Thursday, July 16, 2026
Homenationalજન્મદિને સુષ્મા કેક લાવવાનું ભુલતા જ ન હતા : અડવાણી

જન્મદિને સુષ્મા કેક લાવવાનું ભુલતા જ ન હતા : અડવાણી

Date:

Related stories

બંધન બેન્કે બિઝનેસ ગ્રાહકો માટે ઇન્ટિગ્રેટેડ પ્રોવિડન્ટ ફંડ પેમન્ટ...

ઈપીએફઓ સાથેના ઇન્ટિગ્રેશનથી વ્યવસાયો હવે બંધન બેન્કના ડિજિટલ બેન્કિંગ...

ટાટા AIG અને ઉજ્જીવન સ્મૉલ ફાઇનાન્સ બેંકે સમગ્ર ભારતમાં વીમાની પહોંચ...

મુંબઈ, 16 જુલાઈ, 2026: ભારતની અગ્રણી જનરલ ઇન્શ્યોરન્સ કંપનીઓ પૈકીની એક ટાટા AIG જનરલ...

ઐતરેય ઉપનિષદનો મુખ્ય બોધ સૃષ્ટિ સર્જન અને પોષણ છે!...

સદગુરુ કૃપા હી કેવલમ.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- ચિંતનની ક્ષણે.મિત્રો- શુભ...

બજાજ લાઇફ ઇન્શ્યોરન્સે ગ્રાહકોને તેમના માતાપિતા માટે નાણાકીય સલામતીની...

પૂણે, 15 જુલાઈ, 2026 : ભારતમાં ખાનગી ક્ષેત્રની અગ્રણી જીવન વીમાકંપનીઓ પૈકીની એક...

અમદાવાદના નારણપુરા માં આવેલી નવરંગ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ  ના...

નારણપુરા માં આવેલી નવરંગ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ  ખાતે ભગવાન...

સ્કોડા ઓટો ઇન્ડિયાએ પીપીએસ મોટર્સ પ્રાઇવેટ લિમિટેડ સાથેની ભાગીદારીમાં...

• અમદાવાદના નરોડા અને મણિનગરમાં બે નવા વેચાણ કેન્દ્રો...

નવી દિલ્હી, તા. ૭
પૂર્વ વિદેશમંત્રી સુષ્મા સ્વરાજના અવસાનથી આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણી પણ ભાવનાશીલ બની ગયા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સુષ્મા સ્વરાજના પાર્થિવ શરીરને જાઇને ભાવનાશીલ બની ગયા હતા. એ ગાળામાં તેમની સાથે ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુ પણ રહ્યા હતા. બીજી બાજુ આજે લોધી રોડ સ્મશાનગૃહમાં સુષ્મા સ્વરાજના અંતિમસંસ્કાર વેળા એક ફોટાએ તમામનું ધ્યાન ખેંચ્યું હતું. સુષ્માને શ્રદ્ધાંજલિ આપતી વેળા લાલકૃષ્ણ અડવાણીને મોદી મદદ કરતા નજરે પડ્યા હતા. આ ગાળા દરમિયાન સંરક્ષણમંત્રી રાજનાથસિંહે અડવાણીના બીજા હાથને પકડીને ટેકો આપ્યો હતો. આ પહેલા સુષ્માના આવાસ ઉપર પણ તેમના પાર્થિવ શરીર પર દર્શન કરીને અડવાણી ભાવુક થઇ ગયા હતા. સુષ્મા સ્વરાજની અનેક યાદોને તાજી કરવામાં આવી હતી. લાલકૃષ્ણ અડવાણીએ તેમને યાદ કરતા દિગ્ગજ નેતા તરીકે ગણાવ્યા હતા. સુષ્માને શ્રદ્ધાંજલિ આપતા અડવાણીએ તેમને વરિષ્ઠ નેતા તરીકે ગણાવ્યા હતા અને કહ્યું હતું કે, પૂર્વ વિદેશમંત્રીને ખુબ યાદ કરશે અને તેમની કમી પણ રહેશે. સુષ્માને અડવાણીએ મહિલા નેતાઓ માટે રોલ મોડલ તરીકે ગણાવ્યા હતા. અડવાણીએ કહ્યું હતું કે, તેમના આકÂસ્મક અવસાનના સમાચાર ખુબ જ દુખદ છે. ભારતીય જનતા પાર્ટીમાં તેમના શરૂઆતી દિવસોના સમયથી જ તેમની સાથે કામ કર્યું હતું. ૧૯૮૦ના ગાળામાં જ્યારે તેઓ ભાજપમાં પ્રમુખ તરીકે હતા ત્યારે સુષ્મા સ્વરાજ યુવા કાર્યકર તરીકે કામ કરતા હતા. તેમની ટીમમાં સુષ્માને સામેલ કરવામાં આવી હતી. બદલાતા સમયની સાથે સાથે સુષ્મા સ્વરાજ પાર્ટીના સૌથી લોકપ્રિય નેતા બન્યા હતા. મહિલા નેતાઓ માટે સુષ્મા સ્વરાજ રોલ મોડલ બન્યા હતા. સુષ્માના ભાષણની શૈલી પર તમામ લોકો પ્રભાવિત હતા. એક શાનદાર વક્તાની સાથે સાથે અનેક ઘટનાઓને અડવાણીએ યાદ કરી હતી. અડવાણીએ કહ્યું હતું કે, તેમના જીવનની સંવેદનશીલતા તમામની સમક્ષ છે. સંવેદનશીલ સ્વભાવના કારણે તેઓ જાણિતા હતા. એક પણ વર્ષ એવું ગયું નથી જ્યારે તેઓ તેમના જન્મદિવસ ઉપર તેમની પસંદગીની ચોકલેટ કેક લઇને પહોંચતા હતા. પૂર્વ નાયબ વડાપ્રધાને સુષ્મા સ્વરાજના પરિવાર માટે પોતાની સંવેદના વ્યક્ત કરી હતી અને કહ્યું હતું કે, દેશે આજે એક મોટા નેતાને ગુમાવી દીધા છે. તેમના માટે આ ક્યારે પણ ન ફભરી શકાય તેવી જગ્યા છે. તેમની ભાવના સુષ્મા સ્વરાજ, તેમની પુત્રી બાસુરી અને પરિવાર સાથે છે.

બંધન બેન્કે બિઝનેસ ગ્રાહકો માટે ઇન્ટિગ્રેટેડ પ્રોવિડન્ટ ફંડ પેમન્ટ...

ઈપીએફઓ સાથેના ઇન્ટિગ્રેશનથી વ્યવસાયો હવે બંધન બેન્કના ડિજિટલ બેન્કિંગ...

ટાટા AIG અને ઉજ્જીવન સ્મૉલ ફાઇનાન્સ બેંકે સમગ્ર ભારતમાં વીમાની પહોંચ...

મુંબઈ, 16 જુલાઈ, 2026: ભારતની અગ્રણી જનરલ ઇન્શ્યોરન્સ કંપનીઓ પૈકીની એક ટાટા AIG જનરલ...

ઐતરેય ઉપનિષદનો મુખ્ય બોધ સૃષ્ટિ સર્જન અને પોષણ છે!...

સદગુરુ કૃપા હી કેવલમ.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- ચિંતનની ક્ષણે.મિત્રો- શુભ...

બજાજ લાઇફ ઇન્શ્યોરન્સે ગ્રાહકોને તેમના માતાપિતા માટે નાણાકીય સલામતીની...

પૂણે, 15 જુલાઈ, 2026 : ભારતમાં ખાનગી ક્ષેત્રની અગ્રણી જીવન વીમાકંપનીઓ પૈકીની એક...

અમદાવાદના નારણપુરા માં આવેલી નવરંગ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ  ના...

નારણપુરા માં આવેલી નવરંગ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ  ખાતે ભગવાન...

સ્કોડા ઓટો ઇન્ડિયાએ પીપીએસ મોટર્સ પ્રાઇવેટ લિમિટેડ સાથેની ભાગીદારીમાં...

• અમદાવાદના નરોડા અને મણિનગરમાં બે નવા વેચાણ કેન્દ્રો...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here