Friday, September 20, 2024
HomeEntertainmentમુકેશ છાબરાએ 'રામાયણ'ના કાસ્ટિંગ પર વાત કરી, ઘણા કલાકારોએ રણબીર કપૂર સાથે...

મુકેશ છાબરાએ ‘રામાયણ’ના કાસ્ટિંગ પર વાત કરી, ઘણા કલાકારોએ રણબીર કપૂર સાથે લક્ષ્મણની ભૂમિકા ભજવવાની ના પાડી દીધી

Date:

spot_img

Related stories

પ્રો કબડ્ડી લીગ સીઝન 11 માટે યુ મુમ્બા ગિયર...

અમદાવાદ : પ્રો કબડ્ડી લીગ સીઝન 11 માટે હરાજીમાં...

ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ અને IONAGEએ ભારતમાં ઇવી ચાર્જિંગ...

મહારત્ન અને ફોર્ચ્યુન ગ્લોબલ 500 કંપની ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન...

JPCની બેઠકમાં ભાજપ અને વિપક્ષના સાંસદો આવ્યા સામસામે,વક્ફ બાય...

વક્ફ સંશોધન બિલમાં સંશોધન કરી રહેલી સંયુક્ત સંસદીય સમિતિ...

બે રાજ્યો વચ્ચે મોટો વિવાદ સર્જાયો, 12 કિ.મી. લાંબો...

ઝારખંડમાં ડેમમાંથી પાણી છોડવાથી પશ્ચિમ બંગાળના કેટલાક વિસ્તારોમાં પૂર...

શાહરુખ ખાન આદેશ શ્રીવાસ્તવના પુત્રને મદદ કરવાનું વચન ભૂલી...

સંગીતકાર અને ગાયક આદેશ શ્રીવાસ્તવ મરણપથારીએ હતા ત્યારે તેમના...

પીઢ અભિનેતા શિવ રાજકુમારને પગે લાગી આરાધ્યા, ઐશ્વર્યાએ આપ્યા...

સાઉથ ઈન્ડિયન ઈન્ટરનેશનલ મૂવી એવોર્ડ 2024 તાજેતરમાં દુબઈમાં યોજાયો...
spot_img

બોલિવૂડની મોસ્ટ અવેટેડ ફિલ્મ ‘રામાયણ’ની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. આ ફિલ્મમાં રણબીર કપૂર ભગવાન શ્રી રામનો રોલ કરી રહ્યો છે જ્યારે સાઉથ એક્ટ્રેસ સાઈ પલ્લવી સીતાનો રોલ કરી રહી છે. હવે એક ઈન્ટરવ્યુ દરમિયાન ફિલ્મના કાસ્ટિંગ ડિરેક્ટર મુકેશ છાબરાએ જણાવ્યું છે કે, ઘણા કલાકારોએ રણબીર સાથે લક્ષ્મણનો રોલ કરવાનો ઈન્કાર કરી દીધો હતો.તાજેતરમાં, કાસ્ટિંગ ડિરેક્ટર મુકેશ છાબરા રણવીર અલ્હાબાદિયાના પોડકાસ્ટ પર દેખાયા હતા. વાતચીતમાં તેણે જણાવ્યું કે રામાયણ ફિલ્મમાં લક્ષ્મણને કાસ્ટ કરવા માટે તેને સૌથી વધુ મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. મુકેશ છાબરા આ ફિલ્મ માટે એવા એક્ટરની શોધમાં હતા, જેનાથી અનુમાન લગાવી શકાય કે તે ભગવાન રામના પ્રેમમાં છે અને તેમને અનુસરે છે. મુકેશ છાબરાએ લક્ષ્મણની ભૂમિકા માટે ફાઈનલ કરાયેલા અભિનેતાનું નામ જાહેર કર્યું ન હતું, જો કે તેણે સંકેત આપ્યો હતો કે આ ભૂમિકા માટે ફાઈનલ થયેલ અભિનેતા ટેલિવિઝન અભિનેતા છે. મુકેશ છાબરાએ નામ લીધા વિના કહ્યું કે, હવે પણ જ્યારે હું તેના વિશે વિચારું છું, ત્યારે મને લાગે છે કે તેમનાથી શ્રેષ્ઠ લક્ષ્મણ કોઈ ન હોઈ શકે. હું ખૂબ જ ખુશ છું કે મેં અગાઉ સંપર્ક કર્યો હતો તે તમામ લોકોએ ના પાડી. બે-ત્રણ લોકોએ ના પાડી એટલે મને લાગ્યું કે ઠીક છે. તાજેતરના ઇ-ટાઇમ્સના અહેવાલ મુજબ, લોકપ્રિય ટીવી અભિનેતા અને નિર્માતા રવિ દુબેને રામાયણમાં લક્ષ્મણની ભૂમિકામાં કાસ્ટ કરવામાં આવ્યો છે. ફિલ્મમાં રણબીર કપૂર ભગવાન રામના રોલમાં છે અને સાઈ પલ્લવી માતા સીતાના રોલમાં છે. જો રિપોર્ટ્સનું માનીએ તો ફિલ્મમાં સની દેઓલ હનુમાન અને હરમન બાવેજા વિભીષણની ભૂમિકા ભજવશે.

પ્રો કબડ્ડી લીગ સીઝન 11 માટે યુ મુમ્બા ગિયર...

અમદાવાદ : પ્રો કબડ્ડી લીગ સીઝન 11 માટે હરાજીમાં...

ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ અને IONAGEએ ભારતમાં ઇવી ચાર્જિંગ...

મહારત્ન અને ફોર્ચ્યુન ગ્લોબલ 500 કંપની ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન...

JPCની બેઠકમાં ભાજપ અને વિપક્ષના સાંસદો આવ્યા સામસામે,વક્ફ બાય...

વક્ફ સંશોધન બિલમાં સંશોધન કરી રહેલી સંયુક્ત સંસદીય સમિતિ...

બે રાજ્યો વચ્ચે મોટો વિવાદ સર્જાયો, 12 કિ.મી. લાંબો...

ઝારખંડમાં ડેમમાંથી પાણી છોડવાથી પશ્ચિમ બંગાળના કેટલાક વિસ્તારોમાં પૂર...

શાહરુખ ખાન આદેશ શ્રીવાસ્તવના પુત્રને મદદ કરવાનું વચન ભૂલી...

સંગીતકાર અને ગાયક આદેશ શ્રીવાસ્તવ મરણપથારીએ હતા ત્યારે તેમના...

પીઢ અભિનેતા શિવ રાજકુમારને પગે લાગી આરાધ્યા, ઐશ્વર્યાએ આપ્યા...

સાઉથ ઈન્ડિયન ઈન્ટરનેશનલ મૂવી એવોર્ડ 2024 તાજેતરમાં દુબઈમાં યોજાયો...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here