Sunday, September 29, 2024
HomeIndiaરાહુલ ગાંધીની આકરી ટીકા ભારતમાંથી રોજગારીની તકો મોદી સંપૂર્ણ ખતમ કરી રહ્યા...

રાહુલ ગાંધીની આકરી ટીકા ભારતમાંથી રોજગારીની તકો મોદી સંપૂર્ણ ખતમ કરી રહ્યા છે

Date:

spot_img

Related stories

ઇડીઆઇઆઇ એ સંરક્ષણ કર્મચારીઓ માટે વિશિષ્ટ તાલીમ કાર્યક્રમનું આયોજન...

અમદાવાદ : ભારતીય ઉદ્યમિતા વિકાસ સંસ્થાન (ઇડીઆઇઆઇ) અમદાવાદે ભારતીય...

યુએસમાં ઘુસવા માટે કેનેડાની સરહદેથી ભારતીયોનો ધસારો વધ્યો, 47000...

સામાન્ય રીતે ભારતીયો યુએસમાં ગેરકાયદે પ્રવેશવા મેક્સિકોની સરહદ પસંદ...

OIC એ ફરી એકવાર કાશ્મીરનો રાગ આલાપ્યો, પાકિસ્તાન ગદગદીત!...

ઓર્ગેનાઈઝેશન ઓફ ઈસ્લામિક કોર્પોરેશને ફરી એકવાર કાશ્મીરનો મુદ્દો ઉઠાવ્યો...

દિલ્હી જતી સ્વતંત્રતા સેનાની એક્સપ્રેસ ટ્રેન પર પથ્થરમારો ,...

બિહારના સમસ્તીપુરમાં ગુરુવારે રાત્રે જયનગરથી નવી દિલ્હી જતી સ્વતંત્રતા...

ઉત્તરપ્રદેશની કાળજું કંપાવતી ઘટના, સ્કૂલની પ્રગતિ માટે ધો. 2ના...

ઉત્તર પ્રદેશના હાથરસમાં ગત અઠવાડિયે એક હોસ્ટેલમાં રહીને અભ્યાસ...

યુકેના વિઝા અને વર્ક પરમીટ અપાવવાના બહાને 15 લાખ...

જુનાગઢના માંડવા ગામે રહેતા સંકેત કુમાર વિઠ્ઠલભાઈ ગજેરા હાલમાં...
spot_img

ચંદીગઢ : હરિયાણામાં પાંચમી ઓક્ટોબરના રોજ યોજાનારી ચૂંટણીએ બરોબરની રાજકીય ગરમી પકડી લીધી છે. કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ વડાપ્રધાન મોદીની આકરી ટીકા કરતા જણાવ્યું હતું કે રાજ્યમાં ભાજપના શાસનમાં બેકારી વધી છે. પીએમ મોદી ભારતમાંથી રોજગારીની તકો જ ખતમ કરી રહ્યા છે. હરિયાણાના યુવાનો ખેતર વેચીને કે વ્યાજે રુપિયા લઈને અમેરિકા જઈ રહ્યા છે. હરિયાણામાં પાંચમી ઓક્ટોબરે યોજાનારી વિધાનસભા ચૂંટણી પછી સરકાર કોંગ્રેસની જ બનશે તેવો દાવો રાહુલ ગાંધીએ કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે હરિયાણાની ચૂંટણીમાં કોંગ્રેસનું વાવાઝોડું ફરી વળશે. તેમણે જણાવ્યું હતું કે ભાજપ સરકારે હરિયાણાને ખતમ કરી નાખ્યું છે. તેમણે જણાવ્યું હતું કે હું તાજેતરમાં અમેરિકા ગયો ત્યાં હરિયાણાના ૧૫થી ૨૦ યુવાનોને મળ્યો હતો. તેઓ ડલ્લાસમાં એક જ રૂમમાં રહેતા હતા. તેઓએ જણાવ્યું હતું કે અમેરિકા જવું હોય તો ૩૫ લાખ રુપિયા આપવા પડે છે. તેઓ આ રકમ ખેતર વેચીને અથવા તો ઊંચા વ્યાજે લે છે.મેં તેમને જણાવ્યું કે તેઓ આટલી રકમમાં અહીં કારોબાર કેમ ન કરી શકે.

તેઓએ જણાવ્યું હતું કે હરિયાણામાં આટલી રકમમાં કશું કરવું શક્ય નથી. રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે આમ ૫૦ લાખ રુપિયા હોય તો પણ હરિયાણામાં નાનો વેપારી ધંધો શરૂ કરી શકતો નથી. આમ ભાજપ સરકાર નાના વેપારીઓને ખતમ કરી રહી છે. તે ફક્ત ૨૫ ઉદ્યોગપતિઓ માટે જ કામ કરે છે. ઉદ્યોગપતિઓના ૧૬ લાખ કરોડના દેવા માફ કરી દીધા છે અને તેની સામે ખેડૂતોની મૂડી પણ છીનવી લીધી છે.તેમણે જણાવ્યું હતું કે સરકારની બધી જ સંસ્થાઓ પર આરએસએસનો કબ્જો છે અને તેનું સંચાલન નાગપુરથી થાય છે. ભાજપની આ સરકાર ખેડૂતો માટે ખેતીના કાળા કાયદા લાવી હતી. ખેડૂતોના પ્રબળ વિરોધના પગલે તેણે આ કાયદા રદ કરવા પડયા. તે ખેડૂતોને હજી પણ એમએસપીનું વચન આપતી નથી. અમે ખેડૂતોને એમએસપીનું વચન આપીએ છીએ. મહિલાઓને પ્રતિ માસે બે હજાર રુપિયાનું વચન આપીએ છીએ અને તેમને ગેસનું સિલિન્ડર ૫૦૦ રુપિયામાં આપવાનું વચન આપીએ છીએ.

ઇડીઆઇઆઇ એ સંરક્ષણ કર્મચારીઓ માટે વિશિષ્ટ તાલીમ કાર્યક્રમનું આયોજન...

અમદાવાદ : ભારતીય ઉદ્યમિતા વિકાસ સંસ્થાન (ઇડીઆઇઆઇ) અમદાવાદે ભારતીય...

યુએસમાં ઘુસવા માટે કેનેડાની સરહદેથી ભારતીયોનો ધસારો વધ્યો, 47000...

સામાન્ય રીતે ભારતીયો યુએસમાં ગેરકાયદે પ્રવેશવા મેક્સિકોની સરહદ પસંદ...

OIC એ ફરી એકવાર કાશ્મીરનો રાગ આલાપ્યો, પાકિસ્તાન ગદગદીત!...

ઓર્ગેનાઈઝેશન ઓફ ઈસ્લામિક કોર્પોરેશને ફરી એકવાર કાશ્મીરનો મુદ્દો ઉઠાવ્યો...

દિલ્હી જતી સ્વતંત્રતા સેનાની એક્સપ્રેસ ટ્રેન પર પથ્થરમારો ,...

બિહારના સમસ્તીપુરમાં ગુરુવારે રાત્રે જયનગરથી નવી દિલ્હી જતી સ્વતંત્રતા...

ઉત્તરપ્રદેશની કાળજું કંપાવતી ઘટના, સ્કૂલની પ્રગતિ માટે ધો. 2ના...

ઉત્તર પ્રદેશના હાથરસમાં ગત અઠવાડિયે એક હોસ્ટેલમાં રહીને અભ્યાસ...

યુકેના વિઝા અને વર્ક પરમીટ અપાવવાના બહાને 15 લાખ...

જુનાગઢના માંડવા ગામે રહેતા સંકેત કુમાર વિઠ્ઠલભાઈ ગજેરા હાલમાં...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here