Friday, June 5, 2026
HomeGujaratભગવાન વિષ્ણુના છઠ્ઠા અવતાર અને સનાતન ધર્મના રક્ષક એવા ભગવાન પરશુરામજી, પૂજા,...

ભગવાન વિષ્ણુના છઠ્ઠા અવતાર અને સનાતન ધર્મના રક્ષક એવા ભગવાન પરશુરામજી, પૂજા, અર્ચન, આરતી અને યાત્રાના ઠેર ઠેર કાર્યકમો સંપન્ન થયા

Date:

Related stories

પર્યાવરણ ક્ષેત્રે વિરમગામની સરકારી શાળાએ રાષ્ટ્રીય ફલક પર ગુજરાતનું...

શિક્ષિકાશ્રી રુપમબાલા કાસુન્દ્રા અને વિદ્યાર્થીઓની પ્રતિબદ્ધતાએ વેસ્ટ મેનેજમેન્ટ થીમ...

ગુજરાતમાં રાજ્યસભાની 4 સીટના ભાજપના ઉમેદવાર જાહેર

સૌરાષ્ટ્રમાંથી બે અને ઉત્તર-મધ્ય ગુજરાતમાંથી એક-એકને ટિકિટ, જાણો તમામની...

અમદાવાદ ડિવિઝનની આત્મનિર્ભર પહેલ: ત્રણ નવા વાણિજ્યિક કરાર સલામતી,...

નોન-પ્રીમિયમ ટ્રેનોમાં વેન્ડિંગ, માલિયા ગુડ્સ શેડમાં વેગન સફાઈ અને...

360 વન મ્યુચ્યુઅલ ફંડે DynaSIF ઇક્વિટી એક્સ-ટોપ 100 લોંગ-શોર્ટ ફંડ લોન્ચ...

આ રોકાણ વ્યૂહરચનાનો ઉદ્દેશ્ય મીડ અને સ્મોલ કેપ ઇક્વિટીઝના...

ભારત-અમેરિકા કૃષિ સહકારને નવી દિશા આપવા માટે ઇફકોના અધ્યક્ષ...

અમેરિકા કૃષિ સહકારને વધુ મજબૂત બનાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ...

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળનું શાનદાર પ્રદર્શન: મે 2026માં ₹688...

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળે મે 2026 દરમિયાન વિવિધ વ્યાવસાયિક...

આજરોજ અમદાવાદમાં સનાતન ધર્મના રક્ષક અને ભગવાન વિષ્ણુના છઠ્ઠા અવતાર ભગવાન પરશુરામજીની શોભા યાત્રા, પૂજા અર્ચના, આરતી સાથે સંતો મહંતો અને સામાજિક, રાજકીય અગ્રિણીઓ દ્વારા પહેલગામ આતંકવાદી દુર્ઘટનામાં મૃત્યુ પામેલ 26 મૃતકોને મંત્રોચ્ચાર સાથે શ્રદ્ધાંજલિ અને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી. સૌ ઋષિ પુત્રોએ અને સનાતન ધર્મીઓ પહેલગામમાં થયેલ જધન્ય આંતકવાદી હત્યાકાંડમાં અવસાન પામેલા સૌ હિંદુ ભાઈઓ, બહેનો ની આત્માને શાંતિ માટે પ્રાર્થના કરી તથા આ આતંકવાદી કૃત્યને સખત શબ્દોમાં વખોડી કાઢવા સાથે આતંકવાદને નષ્ટ કરવા સરકાર જે પણ પગલાં લે એમાં સમગ્ર બ્રહ્મ સમાજ દેશની સાથે છે તેવી લાગણી વ્યક્ત કરી.પરંપરાગત રીતે અમદાવાદમાં પાલડી રામજી મંદિર ખાતેથી પરશુરામ યાત્રાની શરૂઆત થઈ અને પરશુરામ ચોકમાં યાત્રા સમાપન કરવામાં આવી, એ જ પ્રમાણે સારંગપુર કર્ણ મુક્તેશ્વર મહાદેવથી શરૂ થઈને મૌન રેલી દ્વારા રાયપુર દરવાજા યાત્રા સંપન્ન કરવામાં આવી સાથે સાથે નવા વાડજ વ્યાસવાડી ખાતે ભગવાન પરશુરામની પ્રતિમાને આરતી તથા હાર પહેરાવીને સૌ બ્રહ્મ સમાજના અગ્રણીઓ, રાજકીય આગેવાનો, સંતો મહંતો અને સનાતન ધર્મપ્રેમીઓએ ભગવાન પરશુરામના આશીર્વાદ લીધા.સનાતન હિન્દુ ધર્મના રક્ષક, આસુરી શક્તિનો નાશ કરનાર, ભગવાન વિષ્ણુના છઠ્ઠા અવતાર ભગવાન પરશુરામજી, મહાદેવજી, બ્રહ્માજી, ભગવાન વિષ્ણુની સાથે ગાયત્રી માતા, અને ગંગા માતા સાથે સૌ દેવી દેવતા, ૧૮ પૂરાણો અને ચાર વેદોના રથ, રામધૂન અને ભજન સાથે ભગવાન પરશુરામજીની આરતી કર્યા બાદ શોભાયાત્રાનું સંતો, મહંતો, સામાજિક રાજકીય અગ્રિણી, અને સૌ સનાતની ભક્તો દ્વારા પ્રસ્થાન કરવામાં આવી. યાત્રાના નિયત માર્ગ ઉપર ઠેર ઠેર સ્વાગતના પંડાલો લગાવવામાં આવ્યા હતા અને વૈશાખ મહિનાની તપતી ગરમીમાં ભાવિક ભક્તોને છાશ, કોલ્ડ્રીંક, આઈસ્ક્રીમ અને ઠંડા પીણાની વ્યવસ્થા કરવામાં આવી હતી. સૌ ધર્મપ્રેમી જનતાએ ભગવાન પરશુરામના શોભાયાત્રાના દર્શન કર્યા અને આશીર્વાદ મેળવ્યા.

પર્યાવરણ ક્ષેત્રે વિરમગામની સરકારી શાળાએ રાષ્ટ્રીય ફલક પર ગુજરાતનું...

શિક્ષિકાશ્રી રુપમબાલા કાસુન્દ્રા અને વિદ્યાર્થીઓની પ્રતિબદ્ધતાએ વેસ્ટ મેનેજમેન્ટ થીમ...

ગુજરાતમાં રાજ્યસભાની 4 સીટના ભાજપના ઉમેદવાર જાહેર

સૌરાષ્ટ્રમાંથી બે અને ઉત્તર-મધ્ય ગુજરાતમાંથી એક-એકને ટિકિટ, જાણો તમામની...

અમદાવાદ ડિવિઝનની આત્મનિર્ભર પહેલ: ત્રણ નવા વાણિજ્યિક કરાર સલામતી,...

નોન-પ્રીમિયમ ટ્રેનોમાં વેન્ડિંગ, માલિયા ગુડ્સ શેડમાં વેગન સફાઈ અને...

360 વન મ્યુચ્યુઅલ ફંડે DynaSIF ઇક્વિટી એક્સ-ટોપ 100 લોંગ-શોર્ટ ફંડ લોન્ચ...

આ રોકાણ વ્યૂહરચનાનો ઉદ્દેશ્ય મીડ અને સ્મોલ કેપ ઇક્વિટીઝના...

ભારત-અમેરિકા કૃષિ સહકારને નવી દિશા આપવા માટે ઇફકોના અધ્યક્ષ...

અમેરિકા કૃષિ સહકારને વધુ મજબૂત બનાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ...

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળનું શાનદાર પ્રદર્શન: મે 2026માં ₹688...

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળે મે 2026 દરમિયાન વિવિધ વ્યાવસાયિક...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here