Thursday, September 19, 2024
HomeGujaratચોટીલા મામલતદાર કચેરીના સર્કલ ઓફિસર લાંચ લેતાં ઝડપાયા

ચોટીલા મામલતદાર કચેરીના સર્કલ ઓફિસર લાંચ લેતાં ઝડપાયા

Date:

spot_img

Related stories

PM મોદીએ રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું, કોંગ્રેસના ‘વારસદાર’...

જમ્મુ-કાશ્મીરમાં 25 સ્પટેમ્બરના રોજ યોજાનાર બીજા તબક્કાના મતદાન પહેલા...

GDPને 5 ટ્રિલિયન સુધી પહોંચાડવાના પોતાના લક્ષ્યાંક માટે દેશમાંથી...

હવે ગ્રોથમાં લંડનની હરીફાઇ કરશે સુરત. જી…હા.. કેન્દ્ર સરકારે...

ગરબાનો થનગનાટ શરૂ: “રાતલડી”- ધ મંડલી ગરબામાં ઢોલના તાલે...

અમદાવાદ : નવરાત્રિ જેમ જેમ નજીક આવી રહી છે...

સુપ્રીમકોર્ટના બે સિનિયર જજોની બેન્ચો વચ્ચે બબાલ, CJIએ કરવી...

નવી દિલ્હીમાં આડેધડ વૃક્ષો કાપવા મામલે દિલ્હી ડેવલપમેન્ટ એસોસિએશન...

કરીનાની નવી ફિલ્મ ફરી રીલિઝ થયેલી તુમ્બાડ કરતાં પાછળ

બોક્સ ઓફિસ પર સર્જાયેલાં એક આશ્ચર્યમાં કરીના કપૂરની નવી...

જાણીતા સિંગર હિમેશ રેશમિયાના પિતાનું નિધન, બોલિવૂડ ઈન્ડસ્ટ્રી શોકમગ્ન,...

તાજેતરમાં મલાઈકા અરોરાના પિતા અનિલ મહેતાનું નિધન થયું હતું...
spot_img

રાજકોટ: સુરેન્દ્રનગરમાં આજે એસીબીએ એક જ દિવસમાં બે ટ્રેપ ગોઠવી ચોટીલા મામલતદાર કચેરીના સર્કલ ઓફિસર ઉપરાંત ખાણ ખનિજ વિભાગના કલાર્ક સહિત કુલ ત્રણને લાંચ લેતાં ઝડપી લીધા હતા. આ બંને ટ્રેપ એસીબીના રાજકોટ અને ભાવનગર એકમ દ્વારા ગોઠવવામાં આવી હતી. એસીબીના સૂત્રોના જણાવ્યા પ્રમાણે ફરિયાદીના સંબંધીએ નવાગામ સર્વે નં.૬પની જમીન વેચાણ દસ્તાવેજથી ખરીદ કરી હતી. જે જમીનની ગામ નમુના નં.૬માં નોંધ કરાવવાના બદલામાં ચોટીલા મામલતદાર કચેરીના સર્કલ ઓફિસર જીજ્ઞોશ હરિભાઈ પાટડીયાએ રૂા.૧ લાખની લાંચ માંગી હતી. રકઝકના અંતે રૂા.૪૦ હજાર લેવાનું નકકી કર્યું હતું. પરંતુ ફરિયાદી લાંચ આપવા માંગતા ન હોવાથી એસીબીના ટોલ ફ્રી નંબર પર ફરિયાદ કરી હતી. જેના આધારે એસીબીના ભાવનગર એકમના પીઆઈ આર. ડી.સગરે ટ્રેપ ગોઠવી આરોપી જીજ્ઞોશભાઈને તેની જ ચેમ્બરમાંથી રૂા.૪૦ હજારની લાંચ લેતા રંગે હાથ ઝડપી લીધા હતા. બીજા કેસમાં સુરેન્દ્રનગરના ખાણ ખનિજ વિભાગના નાકા ક્લાર્ક સાજીદખાન અહેમદખાન પઠાણ (ઉ.વ.૫૫) અને સિક્યોરિટી ગાર્ડ ગિરીશ હીરાભાઈ ઝાલા (ઉ.વ.૪૭)ને આજે એસીબીએ રૂા. ૧૦૦૦ની લાંચ લેતાં રંગેહાથ ઝડપી લઇ તપાસ આગળ ધપાવી છે.

એસીબીના સૂત્રોના જણાવ્યા પ્રમાણે ફરિયાદીના ત્રણ ડમ્પર ખનિજ વહન માટે સુરેન્દ્રનગર જિલ્લામાં ચાલે છે. જેથી લીંબડી પાસેના કટારિયા ગામના બોર્ડ પાસે આવેલી ખાણ ખનિજ વિભાગની ચેકપોસ્ટના નાકા ક્લાર્ક સાજીદખાન અને સિક્યોરિટી ગાર્ડ ગિરીશે ફરિયાદી પાસેથી એન્ટ્રીનાં અને હેરાનગતિ નહીં કરવાના બદલામાં એક ડમ્પર દીઠ રૂા. ૫૦૦ લેખે રૂા. ૧૫૦૦ની લાંચની માગણી કરી હતી.રકઝકના અંતે રૂા. ૧૦૦૦ લેવા માટે તૈયાર થઇ ગયા હતા. પરંતુ ફરિયાદી લાંચની રકમ આપવા માંગતા ન હોવાથી એસીબી રાજકોટ વિભાગના ઇન્ચાર્જ મદદનીશ નિયામક કે.એચ. ગોહીલ પાસે ફરિયાદ કરી હતી. જેથી પીઆઈ એમ.એમ. લાલીવાલાએ ટ્રેપ ગોઠવી હતી.નક્કી થયા બાદ મુજબ ફરિયાદી ખાણ ખનિજ વિભાગની ચેક પોસ્ટે પહોંચ્યા હતા. જ્યાં નાકા ક્લાર્ક સાજીદખાન અને સિક્યોરિટી ગાર્ડ ગિરીશ રૂા. ૧૦૦૦ની લાંચ લેતાં રંગેહાથ એસીબીના હાથે ઝડપાઇ ગયા હતાં. બંને આરોપીઓ સામે એસીબીએ ગુનો દાખલ કરી તપાસ આગળ ધપાવી છે.

PM મોદીએ રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું, કોંગ્રેસના ‘વારસદાર’...

જમ્મુ-કાશ્મીરમાં 25 સ્પટેમ્બરના રોજ યોજાનાર બીજા તબક્કાના મતદાન પહેલા...

GDPને 5 ટ્રિલિયન સુધી પહોંચાડવાના પોતાના લક્ષ્યાંક માટે દેશમાંથી...

હવે ગ્રોથમાં લંડનની હરીફાઇ કરશે સુરત. જી…હા.. કેન્દ્ર સરકારે...

ગરબાનો થનગનાટ શરૂ: “રાતલડી”- ધ મંડલી ગરબામાં ઢોલના તાલે...

અમદાવાદ : નવરાત્રિ જેમ જેમ નજીક આવી રહી છે...

સુપ્રીમકોર્ટના બે સિનિયર જજોની બેન્ચો વચ્ચે બબાલ, CJIએ કરવી...

નવી દિલ્હીમાં આડેધડ વૃક્ષો કાપવા મામલે દિલ્હી ડેવલપમેન્ટ એસોસિએશન...

કરીનાની નવી ફિલ્મ ફરી રીલિઝ થયેલી તુમ્બાડ કરતાં પાછળ

બોક્સ ઓફિસ પર સર્જાયેલાં એક આશ્ચર્યમાં કરીના કપૂરની નવી...

જાણીતા સિંગર હિમેશ રેશમિયાના પિતાનું નિધન, બોલિવૂડ ઈન્ડસ્ટ્રી શોકમગ્ન,...

તાજેતરમાં મલાઈકા અરોરાના પિતા અનિલ મહેતાનું નિધન થયું હતું...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here