Friday, October 4, 2024
HomeSportsગૌતમ ગંભીરની 16 પરીક્ષા, ફેલ થશે તો ખેલ ખતમ! BCCI દ્વારા કરાઈ...

ગૌતમ ગંભીરની 16 પરીક્ષા, ફેલ થશે તો ખેલ ખતમ! BCCI દ્વારા કરાઈ મોટી જાહેરાત : ઓસ્ટ્રેલિયા સામે ગંભીરની અગ્નિપરીક્ષા

Date:

spot_img

Related stories

દિલ્હીમાં ડૉક્ટરની માથામાં ગોળી મારી ચકચારી હત્યા, બે કિશોરોએ...

દિલ્હીના જેતપુરની એક ખાનગી હોસ્પિટલમાં 55 વર્ષીય ડોક્ટરની ગોળી...

દેશની રાજધાની દિલ્હીમાંથી રાજ્યનું સૌથી મોટું ડ્રગ્સ રેકેટ ઝડપાયું...

નવી દિલ્હી : દેશની રાજધાની દિલ્હીમાંથી રાજ્યનું સૌથી મોટું...

ઝારખંડમાં રોટી, બેટી, માટી બચાવવાની લડાઇ, હિંદુઓની વસ્તી ઘટી...

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે ઝારખંડના હજારીબાગમાં પરિવર્તન મહારેલી સંબોધિત...

માડી તારા આવવાના એંધાણ થયા…, આજથી જગત જનની મા...

ભાવનગર : માડી તારા આવવાના એંધાણ થયા…, આજથી જગત...

સુરતમાં મેટ્રોના કારણે વેપારીઓની દિવાળી પણ બગડશે: વળતરની માગ...

સુરત શહેરમાં ચાલી રહેલી મેટ્રોની ધીમી અને નબળી કામગીરીથી...

વડોદરામાં વિશ્વામિત્રી નદીનું લેવલ ભયજનક 26 ફૂટ, વડોદરાના માથા...

વડોદરામાં વિશ્વામિત્રી નદીનું લેવલ ભયજનક 26 ફૂટ છે, આજે...
spot_img

ભારતીય ટીમના નવા મુખ્ય કોચ ગૌતમ ગંભીરના કાર્યકાળની ‘ગંભીર’ શરૂઆત થઈ છે. તેણે ભારત-શ્રીલંકા સિરિઝથી પોતાના અભિયાન શરૂઆત કરી હતી. જોકે આ દરમિયાન ભારતે ટી20 સિરિઝમાં જીત મેળવી છે, તો વન-ડે સિરિઝમાં હારનો સામનો કરવો પડ્યો છે. આવી સ્થિતિમાં ગૌતમ ગંભીર માટે આગામી મેચો ખૂબ જ મહત્વની રહેવાની છે. તાજેતરમાં જ ભારત-ઈંગ્લેન્ડ વચ્ચે ટેસ્ટ સિરિઝના તારીખોની જાહેરાત કરવામાં આવી છે. તેનો અર્થ એ છે કે, ટીમ ઈન્ડિયાનો લગભગ એક વર્ષનો શેડ્યુલ નક્કી થઈ ગયો છે અને આ દરમિયાન ભારતે કુલ 16 ટેસ્ટ મેચો રમવાની છે. ભારતીય ટીમ (Team India) લાંબા સમયથી બ્રેક પર છે, જોકે ત્યારબાદ ટીમે એક પછી એક પરીક્ષાનો સામનો કરવો પડ્યો છે. ટીમ ઈન્ડિયાની આગામી સિરિઝ બાંગ્લાદેશ (Bangladesh) સામે રમાશે. બંને દેશો વચ્ચે બે ટેસ્ટ મેચ ભારતમાં જ રમાશે. 19થી 23 સપ્ટેમ્બર ચેન્નાઈમાં પ્રથમ ટેસ્ટ, જ્યારે 27 સપ્ટેમ્બરથી એક ઓક્ટોબર સુધી કાનપુરમાં બીજી ટેસ્ટ રમાશે. ગૌતમ ગંભીર (Gautam Gambhir)ની કોચની જવાબદારી શ્રીલંકા (Sri Lanka) સામેની વન-ડે સિરિઝમાં નાલેશીભરી હારથી થઈ છે, તેથી હવે બાંગ્લાદેશ સામે સિરિઝ જીતવી જરૂરી છે, જો આમાં પણ ટીમ ઈન્ડિયા ભુલ કરશે, તો ગંભીર સામે આંગળી ચિંધાઈ શકે છે.ભારતીય ટીમે બાંગ્લાદેશ બાદ ન્યુઝીલેન્ડ (New Zealand) વિરુદ્ધ ટેસ્ટ સિરઇઝ રમવાની છે. બંને દેશો વચ્ચે ત્રણ મેચ રમાશે, જેમાં બેંગલુરુમાં 16-20 ઓક્ટોબરે પ્રથમ ટેસ્ટ, પુણેમાં 24-28 ઓક્ટોબરે બીજી ટેસ્ટ અને મુંબઈમાં 1-5 નવેમ્બરે આખરી ટેસ્ટ રમાશે.

ઓસ્ટ્રેલિયા સામે ગંભીરની અગ્નિપરીક્ષા :
ગૌતમ ગંભીરની સૌથી મોટી અગ્નિપરીક્ષા ઓસ્ટ્રેલિયા (Australia) વિરુદ્ધ જોવા મળશે. જ્યાં બંને દેશો વચ્ચે પાંચ ટેસ્ટ મેચોની બોર્ડર ગાવસ્કર સિરિઝ રમાશે. આમાં એક ડે-નાઈટ મેચ પણ સામેલ છે. આ સિરિઝની 22 નવેમ્બરથી શરૂઆત થશે, જે આગામી વર્ષની શરૂઆત સુધી રમાશે. આ દરમિયાન ભારતીય ટીમ પર્થ, એડિલેડ, બ્રિસબેન, મેલબર્ન અને સિડનીના મેદાનમાં રમવા ઉતરશે.

દિલ્હીમાં ડૉક્ટરની માથામાં ગોળી મારી ચકચારી હત્યા, બે કિશોરોએ...

દિલ્હીના જેતપુરની એક ખાનગી હોસ્પિટલમાં 55 વર્ષીય ડોક્ટરની ગોળી...

દેશની રાજધાની દિલ્હીમાંથી રાજ્યનું સૌથી મોટું ડ્રગ્સ રેકેટ ઝડપાયું...

નવી દિલ્હી : દેશની રાજધાની દિલ્હીમાંથી રાજ્યનું સૌથી મોટું...

ઝારખંડમાં રોટી, બેટી, માટી બચાવવાની લડાઇ, હિંદુઓની વસ્તી ઘટી...

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે ઝારખંડના હજારીબાગમાં પરિવર્તન મહારેલી સંબોધિત...

માડી તારા આવવાના એંધાણ થયા…, આજથી જગત જનની મા...

ભાવનગર : માડી તારા આવવાના એંધાણ થયા…, આજથી જગત...

સુરતમાં મેટ્રોના કારણે વેપારીઓની દિવાળી પણ બગડશે: વળતરની માગ...

સુરત શહેરમાં ચાલી રહેલી મેટ્રોની ધીમી અને નબળી કામગીરીથી...

વડોદરામાં વિશ્વામિત્રી નદીનું લેવલ ભયજનક 26 ફૂટ, વડોદરાના માથા...

વડોદરામાં વિશ્વામિત્રી નદીનું લેવલ ભયજનક 26 ફૂટ છે, આજે...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here