Thursday, September 19, 2024
HomeIndiaમમતાનો ડોક્ટરોને મનાવવા અંતિમ પ્રયાસ…..શરતો સાથે સાંજે 5:00 વાગ્યે વાતચીત માટે બોલાવ્યા

મમતાનો ડોક્ટરોને મનાવવા અંતિમ પ્રયાસ…..શરતો સાથે સાંજે 5:00 વાગ્યે વાતચીત માટે બોલાવ્યા

Date:

spot_img

Related stories

PM મોદીએ રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું, કોંગ્રેસના ‘વારસદાર’...

જમ્મુ-કાશ્મીરમાં 25 સ્પટેમ્બરના રોજ યોજાનાર બીજા તબક્કાના મતદાન પહેલા...

GDPને 5 ટ્રિલિયન સુધી પહોંચાડવાના પોતાના લક્ષ્યાંક માટે દેશમાંથી...

હવે ગ્રોથમાં લંડનની હરીફાઇ કરશે સુરત. જી…હા.. કેન્દ્ર સરકારે...

ગરબાનો થનગનાટ શરૂ: “રાતલડી”- ધ મંડલી ગરબામાં ઢોલના તાલે...

અમદાવાદ : નવરાત્રિ જેમ જેમ નજીક આવી રહી છે...

સુપ્રીમકોર્ટના બે સિનિયર જજોની બેન્ચો વચ્ચે બબાલ, CJIએ કરવી...

નવી દિલ્હીમાં આડેધડ વૃક્ષો કાપવા મામલે દિલ્હી ડેવલપમેન્ટ એસોસિએશન...

કરીનાની નવી ફિલ્મ ફરી રીલિઝ થયેલી તુમ્બાડ કરતાં પાછળ

બોક્સ ઓફિસ પર સર્જાયેલાં એક આશ્ચર્યમાં કરીના કપૂરની નવી...

જાણીતા સિંગર હિમેશ રેશમિયાના પિતાનું નિધન, બોલિવૂડ ઈન્ડસ્ટ્રી શોકમગ્ન,...

તાજેતરમાં મલાઈકા અરોરાના પિતા અનિલ મહેતાનું નિધન થયું હતું...
spot_img

પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ આરજી કર હોસ્પિટલ અને મેડિકલ કોલેજના જુનિયર ડોક્ટરોને આજે સાંજે 5:00 વાગ્યે વાતચીત માટે બોલાવ્યા છે. સીએમ અને વિદ્યાર્થીઓ વચ્ચે આ વાતચીત મમતા બેનર્જીના આવાસ પર થશે. પશ્ચિમ બંગાળના મુખ્ય સચિવ મનોજ પંતે જુનિયર ડોક્ટરોને પત્ર લખીને સીએમ આવાસ પર વાતચીત કરવા માટે આમંત્રણ આપ્યું છે. મનોજ પંતે જુનિયર ડોકટરોને સંબોધીને લખેલા પત્રમાં કહ્યું છે કે, માનનીય સુપ્રીમ કોર્ટના 9 સપ્ટેમ્બર, 2024ના આદેશને ધ્યાનમાં રાખીને કાયદાનું પાલન કરતા નાગરિકો તરીકે સુપ્રીમ કોર્ટના નિર્દેશનું પાલન કરવું એ આપણી ફરજ છે. આ પાંચમી અને છેલ્લી વખત છે જ્યારે અમે માનનીય મુખ્યમંત્રી અને તમારા પ્રતિનિધિઓ વચ્ચે બેઠક માટે તમારો સંપર્ક કરી રહ્યા છીએ. અગાઉની આપણી ચર્ચા બાદ અમે ફરી એકવાર તમને મુખ્યમંત્રી સાથે તેમના કાલીઘાટના નિવાસસ્થાને ખુલ્લા મનથી વાતચીત માટે આમંત્રણ આપી રહ્યા છીએ.પત્રમાં આગળ કહેવામાં આવ્યું છે કે અમને વિશ્વાસ છે કે પરસ્પર સંમતિ મુજબ અને એક દિવસ પહેલા મીડિયાને આપેલા તમારા નિવેદન પ્રમાણે મીટિંગનું કોઈ લાઈવ સ્ટ્રીમિંગ અથવા વિડિયોગ્રાફી નહીં થશે. કારણ કે આ મામલો દેશની સુપ્રીમ કોર્ટમાં વિચારણા હેઠળ છે. તેના બદલામાં બેઠકની મિનિટને રેકોર્ડ કરવામાં આવશે અને બંને પક્ષો દ્વારા હસ્તાક્ષર કરવામાં આવશે.પશ્ચિમ બંગાળના મુખ્ય સચિવ મનોજ પંતે પત્રના છેલ્લા ભાગમાં કહ્યું કે, આ બેઠક આજે એટલે કે 16 સપ્ટેમ્બર 2024ના રોજ સાંજે 5:00 વાગ્યે કાલીઘાટમાં મુખ્યમંત્રીના નિવાસસ્થાને નક્કી કરવામાં આવી છે. અગાઉની ચર્ચા માટે આવેલા પ્રતિનિધિમંડળને વિનંતી કરવામાં આવે છે કે તેઓ આજે સાંજે 4:45 વાગ્યે કાર્યક્રમ સ્થળ પર પહોંચી જાય. અમે તમારા હકારાત્મક પ્રતિભાવ અને સાર્થક ચર્ચાની આશા રાખીએ છીએ. તમને જણાવી દઈએ કે, કોલકાતાના આરજી કર મેડિકલ કોલેજમાં ટ્રેની ડોક્ટરના રેપ અને મર્ડર મામલે જુનિયર ડોક્ટર્સમાં આક્રોશ છે. ડોક્ટરો છેલ્લા 33 દિવસોથી વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. તેઓ પોતાની પાંચ માગો સાથે પ્રદર્શન કરી રહ્યા છે.

PM મોદીએ રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું, કોંગ્રેસના ‘વારસદાર’...

જમ્મુ-કાશ્મીરમાં 25 સ્પટેમ્બરના રોજ યોજાનાર બીજા તબક્કાના મતદાન પહેલા...

GDPને 5 ટ્રિલિયન સુધી પહોંચાડવાના પોતાના લક્ષ્યાંક માટે દેશમાંથી...

હવે ગ્રોથમાં લંડનની હરીફાઇ કરશે સુરત. જી…હા.. કેન્દ્ર સરકારે...

ગરબાનો થનગનાટ શરૂ: “રાતલડી”- ધ મંડલી ગરબામાં ઢોલના તાલે...

અમદાવાદ : નવરાત્રિ જેમ જેમ નજીક આવી રહી છે...

સુપ્રીમકોર્ટના બે સિનિયર જજોની બેન્ચો વચ્ચે બબાલ, CJIએ કરવી...

નવી દિલ્હીમાં આડેધડ વૃક્ષો કાપવા મામલે દિલ્હી ડેવલપમેન્ટ એસોસિએશન...

કરીનાની નવી ફિલ્મ ફરી રીલિઝ થયેલી તુમ્બાડ કરતાં પાછળ

બોક્સ ઓફિસ પર સર્જાયેલાં એક આશ્ચર્યમાં કરીના કપૂરની નવી...

જાણીતા સિંગર હિમેશ રેશમિયાના પિતાનું નિધન, બોલિવૂડ ઈન્ડસ્ટ્રી શોકમગ્ન,...

તાજેતરમાં મલાઈકા અરોરાના પિતા અનિલ મહેતાનું નિધન થયું હતું...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here