Wednesday, October 2, 2024
HomeSportsIPL નહીં આ રીતે ટીમ ઈન્ડિયામાં ખેલાડીઓની થાય છે પસંદગી, રોહિત શર્માએ...

IPL નહીં આ રીતે ટીમ ઈન્ડિયામાં ખેલાડીઓની થાય છે પસંદગી, રોહિત શર્માએ જણાવી ‘પ્રોસેસ’

Date:

spot_img

Related stories

વડોદરામાં વિશ્વામિત્રી નદીનું લેવલ ભયજનક 26 ફૂટ, વડોદરાના માથા...

વડોદરામાં વિશ્વામિત્રી નદીનું લેવલ ભયજનક 26 ફૂટ છે, આજે...

મુખ્યમંત્રી આતિશી અધિકારીઓ સાથે દિલ્હીના રસ્તાઓ પર ઊતર્યા,દિવાળી પહેલા...

આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે દિલ્હીના તૂટેલા...

એચ એન્ડ એમ અને અનામિકા ખન્નાએ પેલેડિયમ અમદાવાદ ખાતે...

શહેરના પ્રીમિયર શોપિંગ અને લાઇફસ્ટાઇલ ડેસ્ટિનેશન, પેલેડિયમ અમદાવાદે પ્રખ્યાત...

અમદાવાદ-ઇન્દોર હાઇવે પર ચાર ટ્રકો એકબીજા સાથે અથડાતા અકસ્માત,...

રાજ્યમાં સતત અકસ્માતોની વણઝાર વધતી જતી જાય છે. ત્યારે...

સૌરાષ્ટ્રનો સૌથી મોટો અને ભાવનગર જિલ્લાની જીવાદોરી સમાન શેત્રુંજી...

સૌરાષ્ટ્રનો સૌથી મોટો અને ભાવનગર જિલ્લાની જીવાદોરી સમાન શેત્રુંજી...

કચ્છમાં સ્થાનિકોની રોજીરોટી છિનવાઇ રહી છે, CM કે મંત્રીઓ...

હાલ ભાજપના ધારાસભ્યોની કફોડી દશા છે. મત વિસ્તારના વિવિધ...
spot_img

ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્માએ કહ્યું કે ટેસ્ટ અને વનડે માટે ટીમની પસંદગી કરવા રણજી ટ્રોફી જેવી ઘરેલુ ટુર્નામેન્ટ ખૂબ મહત્વની હોય છે. પસંદગી માટે IPL પણ એક મહત્વની ટુર્નામેન્ટ છે, પરંતુ તેના આવવાથી ભારતની મુખ્ય ઘરેલુ સ્પર્ધાઓનું મહત્વન ઓછું થયુ નથી. શ્રીલંકા સામે ત્રણ મેચની વનડે સિરીઝમાં ભારતને 2-0થી હારનો સામનો કરવો પડ્યો, સિરીઝની પહેલી મેચ ટાઈ રહી હતી. ભારત 1997 બાદ શ્રીલંકાથી વનડે સિરીઝ હાર્યું છે. આ મેચમાં શ્રીલંકાની ધીમી પિચ પર ભારતીય બેટ્સમેન સંઘર્ષ કરતાં નજર આવ્યા.


મેચ બાદ રોહિત શર્માને પ્રેસ કોન્ફરન્સમાં સવાલ કરવામાં આવ્યો કે શું તે ભારતના યુવાન બેટ્સમેનોને ઘરેલુ ક્રિકેટમાં વધુ રમવાની સલાહ આપશે? જેનો જવાબ આપતાં રોહિતે કહ્યું કે ટેસ્ટ અને વનડે ટીમો માટે ખેલાડીઓની પસંદગી કરવાની બાબતમાં ભારતનું ઘરેલુ માળખું સૌથી મહત્વપૂર્ણ છે. ‘અમારું લક્ષ્ય હંમેશાથી જે ખેલાડી હાજર છે તે રણજી ટ્રોફી રમે તે નક્કી કરવાનું રહ્યું છે. આપણી ઘરેલુ ક્રિકેટ આપણા આંતરરાષ્ટ્રીય ક્રિકેટની કરોડરજ્જુ છે. ઘણા ખેલાડી જે અત્યારે દેશનું પ્રતિનિધિત્વ કરી રહ્યાં છે, તે ઘરેલુ ક્રિકેટ રમીને આવ્યા છે, તેથી આપણી ઘરેલુ ક્રિકેટ તમામ માટે મહત્વપૂર્ણ છે. માત્ર એટલું ધ્યાન રાખવાનું છે કે તે પ્રતિસ્પર્ધી બનેલા રહે.’ ‘અમને ઘરેલુ સર્કિટથી ખેલાડી મળે છે, IPLથી નહીં. જ્યારે તમે ટેસ્ટ અને વનડે ક્રિકેટ માટે ખેલાડીઓની પસંદગી કરો છો, તો એ વાત પર ખૂબ ચર્ચા થાય છે કે રણજી ટ્રોફી, વનડે ફોર્મેટ, સૈયદ મુશ્તાક અલી અને આ પ્રકારની અન્ય સ્પર્ધાઓમાં કોણ સારું પ્રદર્શન કરી રહ્યું છે’.ટી20 ક્રિકેટના વધતાં ક્રેઝની વચ્ચે આઈપીએલના વધતાં મહત્વપર વિસ્તારપૂર્વક વાત કરતાં રોહિતે જણાવ્યું કે આ લીગનું પોતાનું મહત્વ છે. ‘IPL એક એવું ફોર્મેટ છે, જ્યાં પડકારો જુદા છે. આ બંનેની પ્રતિસ્પર્ધા છે. આઈપીએલ પણ આપણી ક્રિકેટ છે. આ ઈન્ડિયન પ્રીમિયલ લીગ છે. અંતમાં જે પણ આ તમામ ટુર્નામેન્ટમાં સારું પ્રદર્શન કરશે. તેને જ પસંદ કરવામાં આવશે.’

વડોદરામાં વિશ્વામિત્રી નદીનું લેવલ ભયજનક 26 ફૂટ, વડોદરાના માથા...

વડોદરામાં વિશ્વામિત્રી નદીનું લેવલ ભયજનક 26 ફૂટ છે, આજે...

મુખ્યમંત્રી આતિશી અધિકારીઓ સાથે દિલ્હીના રસ્તાઓ પર ઊતર્યા,દિવાળી પહેલા...

આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે દિલ્હીના તૂટેલા...

એચ એન્ડ એમ અને અનામિકા ખન્નાએ પેલેડિયમ અમદાવાદ ખાતે...

શહેરના પ્રીમિયર શોપિંગ અને લાઇફસ્ટાઇલ ડેસ્ટિનેશન, પેલેડિયમ અમદાવાદે પ્રખ્યાત...

અમદાવાદ-ઇન્દોર હાઇવે પર ચાર ટ્રકો એકબીજા સાથે અથડાતા અકસ્માત,...

રાજ્યમાં સતત અકસ્માતોની વણઝાર વધતી જતી જાય છે. ત્યારે...

સૌરાષ્ટ્રનો સૌથી મોટો અને ભાવનગર જિલ્લાની જીવાદોરી સમાન શેત્રુંજી...

સૌરાષ્ટ્રનો સૌથી મોટો અને ભાવનગર જિલ્લાની જીવાદોરી સમાન શેત્રુંજી...

કચ્છમાં સ્થાનિકોની રોજીરોટી છિનવાઇ રહી છે, CM કે મંત્રીઓ...

હાલ ભાજપના ધારાસભ્યોની કફોડી દશા છે. મત વિસ્તારના વિવિધ...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here