Saturday, March 7, 2026
HomeReligionહરિકથા એક એવો પ્રવાહ છે, જેમાં નદી જેમ નિત નૂતનતા છે! એ...

હરિકથા એક એવો પ્રવાહ છે, જેમાં નદી જેમ નિત નૂતનતા છે! એ કેવળ ગતાનુગતિ નથી

Date:

spot_img

Related stories

શેર બજારમાં  ઉથલપાથલ : સેન્સેક્સમાં 1600થી વધુ અંકનો ઘટાડો

ખાડી દેશોમાં ભીષણ જંગના હાલત વચ્ચે ભારતીય શેર બજારમાં...

વડોદરામાં મહિલા કોન્સ્ટેબલે ફાંસો ખાઈ જીવન ટૂંકાવતા ચકચાર

વડોદરામાં પોલીસ વિભાગને હચમચાવી દેતી એક ઘટના સામે આવી...

મર્સિડીઝ-બેન્ઝે ‘પ્રાઇવેટ સ્યુટ ઓન વ્હીલ્સ, તદ્દન નવી V-ક્લાસ એક્સ્ટ્રા...

ભારતની સૌથી ઇચ્છનીય લક્ઝરી કાર નિર્માતા કંપની મર્સિડીઝ-બેન્ઝે આજે ભારતમાં ખાનગી લક્ઝરી મોબિલિટી સ્પેસને પુનઃ વ્યાખ્યાયિત કરીને તદ્દન નવી V-ક્લાસ લોન્ચ કરી છે. નવી V-ક્લાસમાં અજોડ જગ્યા, લક્ઝુરિયસ આરામ અને લક્ઝરી, સ્પેસ તેમજ સ્વતંત્રતાના વાતાવરણનું સર્જન કરતી ડિઝાઇનનો સમાવેશ થાય છે, જે ગ્રાહકોને પરિવહન દરમિયાન લક્ઝરી અને પ્રાઈવસી વચ્ચે શાંત અને સૌમ્ય વાતાવરણ પૂરું પાડે છે. વધુ લાંબા વ્હીલબેઝ કન્ફિગરેશન (5,370 mm લંબાઈ, 3,430 mm વ્હીલબેઝ, 1,928 mm પહોળાઈ, 1,880 mm ઊંચાઈ)માં ઉપલબ્ધ, V-ક્લાસ એવા લોકો માટે ડિઝાઇન કરવામાં આવી છે, જેઓ તેમના પર્યાવરણને નિયંત્રિત કરે છે અને અજોડ આરામ વચ્ચે ફરવાની સ્વતંત્રતાની પ્રશંસા કરે છે. 'પર્સનલ લક્ઝરી સ્પેસ'ના વધતા ચલણને જોતાં, વી-ક્લાસ લક્ઝરી મોબિલિટીની એક નવી શ્રેણીનું પ્રતિનિધિત્વ કરે છે, જે વિશિષ્ટતા અને સુરક્ષાને મહત્વ આપતા પાવર એલીટ્સ, ટ્રેન્ડસેટર અને સમૃદ્ધ ભારતીય પરિવારો માટે વ્યક્તિગત સ્પેસ, સ્વતંત્રતા અને લક્ઝરી આરામ માટે રણદ્વિપ સમાન એક જગ્યા પૂરી પાડે છે. વી-ક્લાસ સાથે, મર્સિડીઝ-બેન્ઝ ગ્રાહકોને એક 'પ્રાઇવેટ સ્યુટ' ઓફર કરે છે, જે દરેક મુસાફરીને ઊંડાણપૂર્વકના વ્યક્તિગત અનુભવમાં પરિવર્તિત કરવા માટે ડિઝાઈન કરવામાં આવ્યું છે, જે તેને વ્હીલ્સ પરની એક ક્યુરેટેડ જગ્યા બનાવે છે. વી-ક્લાસ વાસ્તવમાં મુસાફરી માટેનું એક ખાનગી સ્યુટ બની જાય છે, જે ઘણું સ્પષ્ટ, જગ્યા ધરાવતું અને ગ્રાહકોની વ્યક્તિગત પસંદગીઓને અનુરૂપ આકાર પામેલું છે. વધુને વધુ ભારતીય પરિવારો તેમના પાલતુ પ્રાણીઓ સાથે પારિવારિક મુસાફરી માટે વૈભવી ખાનગી વાહનો પસંદ કરી રહ્યા છે,અને વી-ક્લાસ વૈવિધ્યપૂર્ણ જરૂરિયાતો ધરાવતા આવા પરિવારોને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવી છે. વી-ક્લાસ આ પરિવારો માટે એક વધારાનું વાહન હશે, જેમના માટે સ્વતંત્રતા અને પ્રાઈવસી સાથે વૈભવી મુસાફરી કરવી અત્યંત મહત્વપૂર્ણ બની રહે છે. અત્યાધુનિક 6-સીટ લેઆઉટમાં બીજી હરોળમાં ફર્સ્ટ-ક્લાસ લક્ઝરી પર્સનલ સીટો છે, જેમાં 3-સ્ટેજ વેન્ટિલેશન અને મસાજ, કાફ સપોર્ટ, જરૂરિયાત પ્રમાણે ગોઠવી શકાય તેવા કપહોલ્ડર્સ અને વાયરલેસ ચાર્જિંગનો સમાવેશ થાય છે. ત્રીજી હરોળ આ વાહનને તેના સેગમેન્ટમાં પ્રથમ વાહન તરીકે સ્થાન આપે છે

એમક્યોર ફાર્માસ્યુટિકલ્સ અને રૉશે ભારતમાં નેફ્રોલોજી અને ટ્રાન્સપ્લાન્ટ કેરને...

એમક્યોર ફાર્માસ્યુટિકલ્સે (BSE:544210, NSE:EMCURE) આજે ​​નેફ્રોલોજી અને ટ્રાન્સપ્લાન્ટ મેડિસિન પોર્ટફોલિયોમાં પસંદગીની...

વેદાંત ઇન્ટરનેશનલ પ્રિ સ્કૂલ માં હોળી-ધૂળેટી પર્વની ઉજવણી

વેદાંત ઇન્ટરનેશનલ પ્રિ સ્કૂલ માં હોળી-ધૂળેટી પર્વનો અનેરો ઉત્સાહ...

માલાબાર ગોલ્ડ એન્ડ ડાયમંડ્સે ‘ZOUL’ લોન્ચ કર્યુઃ સમકાલીન ફાઈન...

 વિશ્વની ટોચની અને સૌથી વિશ્વસનીય ગોલ્ડ એન્ડ ડાયમંડ જ્વેલરી...
spot_img

બાપુએ માનસ ગોદાવરી કથાની શરૂઆત કરતાં કહ્યું કે ભગવાન રામજી એ જ્યાં નિવાસ કર્યો એવાં નાસિક પંચવટી જેવી તીર્થ ભૂમિમાં મને કુંભમાં કથા કરવાનો અવસર પ્રાપ્ત થયો છે, એ મારી માટે બહુ મોટાં સદભાગ્યની વાત છે. ઉપરાંત હમણાં અહીંથી કહ્યું એમ શ્રાવણ માસ ચાલી રહ્યો છે, જન્માષ્ટમી અને શિક્ષકદિન એટલે કે દાર્શનિક મહાપુરુષ ડોક્ટર રાધાક્રિશ્નનનું સ્મરણ થાય એવાં પાવન દિવસોમાં કથાનું આયોજન કરવામાં આવ્યું છે. કુંભમાં આપણે ત્યાં સ્નાનનો મહિમા છે, રામકથાને પણ ગંગા કહેવામાં આવી છે, તો આપણે સૌ માનસ ગોદાવરીમાં સ્નાન કરી આ કુંભને ઉજવીશું. પૂજ્ય જ્ઞાનદાસ બાપુ અને એની આખી મંડળીને મારા પ્રણામ, મુનિજી મહારાજના અપાર અનુગ્રહ યાદ કર્યો, અને એમણે આવીને આશીર્વાદ આપ્યાં! ઊપરથી પોતાનો અહોભાવ વ્યક્ત કર્યો. આ ઉપરાંત ઉપસ્થિત મહાનુભાવો અને કથા મંડપમાં બિરાજમાન સંતગણ, વૈષ્ણવ, સંન્યાસી અને અન્ય અખાડાના સંતો મહંતો અને મહામંડલેશ્વર ને વ્યાસપીઠ પરથી પ્રણામ કર્યા, અને કથાના શ્રોતાઓને પ્રણામ અને જય સીયારામ કરી કથાના વિષયમાં પ્રવેશ કર્યો.

બાપુએ કહ્યું કે આપણે સૌ સાથે મળીને આ નવ દિવસમાં માનસ ગોદાવરી તત્વ શું છે! એને વિશે વાત કરીશું. હું કોઈ ઉપદેશ દેવા નથી આવ્યો, મારી એ ઓકાત પણ નથી. હું તમારી સાથે નવ દિવસ આ વિષય પર સાત્વિક તાત્વિક ચર્ચા કે સંવાદ કરીશ.

સુરસરી સરસઈ દિનકર કન્યા,
મેકલ સૂતા ગોદાવરી ધન્યા.
અનુજ સહિત ગયે પ્રભુ તહવા,
ગોદાવરી તટ આશ્રમ જહવા.

ગોદાવરીનાં તટ પર એટલે કે પંચવટીમાં પ્રભુએ પાંચ લીલા કરી છે, અને એમનાં વનવાસ ગમનનો ઘણો સમય અહીં વિત્યો છે, અને અહીંથી જ તેમની લલિત નર લીલાનો પ્રારંભ થયો! તેમજ પંચવટીમાં પાંચ વૃક્ષનો પણ મહિમા ગવાયો છે પ્રભુની પાંચ લીલાની વાત કરતાં કહ્યું કે, પંચવટીમાં લક્ષ્મણજી એ પ્રભુને પાંચ આધ્યાત્મિક પ્રશ્ન કર્યા હતા જેને (૧) માનસ રામ ગીતા, જે એક કથા માટે સ્વતંત્ર વિષય છે.(૨) શૂર્પણખાનો પ્રસંગ. (૩) પ્રભુ એ ખર દૂષણ સહિત ચૌદ હજાર અસૂરોનું નિર્વાણ કર્યું.( ૪) સુવર્ણ મૃગ બનીને આવેલ મારીચ વધનો પ્રસંગ. (૫) સાધુ વેશે આવીને રાવણ માતા જાનકીનું અપહરણ કરે છે એ પ્રસંગ! અને ત્યાર બાદ પ્રભુ પંચવટી છોડી દે છે, અને લક્ષ્મણ સાથે માતા સીતાની શોધમાં નીકળી પડે છે.આગળના અધ્યાય માં પ્રવેશ કરતાં કહ્યું કે તુલસીદાસજી એ રામચરિત માનસની નદીઓની સાથે તુલના કરી છે. ભગવાન શંકર એ રામકથા ને ગંગા સાથે સરખાવી છે, તો આગળ જતાં તુલસીદાસજી રામકથા ને મંદાકિની પણ કહે છે,અને શિવપ્રિયા મેકલ શૈલ સૂતા સી,એમ કહી એને મેકલ સૂતા પણ કહે છે. તુલસીદાસજી રામકથા ને નદી સાથે સરખાવે છે, એ વિશે ચિંતન કરીએ તો એના પણ કારણો છે.

  • નદી એક પ્રવાહ રુપે વહે છે, કથા જડ નથી,એ કેવળ ગતાનુગતિ નથી, સરિતાનો કલકલ નાદ કરતો એક પ્રવાહ છે. ભગવાનની કથા સંકીર્ણ નથી, બંધિયાર નથી,જે આલોચના કરે છે એમનાં ભાગ્ય હજી ખૂલ્યા નથી. કથા એક એવો પ્રવાહ છે, જેમાં નદી જેમ નિત નૂતનતા છે. જમાના એ સ્વીકારવું પડશે કે કથાકારો એ કથા દ્વારા તત્વ સત્વ ને પ્રવાહિત રાખવાનું કાર્ય કર્યું છે. ચંદ્રેશ મકવાણા ના શેરને યાદ કરીને કબીરનું સ્મરણ કર્યું, અને કહ્યું કે જેમ કથાના સાત્વિક સ્વરૂપ ની આપણે વાત કરી એ જ રીતે ગોદાવરીનાં તાત્વિક સ્વરૂપ ને પણ સમજવું જોઈએ. લોકો તીર્થમાં આવી ને સ્નાન કરી પોતે પવિત્ર થાય છે,પણ તીર્થ ને અપવિત્ર કરે છે. આપણે જો એનાં તાત્વિક સ્વરૂપ ને જાણીએ તો તીર્થ અપવિત્ર થતાં અટકી શકે છે. ગોદાવરીનાં આંતરિક સ્વરૂપની ચર્ચા આ કથાનો મુખ્ય સંવાદ છે. ગોદાવરી ના તટ પર પંચવટીમાં પ્રભુએ બહુ લાંબો સમય પસાર કર્યો, અને અહીં પાંચ પ્રસંગની વાત આપણે કરી,એ રામકથા નો મુખ્ય આધાર છે. કારણ કે અહીંથી પ્રભુએ લલિત નર લીલાનો શ્રીગણેશ થયા હતાં, અને એટલે એમણે આ જગ્યા પસંદ કરી હતી. એમણે કહ્યું કે “તુમ પાવક મેં કરહું નિવાસા”! એ રીતે જોઈએ તો ચિત્રકૂટની ભૂમિ પર પ્રભુએ વિહાર કર્યો, એટલે જે નરલીલા ચાલી એનો પણ એક મહિમા છે. કથાના પ્રારંભે બાપ શબ્દનો ઉચ્ચાર કરું છું અને લોકો તાળી પાડે છે, અરે હજી કથા સાંભળો, અને પછી પણ મહિમા તો રામ નો છે! તુલસીદાસજી નો છે! હું કથાને પ્રવાહ બનાવવા મથું છું અને લોકો એને મોરારીબાપુ નામનો ડેમ બનાવવા માગે છે! હું કોઈ ડેમ નથી! ભગવાન રામે સવિનય ઘણી પરંપરા તોડી છે, અને પરિવર્તન પણ કર્યું છે. લક્ષ્મણજી એ તો આ ગોદાવરીની ભૂમિ પર લક્ષ્મણ રેખાઓ નિર્મિત કરી છે. માનસ ગોદાવરી શ્રાવણ અંતર્ગત થઈ હતી, એટલે ફિલ્મ ગીતની પંક્તિ યાદ કરી શ્રાવણનો મહિમા ગાતા કહ્યું કે, શ્રાવણ એ મારનારો મહિનો છે. અંદરનો વિકાર બહુ સતાવે તો શ્રાવણમાં શીવને ભજો! શ્રાવણ સિવાય કોઈ ઝૂમીને નથી આવતું! તો બાપ! કુંભનો પાવન અવસર, પાવન તીર્થ, પાવન રામકથા, પાવન કરનારો મહા પુરુષોનો સંગ હોય ત્યારે આપણે સૌ ભીતરી ગોદાવરી શોધીએ,કે જેમાં આપણાં દ્વારા કોઈનું હરણ તો નથી થયું ને? ક્યાંક કોઈનો વધ તો નથી થયો ને? કોઈનાં નાક કાન તો નથી કપાયા ને? દરેકનાં ભીતરમાં આવી કેટલીય ઘટનાઓ ઘટી હોય છે, અને એને શોધવું એ જ માનસ ગોદાવરીનું તાત્વિક સ્વરૂપ છે. એ સમયે આવી ઘટના અહીં તો ઘટી જ અને એ જ તો પરમ સત્ય છે. મહારાષ્ટ્રનાં આ પાવન પ્રદેશમાં આપણે સૌ ભેગા મળીને આપણી ભીતર પ્રવાહિત અને ચેતનામય ગોદાવરીની શોધ કરી, રામકથાનાં સહયોગથી આપણે કંઈક અમૃત પીને જઈએ. ભીતરી અનૂભૂતિ ઓને એકાકાર કરવા તો આપણે આવ્યા છીએ! તકરાર કરવા નહીં.

પૂજ્ય બાપુ કહે છે કે માનસનો એવી રીતે પાઠ કરો માનસ તમને પ્રેમ કરે! એક દિવસ ચોપાઈ ન ગાઈએ તો ચોપાઈ ને રડવું આવે! માનસ આપણને પ્રેમ કરે! ભગવાન રામ આપણને પ્રેમ કરે! આપણે તો એ પરમ તત્વ છે એને પ્રેમ કરવાના જ છીએ! આપણે એને નહીં પોકારીએ તો કોણ પોકારશે? પણ શાસ્ત્ર કરે એ વાત કંઈક ઔર છે! સૌ શાસ્ત્ર ને આદર આપવો પણ કોઈ એક પ્રિય હોય અને એનાં પણ આપણે પ્રિય બનીએ!
એક બાની કરુના નિધાન કી,સો પ્રિય જાકે ગતિ ન જાન કી. જેમની અન્ય ગતિ નથી એને હું ખૂબ પ્રેમ કરું છું, આમ કહી પૂજ્ય બાપુ એ કથાનો ક્રમ લીધો.

રામ ચરિત માનસ નાં સાત કાંડ છે એ આપ સૌ જાણો છો, બાલકાંડ, અયોધ્યાકાંડ, અરણ્યકાંડ, કિષ્કિંધાકાંડ, સુંદરકાંડ, લંકાકાંડ, અને ઉત્તરકાંડ, એમ છે. માનસનાં પ્રથમ સોપાનમાં તુલસીદાસજી સાત મંત્રોમાં કહે છે કે,

વર્ણાનામર્થસંઘાનાં રસાનાં છન્દસામપિ,
મઙ્ગલાનાં ચ કર્ત્તારૌ વન્દે વાણીવિનાયકૌ (૧)

આ પછી શ્લોક ને લોક સુધી પહોંચાડવા તુલસીદાસજી લોક બોલીમાં આવ્યા,અને પાંચ સોરઠમાં પંચ દેવની સ્તુતિ કરી, ત્યાર બાદ સદગુરુ ભગવાનની સ્તુતિ કરી અને કહ્યું કે, માનસનું પ્રથમ પ્રકરણ ગુરૂ વંદના છે, અને જેમાં ગુરુ ચરણ રજ થી પોતાના નેત્રો ને વિવેકમય કરીને તુલસીદાસજી આગળ વધે છે. આખાં જગતને સીયારામ મય સબ જગ જાની, આમ કહી પ્રણામ કરે છે. ત્યાર બાદ આખાં, શ્રી રામનાં રાજ પરિવાર ની વંદના કરી અને પછી હનુમાનજીની વંદના કરી,
મહાવીર વિનવઉં હનુમાના, રામ જાસુ જસ આપ બખાનાં, અતુલિત બલધામ હેમ શૈલાભ દેહમ…..
જાસુ હ્રદય આગાર બસહિ રામ સર ચાપ ધર..આમ કહી આવતી કાલ એ રામ નામ વંદના વિશે વાત કરીશું કહીને પહેલાં દિવસની રામકથા ને વિરામ આપ્યો!.

સંકલન- ફાલ્ગુની વસાવડા (ભાવનગર)

શેર બજારમાં  ઉથલપાથલ : સેન્સેક્સમાં 1600થી વધુ અંકનો ઘટાડો

ખાડી દેશોમાં ભીષણ જંગના હાલત વચ્ચે ભારતીય શેર બજારમાં...

વડોદરામાં મહિલા કોન્સ્ટેબલે ફાંસો ખાઈ જીવન ટૂંકાવતા ચકચાર

વડોદરામાં પોલીસ વિભાગને હચમચાવી દેતી એક ઘટના સામે આવી...

મર્સિડીઝ-બેન્ઝે ‘પ્રાઇવેટ સ્યુટ ઓન વ્હીલ્સ, તદ્દન નવી V-ક્લાસ એક્સ્ટ્રા...

ભારતની સૌથી ઇચ્છનીય લક્ઝરી કાર નિર્માતા કંપની મર્સિડીઝ-બેન્ઝે આજે ભારતમાં ખાનગી લક્ઝરી મોબિલિટી સ્પેસને પુનઃ વ્યાખ્યાયિત કરીને તદ્દન નવી V-ક્લાસ લોન્ચ કરી છે. નવી V-ક્લાસમાં અજોડ જગ્યા, લક્ઝુરિયસ આરામ અને લક્ઝરી, સ્પેસ તેમજ સ્વતંત્રતાના વાતાવરણનું સર્જન કરતી ડિઝાઇનનો સમાવેશ થાય છે, જે ગ્રાહકોને પરિવહન દરમિયાન લક્ઝરી અને પ્રાઈવસી વચ્ચે શાંત અને સૌમ્ય વાતાવરણ પૂરું પાડે છે. વધુ લાંબા વ્હીલબેઝ કન્ફિગરેશન (5,370 mm લંબાઈ, 3,430 mm વ્હીલબેઝ, 1,928 mm પહોળાઈ, 1,880 mm ઊંચાઈ)માં ઉપલબ્ધ, V-ક્લાસ એવા લોકો માટે ડિઝાઇન કરવામાં આવી છે, જેઓ તેમના પર્યાવરણને નિયંત્રિત કરે છે અને અજોડ આરામ વચ્ચે ફરવાની સ્વતંત્રતાની પ્રશંસા કરે છે. 'પર્સનલ લક્ઝરી સ્પેસ'ના વધતા ચલણને જોતાં, વી-ક્લાસ લક્ઝરી મોબિલિટીની એક નવી શ્રેણીનું પ્રતિનિધિત્વ કરે છે, જે વિશિષ્ટતા અને સુરક્ષાને મહત્વ આપતા પાવર એલીટ્સ, ટ્રેન્ડસેટર અને સમૃદ્ધ ભારતીય પરિવારો માટે વ્યક્તિગત સ્પેસ, સ્વતંત્રતા અને લક્ઝરી આરામ માટે રણદ્વિપ સમાન એક જગ્યા પૂરી પાડે છે. વી-ક્લાસ સાથે, મર્સિડીઝ-બેન્ઝ ગ્રાહકોને એક 'પ્રાઇવેટ સ્યુટ' ઓફર કરે છે, જે દરેક મુસાફરીને ઊંડાણપૂર્વકના વ્યક્તિગત અનુભવમાં પરિવર્તિત કરવા માટે ડિઝાઈન કરવામાં આવ્યું છે, જે તેને વ્હીલ્સ પરની એક ક્યુરેટેડ જગ્યા બનાવે છે. વી-ક્લાસ વાસ્તવમાં મુસાફરી માટેનું એક ખાનગી સ્યુટ બની જાય છે, જે ઘણું સ્પષ્ટ, જગ્યા ધરાવતું અને ગ્રાહકોની વ્યક્તિગત પસંદગીઓને અનુરૂપ આકાર પામેલું છે. વધુને વધુ ભારતીય પરિવારો તેમના પાલતુ પ્રાણીઓ સાથે પારિવારિક મુસાફરી માટે વૈભવી ખાનગી વાહનો પસંદ કરી રહ્યા છે,અને વી-ક્લાસ વૈવિધ્યપૂર્ણ જરૂરિયાતો ધરાવતા આવા પરિવારોને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવી છે. વી-ક્લાસ આ પરિવારો માટે એક વધારાનું વાહન હશે, જેમના માટે સ્વતંત્રતા અને પ્રાઈવસી સાથે વૈભવી મુસાફરી કરવી અત્યંત મહત્વપૂર્ણ બની રહે છે. અત્યાધુનિક 6-સીટ લેઆઉટમાં બીજી હરોળમાં ફર્સ્ટ-ક્લાસ લક્ઝરી પર્સનલ સીટો છે, જેમાં 3-સ્ટેજ વેન્ટિલેશન અને મસાજ, કાફ સપોર્ટ, જરૂરિયાત પ્રમાણે ગોઠવી શકાય તેવા કપહોલ્ડર્સ અને વાયરલેસ ચાર્જિંગનો સમાવેશ થાય છે. ત્રીજી હરોળ આ વાહનને તેના સેગમેન્ટમાં પ્રથમ વાહન તરીકે સ્થાન આપે છે

એમક્યોર ફાર્માસ્યુટિકલ્સ અને રૉશે ભારતમાં નેફ્રોલોજી અને ટ્રાન્સપ્લાન્ટ કેરને...

એમક્યોર ફાર્માસ્યુટિકલ્સે (BSE:544210, NSE:EMCURE) આજે ​​નેફ્રોલોજી અને ટ્રાન્સપ્લાન્ટ મેડિસિન પોર્ટફોલિયોમાં પસંદગીની...

વેદાંત ઇન્ટરનેશનલ પ્રિ સ્કૂલ માં હોળી-ધૂળેટી પર્વની ઉજવણી

વેદાંત ઇન્ટરનેશનલ પ્રિ સ્કૂલ માં હોળી-ધૂળેટી પર્વનો અનેરો ઉત્સાહ...

માલાબાર ગોલ્ડ એન્ડ ડાયમંડ્સે ‘ZOUL’ લોન્ચ કર્યુઃ સમકાલીન ફાઈન...

 વિશ્વની ટોચની અને સૌથી વિશ્વસનીય ગોલ્ડ એન્ડ ડાયમંડ જ્વેલરી...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here