કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીના પતિ રોબર્ટ વાડ્રાએ કંગના રનૌતના ખેડૂતો અંગેના નિવેદન પર પોતાની પ્રતિક્રિયા આપી છે. કંગના ભાજપના સાંસદ છે, જેને લઈને વાડ્રાનું કહેવું છે કે સંસદમાં તેમના માટે કોઈ સ્થાન નથી અને તે સંસદમાં રહેવા લાયક નથી. બોલિવૂડ એક્ટ્રેસથી સાંસદ બનેલા કંગના પોતાના નિવેદનો માટે મીડિયા હેડલાઈનમાં રહે છે અને ખેડૂતો અંગે આપેલા તેમના તાજેતરના નિવેદન બાદ તે ફરીથી ચર્ચામાં છે.રોબર્ટ વાડ્રાએ મીડિયા સાથેની વાતચીતમાં સાંસદ કંગના રનૌતના નિવેદન પર કહ્યું, ‘તે એક મહિલા છે. હું તેમનું સન્માન કરું છું પરંતુ મને લાગે છે કે તે સંસદમાં રહેવા લાયક નથી. તે શિક્ષિત નથી. તે લોકો વિશે વિચારતી નથી. તેમણે મહિલાઓ વિશે વિચારવું જોઈએ.’ વાડ્રાએ લોકોને મહિલા સુરક્ષાના મુદ્દે એક સાથે આવવાની અપીલ કરી છે. રોબર્ટ વાડ્રાએ મહિલા સુરક્ષા પર જોર આપતાં કહ્યું કે તમામ રાજકીય દળોએ મહિલા સુરક્ષાના મુદ્દે એકસાથે આવીને વિચાર કરવો જોઈએ. કંગના રનૌતે એક ઈન્ટરવ્યૂમાં કથિતરીતે ખેડૂતો અંગે વિવાદિત ટિપ્પણી કરી હતી. ખેડૂતોના મહિનાઓ સુધી લાંબા ચાલેલા પ્રદર્શનો વિશે તેમનો વિચાર હતો કે જો મજબૂત સરકાર ન હોત તો દેશમાં બાંગ્લાદેશ જેવી સ્થિતિ પેદા થઈ શકતી હતી.આંદોલન દરમિયાન કંગના રનૌતનો દાવો હતો, ‘મૃતદેહ લટકી રહ્યાં હતાં’ અને ‘રેપ’ થઈ રહ્યાં હતાં. શાસક પક્ષ ભાજપ સાંસદે આગળ દાવો કર્યો હતો કે આંદોલનની પાછળ અમેરિકા અને ચીન જેવા દેશોનું પણ ષડયંત્ર હતું. તેને લઈને વિપક્ષી દળોએ કંગના અને ભાજપના નેતૃત્વવાળી કેન્દ્ર સરકારને ઘેરવાનું શરૂ કરી દીધું. કંગનાના નિવેદનને લઈને વિપક્ષી પાર્ટીઓ ભાજપ સરકાર પર ખેડૂત વિરોધી અને મહિલા વિરોધી હોવાનો આરોપ લગાવી રહી છે.રોબર્ટ વાડ્રા પૂજા સ્થળોની મુલાકાત કરવા અને દિવ્યાંગ બાળકો સહિત સમાજના વિભિન્ન વર્ગોના લોકોને મળવા માટે પહોંચ્યા હતાં. ત્યારે તેમણે કંગના રનૌતના નિવેદન પર પ્રતિક્રિયા આપી અને તેમને સંસદ માટે અયોગ્ય ગણાવ્યા.
ગાંધી પરિવારના જમાઈ ‘ ખેડૂતો અંગેના નિવેદન પર ભડક્યાં કહ્યું કે કંગના સંસદમાં રહેવા લાયક નથી…
Date: