓની સુવિધાને...

ટ્રેલર લોન્ચ : થ્રિલર ફિલ્મના ચાહકો માટે 16મી મે...

ગુજરાતી સિનેમાના ચાહકો માટે થ્રિલર ફિલ્મોની દુનિયામાં એક નવી...

અમદાવાદ ચેપ્ટરના EDP વિદ્યાર્થીઓ અને અન્ય લોકો માટે મૂટ...

૨૯ એપ્રિલ, ૨૦૨૫ ના રોજ GLS યુનિવર્સિટી દ્વારા સર...

ભગવાન વિષ્ણુના છઠ્ઠા અવતાર અને સનાતન ધર્મના રક્ષક એવા...

આજરોજ અમદાવાદમાં સનાતન ધર્મના રક્ષક અને ભગવાન વિષ્ણુના છઠ્ઠા...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here