કોલકાતાની આર જી કર હોસ્પિટલમાં મહિલા ડૉક્ટર પર દુષ્કર્મ અને હત્યાનો કેસ હજુ પણ ચર્ચામાં છે. આ ઘટનાના વિરોધમાં મમતા બેનરજીના સીએમ પદેથી રાજીનામાની માગ સાથે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ માર્ગો પર ઊતર્યા હતા. ત્યારે ભાજપે પણ આજે બંધના એલાનની જાહેરાત કરી દીધી હતી. જેના પગલે સમગ્ર રાજ્યમાં હિંસા અને ફાયરિંગ અને દેખાવો દરમિયાન અથડામણ જેવી ઘટનાઓના કિસ્સા સામે આવવા લાગ્યા છે. બંગાળમાં ભાજપે આજે 12 કલાકના બંધનું એલાન કર્યું હતું. આ દરમિયાન ભાટપાડામાં ભાજપના સ્થાનિક નેતા પ્રિયાંગુ પાંડેના વાહન પર ફાયરિંગની ઘટના બની હોવાના અહેવાલ છે. ભાજપના નેતા સુવેન્દુ અધિકારીએ દાવો કર્યો હતો કે ટીએમસીના કાર્યકરોએ જ આ ઘટનાને અંજામ આપ્યો છે. ડ્રાઈવરને ગોળી વાગી હતી.
#WATCH | Dhakuria, West Bengal: 12-hour 'Bengal Bandh' called by BJP to protest against the state government; bus services affected in the state pic.twitter.com/R01D6Mq0D7
— ANI (@ANI) August 28, 2024