Thursday, September 19, 2024
HomeIndiaPM મોદીએ રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું, કોંગ્રેસના 'વારસદાર' આપણા દેવી-દેવતાને ભગવાન...

PM મોદીએ રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું, કોંગ્રેસના ‘વારસદાર’ આપણા દેવી-દેવતાને ભગવાન નથી માનતા

Date:

spot_img

Related stories

GDPને 5 ટ્રિલિયન સુધી પહોંચાડવાના પોતાના લક્ષ્યાંક માટે દેશમાંથી...

હવે ગ્રોથમાં લંડનની હરીફાઇ કરશે સુરત. જી…હા.. કેન્દ્ર સરકારે...

ગરબાનો થનગનાટ શરૂ: “રાતલડી”- ધ મંડલી ગરબામાં ઢોલના તાલે...

અમદાવાદ : નવરાત્રિ જેમ જેમ નજીક આવી રહી છે...

સુપ્રીમકોર્ટના બે સિનિયર જજોની બેન્ચો વચ્ચે બબાલ, CJIએ કરવી...

નવી દિલ્હીમાં આડેધડ વૃક્ષો કાપવા મામલે દિલ્હી ડેવલપમેન્ટ એસોસિએશન...

કરીનાની નવી ફિલ્મ ફરી રીલિઝ થયેલી તુમ્બાડ કરતાં પાછળ

બોક્સ ઓફિસ પર સર્જાયેલાં એક આશ્ચર્યમાં કરીના કપૂરની નવી...

જાણીતા સિંગર હિમેશ રેશમિયાના પિતાનું નિધન, બોલિવૂડ ઈન્ડસ્ટ્રી શોકમગ્ન,...

તાજેતરમાં મલાઈકા અરોરાના પિતા અનિલ મહેતાનું નિધન થયું હતું...

ઇંગ્લેન્ડના જેક હોબ્સ બેટરે ફટકારી છે 199 સદી ,...

ક્રિકેટમાં બેટર માટે સદી ફટકારવી એક મોટી સિદ્ધિ ગણાય...
spot_img

જમ્મુ-કાશ્મીરમાં 25 સ્પટેમ્બરના રોજ યોજાનાર બીજા તબક્કાના મતદાન પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કટરાની રેલીમાં જય કારા શેરોવાલીના જયકારથી પોતાનું સંબોધન શરૂ કર્યું હતું. પીએમ મોદીએ અહીં રાહુલ ગાંધી પર નિશાન સાધતા તેમને કોંગ્રેસનો વારસદાર ગણાવ્યો છે. તેમણે કહ્યું કે, કોંગ્રેસ પાર્ટીના વારસદારે વિદેશમાં જઈને શું કહ્યું તે તો તમે બધાએ સાંભળ્યું જ હશે. તેઓ કહે છે કે આપણા દેવી-દેવતા ભગવાન નથી. હિન્દુ ધર્મમાં ગામ-ગામમાં દેવતાઓની પરંપરા છે. આપણે ઈષ્ટ દેવોમાં શ્રદ્ધા રાખનારા લોકો છીએ અને આ કોંગ્રેસ વાળા કહે છે કે દેવતા ભગવાન નથી. શું આ આપણા દેવતાઓનું અપમાન નથી.

રાહુલ ગાંધીના નિવેદનને ગણાવી નક્સલવાદી વિચારસરણી :
બીજા તબક્કાના મતદાન પહેલા પીએમ મોદીએ કટરામાં કહ્યું કે, કોંગ્રેસ તો થોડા મતો માટે આપણી આસ્થા અને આપણી સંસ્કૃતિને ગમે ત્યારે દાવ પર લગાવી શકે છે. અમેરિકામાં કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીના નિવેદનનો ઉલ્લેખ કરતા પીએમ મોદીએ કોંગ્રેસ પર નિશાન સાધ્યું. PMએ કહ્યું કે, કોંગ્રેસના લોકો ભૂલથી આવી વાતો નથી બોલતા પરંતુ આ તેમની ઈરાદાપૂર્વકની ચાલ છે. આ નક્સલવાદી વિચારસરણી છે અને અન્ય દેશોમાંથી ઈમ્પોર્ટ કરવામાં આવેલી વિચારસરણી છે. પીએમ મોદીએ આગળ કહ્યું કે, તમારે કોંગ્રેસ, પીડીપી અને નેશનલ કોન્ફરન્સના જે પરિવારોએ આ વિસ્તારને વર્ષો સુધી ઘાવ આપ્યા, જખમ આપ્યા તેમના રાજકીય વારસાનો સૂર્યાસ્ત કરવો પડશે. તેના માટે તમારે કમળના નિશાનને પસંદ કરવું પડશે. એ ભાજપ જ છે જે તમારા હિતોને પ્રાથમિકતા આપે છે. એ ભાજપ જ છે જેણે તમારી સાથે દાયકાઓથી ચાલી રહેલા ભેદભાવને ખતમ કર્યો છે.પીએમ મોદીએ કહ્યું કે, કોંગ્રેસના નેતાએ ઈરાદાપૂર્વક ડોગરા વિરાસત પર આ હુમલો કર્યો છે. આ મહોબ્બતની દુકાનના નામ પર નફરતનો સામાન વેચવાની આ તેમની જૂની નીતિ છે. તેમને વોટ બેંક સિવાય બીજું કંઈ નથી દેખાતું. તે ભારતમાં ભ્રષ્ટાચારના જન્મદાતા છે.

GDPને 5 ટ્રિલિયન સુધી પહોંચાડવાના પોતાના લક્ષ્યાંક માટે દેશમાંથી...

હવે ગ્રોથમાં લંડનની હરીફાઇ કરશે સુરત. જી…હા.. કેન્દ્ર સરકારે...

ગરબાનો થનગનાટ શરૂ: “રાતલડી”- ધ મંડલી ગરબામાં ઢોલના તાલે...

અમદાવાદ : નવરાત્રિ જેમ જેમ નજીક આવી રહી છે...

સુપ્રીમકોર્ટના બે સિનિયર જજોની બેન્ચો વચ્ચે બબાલ, CJIએ કરવી...

નવી દિલ્હીમાં આડેધડ વૃક્ષો કાપવા મામલે દિલ્હી ડેવલપમેન્ટ એસોસિએશન...

કરીનાની નવી ફિલ્મ ફરી રીલિઝ થયેલી તુમ્બાડ કરતાં પાછળ

બોક્સ ઓફિસ પર સર્જાયેલાં એક આશ્ચર્યમાં કરીના કપૂરની નવી...

જાણીતા સિંગર હિમેશ રેશમિયાના પિતાનું નિધન, બોલિવૂડ ઈન્ડસ્ટ્રી શોકમગ્ન,...

તાજેતરમાં મલાઈકા અરોરાના પિતા અનિલ મહેતાનું નિધન થયું હતું...

ઇંગ્લેન્ડના જેક હોબ્સ બેટરે ફટકારી છે 199 સદી ,...

ક્રિકેટમાં બેટર માટે સદી ફટકારવી એક મોટી સિદ્ધિ ગણાય...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here