Tuesday, October 1, 2024
HomeGujarat4 બ્રિજનું કામ 172 કરોડનું, કોન્ટ્રાક્ટ આપ્યો 251 કરોડમાં, જૂની રૂપાણી સરકારનું...

4 બ્રિજનું કામ 172 કરોડનું, કોન્ટ્રાક્ટ આપ્યો 251 કરોડમાં, જૂની રૂપાણી સરકારનું કૌભાંડ બહાર આવ્યું

Date:

spot_img

Related stories

વડોદરામાં વિશ્વામિત્રી નદીનું લેવલ ભયજનક 26 ફૂટ, વડોદરાના માથા...

વડોદરામાં વિશ્વામિત્રી નદીનું લેવલ ભયજનક 26 ફૂટ છે, આજે...

મુખ્યમંત્રી આતિશી અધિકારીઓ સાથે દિલ્હીના રસ્તાઓ પર ઊતર્યા,દિવાળી પહેલા...

આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે દિલ્હીના તૂટેલા...

એચ એન્ડ એમ અને અનામિકા ખન્નાએ પેલેડિયમ અમદાવાદ ખાતે...

શહેરના પ્રીમિયર શોપિંગ અને લાઇફસ્ટાઇલ ડેસ્ટિનેશન, પેલેડિયમ અમદાવાદે પ્રખ્યાત...

અમદાવાદ-ઇન્દોર હાઇવે પર ચાર ટ્રકો એકબીજા સાથે અથડાતા અકસ્માત,...

રાજ્યમાં સતત અકસ્માતોની વણઝાર વધતી જતી જાય છે. ત્યારે...

સૌરાષ્ટ્રનો સૌથી મોટો અને ભાવનગર જિલ્લાની જીવાદોરી સમાન શેત્રુંજી...

સૌરાષ્ટ્રનો સૌથી મોટો અને ભાવનગર જિલ્લાની જીવાદોરી સમાન શેત્રુંજી...

કચ્છમાં સ્થાનિકોની રોજીરોટી છિનવાઇ રહી છે, CM કે મંત્રીઓ...

હાલ ભાજપના ધારાસભ્યોની કફોડી દશા છે. મત વિસ્તારના વિવિધ...
spot_img

જાન્યુઆરી 2021માં જ્યારે રાજ્ય સરકારમાં મુખ્યમંત્રી પદે વિજય રૂપાણી હતા. ત્યારે સરકારની બ્રિજ ગ્રાન્ટમાંથી રાજકોટમાં તત્કાલીન મ્યુનિ.કમિશનર ઉદીત અગ્રવાલે વહીવટદાર તરીકે તાબડતોબ વહીવટ કરીને રણજીત બિલ્ડકોન પ્રા.લિ.ને 4 બ્રિજનું કામનો કોન્ટ્રાક્ટ આપ્યો હતો. કાલાવડ રોડ વિસ્તારમાં ચાર ઓવર બ્રિજના 172.65 કરોડ રૂપિયાના એસ્ટીમેટ સાથેના કામ શંકાજનક ઉતાવળ કરીને 79 કરોડ રૂપિયાના તોતિંગ ઓન (વધારાના) નાણાં મંજુર રાખીને કૂલ 251 કરોડ રૂપિયામાં લ્હાણી કરી હતી.ગંભીર બાબત એ છે કે રણજીત બિલ્ડકોનને મહાપાલિકાએ અગાઉ (1) તા.8-3-2019ના રૈયાધારમાં 29.73 કરોડ રૂપિયાના ખર્ચે ESR GSR વોટર વર્ક્સનું કામ અને (2) 29-2-2020ના જેટકો ચોકડીએ આવા જ ESRનું કામ 45.50 કરોડ રૂપિયાના ખર્ચે સોંપાયું હતું. આ બન્ને કામો તા.21-12-2021 સુધીમાં પૂરા કરવાની શરત હતી. પરંતુ રણજીત બિલ્ડકોને આ કામ અનુક્રમે તા. 27-7-2023 અને તા.7-3-2024ના એટલે કે આશરે 2 વર્ષથી વધુ સમય લઈને પૂર્ણ કર્યું હતું.

તિજોરીમાંથી રૂ. 79 કરોડ વધારે ખર્ચાયા અને બદલામાં મળી પરેશાની :

એ સમયે રાજકોટ મહાપાલિકામાં ચૂંટાયેલી પાંખની મુદત પૂરી થઈ ગઈ હતી અને વહીવટદારનું શાસન નિમાયું હતું. વહીવટદારના શાસનમાં માત્ર તાકીદના ઈમરજન્સી રૂટીન કામો કરવાના હોય છે અને રાજકોટમાં આ બ્રિજ કોઈ ઈમરજન્સી ન હતી. એટલું જ નહીં, એજન્સીએ 79 કરોડ રૂપિયા જેવી ઓન માંગીહતી અને વાટાઘાટો કરીને, રિટેન્ડર કરીને પ્રજાના આ કરોડોનું આંધણ બચાવવાની જરૂર હતી. પરંતુ ભ્રષ્ટાચારની શંકા જન્મે તે રીતે કમિશનરે ઉતાવળ કરીને ચૂંટણી જાહેર થાય તે પહેલા આ કામો એક જ એજન્સી રણજીત બિલ્ડકોનને લ્હાણી કરી દીધી હતી. તેનું માઠુ પરિણામ એ આવ્યું કે આ બ્રિજના કામો નિયત સમયે પૂરા ન થયા અને તેના કારણે લોકોએ ટ્રાફિકમાં અસહ્ય હાલાકી વેઠવી પડી હતું.

વડોદરામાં વિશ્વામિત્રી નદીનું લેવલ ભયજનક 26 ફૂટ, વડોદરાના માથા...

વડોદરામાં વિશ્વામિત્રી નદીનું લેવલ ભયજનક 26 ફૂટ છે, આજે...

મુખ્યમંત્રી આતિશી અધિકારીઓ સાથે દિલ્હીના રસ્તાઓ પર ઊતર્યા,દિવાળી પહેલા...

આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે દિલ્હીના તૂટેલા...

એચ એન્ડ એમ અને અનામિકા ખન્નાએ પેલેડિયમ અમદાવાદ ખાતે...

શહેરના પ્રીમિયર શોપિંગ અને લાઇફસ્ટાઇલ ડેસ્ટિનેશન, પેલેડિયમ અમદાવાદે પ્રખ્યાત...

અમદાવાદ-ઇન્દોર હાઇવે પર ચાર ટ્રકો એકબીજા સાથે અથડાતા અકસ્માત,...

રાજ્યમાં સતત અકસ્માતોની વણઝાર વધતી જતી જાય છે. ત્યારે...

સૌરાષ્ટ્રનો સૌથી મોટો અને ભાવનગર જિલ્લાની જીવાદોરી સમાન શેત્રુંજી...

સૌરાષ્ટ્રનો સૌથી મોટો અને ભાવનગર જિલ્લાની જીવાદોરી સમાન શેત્રુંજી...

કચ્છમાં સ્થાનિકોની રોજીરોટી છિનવાઇ રહી છે, CM કે મંત્રીઓ...

હાલ ભાજપના ધારાસભ્યોની કફોડી દશા છે. મત વિસ્તારના વિવિધ...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here