Thursday, July 16, 2026
HomeGujaratAhmedabadઅમદાવાદ બન્યું ભુવાનગરી : 44 ભુવાના સમારકામ પાછળ 1.20 કરોડથી વધુનો ખર્ચ...

અમદાવાદ બન્યું ભુવાનગરી : 44 ભુવાના સમારકામ પાછળ 1.20 કરોડથી વધુનો ખર્ચ કરાયો

Date:

Related stories

બજાજ લાઇફ ઇન્શ્યોરન્સે ગ્રાહકોને તેમના માતાપિતા માટે નાણાકીય સલામતીની...

પૂણે, 15 જુલાઈ, 2026 : ભારતમાં ખાનગી ક્ષેત્રની અગ્રણી જીવન વીમાકંપનીઓ પૈકીની એક...

અમદાવાદના નારણપુરા માં આવેલી નવરંગ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ  ના...

નારણપુરા માં આવેલી નવરંગ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ  ખાતે ભગવાન...

સ્કોડા ઓટો ઇન્ડિયાએ પીપીએસ મોટર્સ પ્રાઇવેટ લિમિટેડ સાથેની ભાગીદારીમાં...

• અમદાવાદના નરોડા અને મણિનગરમાં બે નવા વેચાણ કેન્દ્રો...

અષાઢી બીજ, શ્રીકૃષ્ણ, બલરામ અને સુભદ્રાનાં વિશિષ્ટ રુપની નગરચર્યાનો...

સદગુરુ કૃપા હી કેવલમ. અષાઢી બીજપરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- પ્રાસંગિક. અષાઢી...

સુબોધ ભાઈ સાવ આમ જ વિદાય લેશે! એવો તો...

સદગુરુ કૃપા હી કેવલમ.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- મૃત્યુ! વેદના કે...

અમદાવાદ : સ્માર્ટસિટી અમદાવાદ હવે ભુવાનગરી બની રહ્યું છે. આ વર્ષે જૂનથી શરુ થયેલા ચોમાસાની મોસમમાં અત્યાર સુધીમાં શહેરના વિવિધ વિસ્તારમાં કુલ 44 ભુવા પડ્યા હતા. આ ભુવાના સમારકામ પાછળ મ્યુનિસિપલ તંત્રએ રુપિયા 1.20 કરોડથી વઘુની રકમનો ખર્ચ કર્યો છે. છેલ્લા ચાર વર્ષના સમયમાં શહેરના વિવિધ વિસ્તારમાં કુલ 363 ભુવા પડ્યા હતા. જેના સમારકામ પાછળ રુપિયા 50 કરોડનો ખર્ચ મ્યુનિસિપલ તંત્ર તરફથી કરવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે.

ચાર વર્ષમાં 363 ભુવાના સમારકામ પાછળ રૂ. 50 કરોડનો ખર્ચ :
અમદાવાદમાં છેલ્લા કેટલાક વર્ષથી ચોમાસાના સમય સિવાય પણ રોડ ઉપર અલગ અલગ કારણથી ભુવા પડી રહ્યા છે. સ્માર્ટસિટી મ્યુનિસિપલ કૉર્પોરેશન વહીવટીતંત્ર ભુવા શબ્દનો ઉપયોગ કરવાના બદલે બ્રેકડાઉન શબ્દનો ઉપયોગ કરે છે. વિવિધ વિસ્તારના રોડ ઉપર ભુવા મશીનહોલ, ડ્રેનેજલાઇન અથવા આર.સી.સી.ડકટમાં ભંગાણ થવાથી પડતા હોવાનુ કારણ મહદઅંશે વહીવટીતંત્ર તરફથી આગળ કરવામાં આવી રહ્યું છે.

ડ્રેનેજલાઇનમાં ભંગાણના કારણે 14 ભુવા પડ્યા :

આ વર્ષે શહેરના વિવિધ વિસ્તારમાં આવેલી ડ્રેનેજલાઇનમાં ભંગાણ પડવાના કારણે 14 ભુવા પડ્યા હતા. આ ભુવાના સમારકામ પાછળ મ્યુનિસિપલ તંત્રે રુપિયા 73.12 લાખનો ખર્ચ કર્યો હતો. મશીનહોલમાં ભંગાણના કારણે 11 ભુવા પડ્યા હતા. જેના સમારકામ પાછળ રુપિયા 47.5 લાખનો ખર્ચ કરાયો હતો. અન્ય કારણથી શહેરમાં 19 ભુવા પડ્યા હતા. 44 ભુવાના સમારકામ પાછળ મ્યુનિસિપલ તંત્રે રુપિયા 1.20 કરોડથી વઘુની રકમનો ખર્ચ કર્યો હતો.અમદાવાદમાં દર વર્ષે નવા રોડ બનાવવા ઉપરાંત રોડ રીસરફેસ કરવા તથા વિવિધ રોડ ઉપર પડેલા ખાડા પૂરવા તેમજ રોડ ઉપર પડતાં ભુવાના સમારકામની કામગીરી પાછળ અંદાજે રુપિયા એક હજાર કરોડનો ખર્ચ મ્યુનિસિપલ તંત્ર તરફથી કરવામાં આવે છે. નવા રોડ બનાવવા કે વ્હાઇટ ટોપિંગ રોડ અથવા આઇકોનિક રોડ બનાવવા કોન્ટ્રાક્ટરોને અપાતાં વર્કઓર્ડરમાં મ્યુનિસિપલના અધિકારીઓ અને રાજકારણીઓની કોન્ટ્રાક્ટરો સાથે ટકાવારી નક્કી થયેલી જ હોય છે.

બજાજ લાઇફ ઇન્શ્યોરન્સે ગ્રાહકોને તેમના માતાપિતા માટે નાણાકીય સલામતીની...

પૂણે, 15 જુલાઈ, 2026 : ભારતમાં ખાનગી ક્ષેત્રની અગ્રણી જીવન વીમાકંપનીઓ પૈકીની એક...

અમદાવાદના નારણપુરા માં આવેલી નવરંગ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ  ના...

નારણપુરા માં આવેલી નવરંગ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ  ખાતે ભગવાન...

સ્કોડા ઓટો ઇન્ડિયાએ પીપીએસ મોટર્સ પ્રાઇવેટ લિમિટેડ સાથેની ભાગીદારીમાં...

• અમદાવાદના નરોડા અને મણિનગરમાં બે નવા વેચાણ કેન્દ્રો...

અષાઢી બીજ, શ્રીકૃષ્ણ, બલરામ અને સુભદ્રાનાં વિશિષ્ટ રુપની નગરચર્યાનો...

સદગુરુ કૃપા હી કેવલમ. અષાઢી બીજપરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- પ્રાસંગિક. અષાઢી...

સુબોધ ભાઈ સાવ આમ જ વિદાય લેશે! એવો તો...

સદગુરુ કૃપા હી કેવલમ.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- મૃત્યુ! વેદના કે...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here