Wednesday, August 5, 2026
Homenationalડાયાબિટીસથી સુષ્માને કિડની અને હાર્ટની બિમારી થઇ હતી

ડાયાબિટીસથી સુષ્માને કિડની અને હાર્ટની બિમારી થઇ હતી

Date:

Related stories

7 ઓગસ્ટે સિનેમાઘરોમાં રિલીઝ થતી ફિલ્મ ‘ઓહ માય ડોગ’ને...

આગામી ૭ ઓગસ્ટે થિયેટરોમાં ધમાકેદાર રિલીઝ થવા જઈ રહેલી...

177 દેશો અને 52 લાખ દર્શકો: ગુજરાતી OTT પ્લેટફોર્મ...

પોતાના વિઝનરી ફાઉન્ડર અને CEO શ્રી ધ્રુવીન શાહના વ્યૂહાત્મક...

ઝાયડસ હોસ્પિટલ્સ ખાતે જીવલેણ આંતરિક રક્તસ્રાવ ઉત્પન્ન કરતી પેટની...

નેશનલ, 2026: ઝાયડસ હોસ્પિટલ્સ, અમદાવાદના સર્જનોએ 'ડા વિંચી સર્જિકલ...

LEAP ઇન્ડિયા લિમિટેડની પ્રારંભિક જાહેર ઓફર શુક્રવાર, 07 ઓગસ્ટ,...

રૂ. 151– રૂ. 159 પ્રતિ ઇક્વિટી શૅરની પ્રાઈસ બેન્ડ,...

કર્ણ અર્જુન જેવો જ ધનુર્ધર હતો, એટલે જ એને...

હિન્દુ સનાતન સંસ્કૃતિ મુજબ ધર્મ રુપી બળદનાં ચાર ચરણો,...

નવી દિલ્હી,તા. ૭
પૂર્વ વિદેશમંત્રી સુષ્મા સ્વરાજની મંગળવારના દિવસે અવસાન થયું હતું. સુષ્મા સ્વરાજને કિડની અને ડાયાબિટીસની તકલીફ હતી. ૨૦૧૬માં કિડની ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવી હતી ત્યારથી લઇને તેમને આરોગ્યની સમસ્યા નડી રહી હતી. આરોગ્યના પરિણામ સ્વરુપે જ સુષ્મા સ્વરાજે ૨૦૧૯માં લોકસભાની ચૂંટણી લડી ન હતી. ડાયાબિટીસના દર્દીઓમાં કિડનીની બિમારીનો ખતરો વધી જાય છે. માત્ર કિડની જ નહીં બલ્કે ડાયાબિટીસથી અનેક પ્રકારની બિમારીઓ થાય છે જે જીવલેણ સાબિત થઇ શકે છે. વધી ગયેલા બ્લડસુગરની પણ ખરાબ અસર થાય છે. હાર્ટ, કિડની, આંખ સહિત શરીરના જુદા જુદા અંગો પર તેની ખતરનાક અસર થાય છે. નિષ્ણાતોનું કહેવું છે કે, લાંબા સમયથી ડાયાબિટીસથી પીડિત રહેલા આશરે ૪૦ ટકા દર્દીઓને ડાયાબિટીક નેફ્રોપેથી થઇ જાય છે. સમય પર જાણકારી નહીં મળવાથી આ ખતરનાક સ્વરુપ ધારણ કરે છે. નેફ્રોપેથી કિડનીની ગંભીર બિમારી છે જે ડાયાબિટીસમાં ૪૦ ટકા દર્દીઓને આગળ જતા થઇ જાય છે. ટાઇપ-૧ અને ટાઇપ-૨ પ્રકારના ડાયાબિટીસના દર્દીમાં નેફ્રોપેથીનો ખતરો રહે છે. ડાયાબિટીસ નેફ્રોપેથીમાં કિડનીની કામ કરવાની ક્ષમતા ઘટી જાય છે. ડાયાબિટીસથી કિડનીની રક્તધમનીઓ ઉપર માઠી અસર થાય છે. કિડની યોગ્યરીતે કામ કરી શકતી નથી જેથી કિડની યોગ્યરીતે શરીરથી નુકસાનકારક પદાર્થોને ફિલ્ટર કરવામાં સક્ષમ રહેતી નથી જેથી બિમારીઓનો ખતરો વધી જાય છે. અનેક વખતે ટ્રાન્સપ્લાન્ટ સુધીનો ખતરો થાય છે. વધી ગયેલા સુગર લેવલના લીધે કિડની ઉપર ખરાબ અસર થાય છે અને ખતરનાક સાબિત થઇ જાય છે. કિડનીની બિમારીમાં શરૂઆતમાં પીડા થતી નથી. આવી સ્થતિમાં આ બિમારી વધી ગયા બાદ જ લક્ષણ દેખાઈ આવે છે જેથી ડાયાબિટીસના દર્દીઓને કિડનીની તપાસ નિયમિતરીતે કરાવવી જાઇએ. સમયસર માહિતી મળવાની સ્થતિમાં નેફ્રોપેથીથી બચી શકાય છે. ડાયાબિટીસના દર્દીઓને હાર્ટની બિમારીઓનો ખતરો વધારે રહે છે. ખાસ કરીને બીપી અને કોલેસ્ટ્રોલ વધી જાય તો હાર્ટસ્ટ્રોકનો ખતરો વધી જાય છે. ડાયાબિટીસના દર્દીઓ માટે જરૂરી છે કે, ઓછામાં ઓછા છ મહિનામાં પોતાની બીપીની ચકાસણી કરાવવી જાઇએ. દવા લેતી વેળા પણ સમય સમયે બીપીની ચકાસણી કરાવવી જાઇએ. ડોક્ટર અને ડાયટીશિયનની સલાહ પણ આને કાબૂમાં લેવાના પ્રયાસ કરવા જાઇએ. સમય સમયે કોલેસ્ટ્રોલની ચકાસણી પણ કરાવવી જાઇએ.

7 ઓગસ્ટે સિનેમાઘરોમાં રિલીઝ થતી ફિલ્મ ‘ઓહ માય ડોગ’ને...

આગામી ૭ ઓગસ્ટે થિયેટરોમાં ધમાકેદાર રિલીઝ થવા જઈ રહેલી...

177 દેશો અને 52 લાખ દર્શકો: ગુજરાતી OTT પ્લેટફોર્મ...

પોતાના વિઝનરી ફાઉન્ડર અને CEO શ્રી ધ્રુવીન શાહના વ્યૂહાત્મક...

ઝાયડસ હોસ્પિટલ્સ ખાતે જીવલેણ આંતરિક રક્તસ્રાવ ઉત્પન્ન કરતી પેટની...

નેશનલ, 2026: ઝાયડસ હોસ્પિટલ્સ, અમદાવાદના સર્જનોએ 'ડા વિંચી સર્જિકલ...

LEAP ઇન્ડિયા લિમિટેડની પ્રારંભિક જાહેર ઓફર શુક્રવાર, 07 ઓગસ્ટ,...

રૂ. 151– રૂ. 159 પ્રતિ ઇક્વિટી શૅરની પ્રાઈસ બેન્ડ,...

કર્ણ અર્જુન જેવો જ ધનુર્ધર હતો, એટલે જ એને...

હિન્દુ સનાતન સંસ્કૃતિ મુજબ ધર્મ રુપી બળદનાં ચાર ચરણો,...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here