Monday, September 16, 2024
HomeGujaratAhmedabadઅમદાવાદમાં બૂટલેગરના દીકરાનું અપહરણ થતાં વિસ્તાર બાનમાં લીધો, યુવકનું અપહરણ કરી માર...

અમદાવાદમાં બૂટલેગરના દીકરાનું અપહરણ થતાં વિસ્તાર બાનમાં લીધો, યુવકનું અપહરણ કરી માર માર્યો

Date:

spot_img

Related stories

કેરળમાં ખતરનાક વાયરસના કારણે સિનેમાઘરો, થિયેટરો, શાળાઓ, કોલેજો, આંગણવાડીઓ...

કેરળના મલપ્પુરમ જિલ્લામાં વધી રહેલા નિપાહ વાઈરસના કેસ વધવાના...

દિલ્હીના નવા CMની જાહેરાત આવતીકાલે થશે, ધારાસભ્યોની બેઠકમાં નામ...

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપવાની જાહેરાત...

હિન્દીમાં હવે MBBS ભણી શકાશે, આ રાજ્યમાં સ્થાનિક ભાષામાં...

હવે MBBS ભણી શકાશે હિન્દીમાં, આ રાજ્યોમાં મળશે હિન્દીમાં...

પીએમ મોદીએ અમદાવાદના જીએમડીસી ખાતે ગુજરાતને 8,000 કરોડના વિકાસકાર્યોની...

વડાપ્રધાન નરેન્દ્ર મોદીમાં ત્રણ દિવસના ગુજરાતના પ્રવાસે છે, ત્યારે...

એર ઈન્ડિયાએ કુઆલાલંપુર, મલેશિયા સુધીની રોજિંદી, નોન-સ્ટોપ ફ્લાઈટ્સ શરુ...

ભારતની અગ્રણી વૈશ્વિક એરલાઇન એર ઇન્ડિયાએ ગઇકાલે દિલ્હી અને...

અદિતિ રાવ હૈદરી અને સિદ્ધાર્થે કર્યા 400 વર્ષ જૂના...

અદિતિ રાવ હૈદરી અને સિદ્ધાર્થ લાંબા સમયથી રિલેશનશિપમાં છે....
spot_img

અમદાવાદના કૃષ્ણનગર વિસ્તારના કુખ્યાત બૂટલેગરના પુત્રનું મોંઘીદાટ કારમાં આવેલા શખ્સોએ અપહરણ કરીને ઢોર માર માર્યો હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. આ ઘટના બાદ બુટલેગરના સાગરિતોએ અડધી રાત્રે કૃષ્ણનગર અને નરોડા વિસ્તારમાં ગાડીઓના કાચ તોડી રીતસરનો આતંક મચાવ્યો હતો. ખુલ્લી તલવારો અને લાકડાના ધોકાઓથી ગાડીઓમાં તોડફોડ કરી હતી. કેટલાંક લોકો તો નશાની હાલતમાં લથડ્યા ખાઈ રહ્યાં હતાં. આ સમયે જ ત્યાથી પોલીસની ગાડી નીકળી હતી, છતાં કોઈ પગલાં લેવામાં આવ્યા નહોતા. કૃષ્ણનગર પોલીસે બુટલેગર કિશોરસિંહ રાઠોડના દીકરા અજીતસિંહની ફરિયાદના આધારે ધમા બારડ અને અન્ય ચાર શખસ સામે ગુનો નોંધ્યો છે. તો ગાડીમાં તોડફોડ બાબતે પણ ગુનો નોધવામાં આવ્યો છે.આ અંગેની મળતી માહિતી મુજબ, અમદાવાદના કૃષ્ણનગર વિસ્તારના કુખ્યાત બૂટલેગર કિશોરસિંહ રાઠોડનો દીકરો અજીતસિંહ ગુરુવારે રાત્રે પોતાની હોટલ બંધ કરીને ઘરે જઈ રહ્યો હતો. રાત્રે દોઢેક વાગ્યાના અરસામાં તેની શ્યામ વિહાર સોસાયટીના દરવાજા પાસે પહોંચ્યો હતો. આ સમયે અચાનક એક મર્સિડીઝ કાર આવી અને ડિપર માર્યું હતું. જેથી અજીતસિંહે કાર રોકાવીને કેમ ડિપર માર્યુ તેમ કહ્યું હતું. અજીતસિંહ આટલું બોલતાની સાથે જ એક શખ્સે કારમાંથી ઉતરીને અજીતસિંહના માથામાં લાકડી ફટકારી દીધી હતી.

યુવકનું અપહરણ કરી માર માર્યો :
જે બાદ કારમાં બેઠેલા અન્ય શખ્સે કોઇને ફોન કરતાં થોડીક જ મિનિટોમાં બ્લેક કલરની અન્ય એક કાર આવી. જેમાં આવેલા કુખ્યાત ધમા બારડ અને તેના બે સાગરીતોએ અજીતસિંહને ઢોર માર મારી કારમાં અપહરણ કરીને લઇ ગયા હતા. થોડેક દૂર લઇ જઇને અજીતસિંહને ફરીથી માર માર્યો હતો. આ દરમિયાન અજીતસિંહના કોઇ ઓળખીતા આવી જતાં ધમા બારડ સહિત પાંચેય જણા ત્યાંથી ફરાર થઈ ગયા હતા.

કેરળમાં ખતરનાક વાયરસના કારણે સિનેમાઘરો, થિયેટરો, શાળાઓ, કોલેજો, આંગણવાડીઓ...

કેરળના મલપ્પુરમ જિલ્લામાં વધી રહેલા નિપાહ વાઈરસના કેસ વધવાના...

દિલ્હીના નવા CMની જાહેરાત આવતીકાલે થશે, ધારાસભ્યોની બેઠકમાં નામ...

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપવાની જાહેરાત...

હિન્દીમાં હવે MBBS ભણી શકાશે, આ રાજ્યમાં સ્થાનિક ભાષામાં...

હવે MBBS ભણી શકાશે હિન્દીમાં, આ રાજ્યોમાં મળશે હિન્દીમાં...

પીએમ મોદીએ અમદાવાદના જીએમડીસી ખાતે ગુજરાતને 8,000 કરોડના વિકાસકાર્યોની...

વડાપ્રધાન નરેન્દ્ર મોદીમાં ત્રણ દિવસના ગુજરાતના પ્રવાસે છે, ત્યારે...

એર ઈન્ડિયાએ કુઆલાલંપુર, મલેશિયા સુધીની રોજિંદી, નોન-સ્ટોપ ફ્લાઈટ્સ શરુ...

ભારતની અગ્રણી વૈશ્વિક એરલાઇન એર ઇન્ડિયાએ ગઇકાલે દિલ્હી અને...

અદિતિ રાવ હૈદરી અને સિદ્ધાર્થે કર્યા 400 વર્ષ જૂના...

અદિતિ રાવ હૈદરી અને સિદ્ધાર્થ લાંબા સમયથી રિલેશનશિપમાં છે....

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here