Wednesday, October 2, 2024
HomeIndiaકેદારનાથ હાઈવે પર ભૂસ્ખલનથી તબાહી, ગુજરાતના એક શ્રદ્ધાળુ સહિત 5ના મોત,બચાવ અને...

કેદારનાથ હાઈવે પર ભૂસ્ખલનથી તબાહી, ગુજરાતના એક શ્રદ્ધાળુ સહિત 5ના મોત,બચાવ અને રાહત કામગીરી શરૂ

Date:

spot_img

Related stories

વડોદરામાં વિશ્વામિત્રી નદીનું લેવલ ભયજનક 26 ફૂટ, વડોદરાના માથા...

વડોદરામાં વિશ્વામિત્રી નદીનું લેવલ ભયજનક 26 ફૂટ છે, આજે...

મુખ્યમંત્રી આતિશી અધિકારીઓ સાથે દિલ્હીના રસ્તાઓ પર ઊતર્યા,દિવાળી પહેલા...

આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે દિલ્હીના તૂટેલા...

એચ એન્ડ એમ અને અનામિકા ખન્નાએ પેલેડિયમ અમદાવાદ ખાતે...

શહેરના પ્રીમિયર શોપિંગ અને લાઇફસ્ટાઇલ ડેસ્ટિનેશન, પેલેડિયમ અમદાવાદે પ્રખ્યાત...

અમદાવાદ-ઇન્દોર હાઇવે પર ચાર ટ્રકો એકબીજા સાથે અથડાતા અકસ્માત,...

રાજ્યમાં સતત અકસ્માતોની વણઝાર વધતી જતી જાય છે. ત્યારે...

સૌરાષ્ટ્રનો સૌથી મોટો અને ભાવનગર જિલ્લાની જીવાદોરી સમાન શેત્રુંજી...

સૌરાષ્ટ્રનો સૌથી મોટો અને ભાવનગર જિલ્લાની જીવાદોરી સમાન શેત્રુંજી...

કચ્છમાં સ્થાનિકોની રોજીરોટી છિનવાઇ રહી છે, CM કે મંત્રીઓ...

હાલ ભાજપના ધારાસભ્યોની કફોડી દશા છે. મત વિસ્તારના વિવિધ...
spot_img

ઉત્તરાખંડના રૂદ્રપ્રયાગ જિલ્લામાં કેદારનાથ નેશનલ હાઈવે પર ભૂસ્ખલનમાં અત્યાર સુધીમાં પાંચ લોકોના મોત થઈ ચૂક્યા છે. આજે મંગળવારે વધુ ચાર મૃતદેહો મળી આવ્યા હતા. આ તમામ મૃતકો ભગવાનના દર્શન માટે આવેલા ભક્તો હતા. સોમવારે થયેલા ભૂસ્ખલનમાં ઘણા લોકો કાટમાળ નીચે દટાયા હતા. અત્યાર સુધીમાં પાંચ મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા છે, જ્યારે ત્રણ લોકો ઘાયલ થયા હતા. પોલીસ દ્વારા મળતી માહિતી પ્રમાણે ખરાબ હવામાન, હિમવર્ષા, અંધારુ અને ઘટનાસ્થળે સતત કાટમાળ અને પથ્થરો પડવાના કારણે સોમવારે રાત્રે બચાવ કામગીરી બંધ કરવી પડી હતી. જે બાદ આજે મંગળવારે સવારે વાતાવરણમાં સુધારો આવતાં ફરી રાહત કામગીરી ફરી શરૂ કરવામાં આવી હતી. આ દરમિયાન કાટમાળમાંથી ત્રણ મહિલાઓ સહિત ચાર શ્રદ્ધાળુઓના મૃતદેહને બહાર કાઢવામાં આવ્યા હતા. પોલીસે જણાવ્યું કે, “ઓપરેશન હજુ પણ ચાલુ જ છે. સોનપ્રયાગ અને ગૌરીકુંડ વચ્ચે મુંકટિયા નજીક સોમવારે મોડી સાંજે થયેલા ભૂસ્ખલનના કાટમાળ નીચે વધુ લોકો દટાયા હોવાની આશંકા છે.”પોલીસે જણાવ્યું કે, સવારે મળી આવેલા મૃતદેહોની ઓળખ મધ્યપ્રદેશના ઘાટ જિલ્લાના નેપાવલીની રહેવાસી દુર્ગાબાઈ ખાપર (50), નેપાળના ધનવા જિલ્લાના વૈદેહી ગામની રહેવાસી તિતલી દેવી મંડલ (70), મધ્યપ્રદેશના ધાર જિલ્લાના ઝિઝોરાના રહેવાસી સમનબાઈ (50),ગુજરાતના સુરતના ખટોદરાના રહેવાસી ભરતભાઈ નિરાલાલ (52) તરીકેની થઈ છે. આ પહેલા સોમવારે રાત્રે ઘટના સ્થળેથી મધ્યપ્રદેશના ધાર જિલ્લાના રહેવાસી ગોપાલજી (50)નો મૃતદેહ મળી આવ્યો હતો, જ્યારે અન્ય ત્રણ ઘાયલ ભક્તોને કાટમાળમાંથી બહાર કાઢીને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

બચાવ અને રાહત કામગીરી શરૂ કરવામાં આવી :

માહિતી પ્રમાણે આ દુર્ઘટના શ્રદ્ધાળુઓનું એક ગ્રૃપ કેદારનાથ ધામના દર્શન કરીને પરત ફરી રહ્યું હતું ત્યારે બની હતી. દુર્ઘટનાની જાણ થતાં જ પોલીસ, સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ અને નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સની ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. જે બાદ તરત જ બચાવ અને રાહત કામગીરી શરૂ કરવામાં આવી હતી. દરમિયાન ભૂસ્ખલનથી બંધ કરવામાં આવેલો રસ્તો ચાલવા માટે ખુલ્લો કરવામાં આવ્યો છે. આ સાથે ગૌરીકુંડ તરફ રોકાયેલા મુસાફરોને સુરક્ષિત રીતે સોનપ્રયાગ તરફ મોકલવામાં આવી રહ્યા છે. મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ આ ઘટનામાં માર્યા ગયેલા શ્રદ્ધાળુઓ પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે.

વડોદરામાં વિશ્વામિત્રી નદીનું લેવલ ભયજનક 26 ફૂટ, વડોદરાના માથા...

વડોદરામાં વિશ્વામિત્રી નદીનું લેવલ ભયજનક 26 ફૂટ છે, આજે...

મુખ્યમંત્રી આતિશી અધિકારીઓ સાથે દિલ્હીના રસ્તાઓ પર ઊતર્યા,દિવાળી પહેલા...

આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે દિલ્હીના તૂટેલા...

એચ એન્ડ એમ અને અનામિકા ખન્નાએ પેલેડિયમ અમદાવાદ ખાતે...

શહેરના પ્રીમિયર શોપિંગ અને લાઇફસ્ટાઇલ ડેસ્ટિનેશન, પેલેડિયમ અમદાવાદે પ્રખ્યાત...

અમદાવાદ-ઇન્દોર હાઇવે પર ચાર ટ્રકો એકબીજા સાથે અથડાતા અકસ્માત,...

રાજ્યમાં સતત અકસ્માતોની વણઝાર વધતી જતી જાય છે. ત્યારે...

સૌરાષ્ટ્રનો સૌથી મોટો અને ભાવનગર જિલ્લાની જીવાદોરી સમાન શેત્રુંજી...

સૌરાષ્ટ્રનો સૌથી મોટો અને ભાવનગર જિલ્લાની જીવાદોરી સમાન શેત્રુંજી...

કચ્છમાં સ્થાનિકોની રોજીરોટી છિનવાઇ રહી છે, CM કે મંત્રીઓ...

હાલ ભાજપના ધારાસભ્યોની કફોડી દશા છે. મત વિસ્તારના વિવિધ...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here