મુંબઈ : મુંબઈમાં દહી હાંડી ઉત્સવ દરમિયાન એક મોટી દુર્ઘટના ઘટી હતી. દહી હાંડી ઉત્સવ દરમિયાન માનવ પિરામિડ બનાવવામાં સામેલ લગભગ 238 ગોવિંદાઓ મંગળવારે ઈજાગ્રસ્ત થયા હતા. મ્યુનિસિપલ કોર્પોરેશનના એક અધિકારીએ આ દુર્ઘટના અંગે જણાવ્યું કે, ઈજાગ્રસ્ત ગોવિંદાઓને બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC) સંચાલિત અને ખાનગી હોસ્પિટલોમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે. જન્માષ્ટમીના તહેવારના ભાગરૂપે દહી હાંડીનું આયોજન કરવામાં આવે છે. મુંબઈ અને મહારાષ્ટ્રના અન્ય ભાગોમાં પરંપરાગત ઉત્સાહ અને ઉલ્લાસ સાથે આ તહેવાર ઉજવવામાં આવે છે. દહી હાંડીમાં ભાગ લેનાર ગોવિંદા માનવ પિરામિડ બનાવે છે અને હવામાં લટકતી દહીંથી ભરેલી માટીની હાંડી ફોડે છે.
Mumbai: 238 Govindas injured in Dahi Handi celebrations
— ANI Digital (@ani_digital) August 28, 2024
Read @ANI Story | https://t.co/0o7rep4gkA#Mumbai #dahihandifestival #govinda pic.twitter.com/oVwUSKdUMV