Wednesday, May 14, 2025
HomeReligionઆજે વાત મહાકુંભ વિશે..

આજે વાત મહાકુંભ વિશે..

Date:

spot_img

Related stories

તાલુકા આરોગ્ય કચેરી વિરમગામ ખાતે રક્તદાન કેમ્પ યોજાયો :...

અમદાવાદ જિલ્લા પંચાયત હસ્તક આરોગ્ય વિભાગ દ્વારા વિવિધ તાલુકા...

ભારતમાં ડિજિટલ મનોરંજનમાં પરિવર્તન લાવવા માટે ઓટીટીપ્લે પ્રીમિયમ અને...

ભારતના અગ્રણી ઓટીટી કન્ટેન્ટ એગ્રીગેટર, ઓટીટી પ્લે પ્રીમિયમે જીટીપીએલ...

સુરતમાં ‘ઓપરેશન સિંદૂર’ના વિજયની આન, બાન, શાનથી ઉજવણી થશે...

પહલગામમાં આતંકી હુમલા બાદ ભારતીય સેનાએ પાકિસ્તાન વિરૂદ્ધ કરેલા...

પીએનબી હાઉસિંગ ફાઈનાન્સે નવા ફિક્સ્ડ રેટ નોન-હોમ લોન પ્રોડક્ટ...

ભારતની ત્રીજી સૌથી મોટી હાઉસિંગ ફાઇનાન્સ કંપની પીએનબી હાઉસિંગ...

વર્તમાન બજાર સ્થિતિમાં ફ્લેક્સિ કેપ ફંડ્સ રોકાણકારો માટે સ્માર્ટ...

ભારતીય શેરબજાર અત્યારે સાવચેતી સાથે આશાવાદી તબક્કામાં છે. ભારત...

ફેડએક્સ ભુજ નાના અને મધ્યમ ઉદ્યોગોને મોટું વિચારવા અને...

ફેડરલ એક્સપ્રેસ કોર્પોરેશન ("ફેડએક્સ"), વિશ્વની સૌથી મોટી એક્સપ્રેસ ટ્રાન્સપોર્ટેશન...
spot_img

આપણે બધાંય જાણીએ જ છીએ કે મહાકુંભ દર 144 વર્ષે આવે છે અને મનુષ્ય માત્ર માટે તેની જિંદગીમાં ફક્ત એક જ વખત આવે છે. તો વૈદિક ધર્મમાં આસ્થા રાખનાર પ્રત્યેક વ્યક્તિના મનમાં એક દ્વંદ્વ યુદ્ધ થાય છે કે, ત્રિવેણીસંગમ જઈ આવવું જોઈએ કે પછી ”મન ચંગા તો કથરોટમે ગંગા” માની લેવું જોઈએ? તો, મારા મત મુજબ આ બેઉ તર્ક પોતાની જગ્યાએ યોગ્ય જ છે. જો વૈદિક વિચારધારાના લગભગ સવા સો કરોડ લોકો ત્યાં જવા ઈચ્છે તો શક્ય છે? બીજી બાજુ, કેટલા લોકો એટલો માનસિક વિકાસ કરી શકે કે જેઓ કાથરોટના જળમાં જ ગંગા નિહાળી શકે? જે લોકો ત્યાં ગયા છે તેનું માનીએ, તો મા ગંગા આનંદદાયી, મોક્ષદાયી, આહ્લાદ જન્માવનારી અને પતિત પાવક છે. જેમ આપણા માટે આપણી માનો સાડલો મેલો હોય શકે પણ અપવિત્ર ન જ હોય, તેમ ગંગાનું પાણી આપણી ભૂલના લીધે અને અણઆવડતના લીધે અસ્વચ્છ ચોક્કસ હોય શકે પરંતુ અપવિત્ર તો ન જ હોય. એ તો પુણ્યદા, મોક્ષદા ને પરમ પવિત્ર જ છે. આવી મા ગંગાનું પવિત્ર મનથી સ્મરણ કરીને આપણા બાથરૂમની ડોલના પાણીથી નાહીએ તો ડૂબકી મારી ગણાય કે? કે પછી, કોઈ પણ ભોગે સંગમ જવું જ પડે? બસ, મનમાં ઊઠેલ આવા જ પ્રશ્નો પછી રચાયાલી એક ગઝલ આપ સૌ સુજ્ઞ ભાવકગણ સમક્ષ પ્રસ્તુત છે જે આપને ચોક્કસ ગમશે.

           એક ગઝલ..

મહાકુંભ પાછો તરત આવશે નહિ,
અને આવશે તો, તું હાજર હશે નહિ..

તું પહેરેલાં કપડે જ નીકળી જા જલ્દી,
તને કાળ આ તક ફરી આપશે નહિ..

સમય કાઢ કાયાના કલ્યાણ માટે,
એ તારા સિવાય અન્યને ફાવશે નહિ..

નથી આઠમા તારા પૂર્વજ તને યાદ,
તનેય આઠમી પેઢી સંભારશે નહિ..

તું મનથીય ગંગામાં મારી લે ડૂબકી,
એ મા છે, તો ક્યારેય ધિક્કારશે નહિ..

છે દરખાસ્ત મારી, ત્યાં જઈ આવ, ‘ધીરજ!’
તું અહીં રહીને પણ ધાડ કંઈ મારશે નહિ..

લગીર જાત માટે તું સ્વાર્થી બની જા,
બધે સાવ ‘નિઃસ્વાર્થ’ થઈ ચાલશે નહિ..

✍️ ડૉ. ધીરજ એસ. બલદાણિયા ‘નિઃસ્વાર્થ’

[email protected]

તાલુકા આરોગ્ય કચેરી વિરમગામ ખાતે રક્તદાન કેમ્પ યોજાયો :...

અમદાવાદ જિલ્લા પંચાયત હસ્તક આરોગ્ય વિભાગ દ્વારા વિવિધ તાલુકા...

ભારતમાં ડિજિટલ મનોરંજનમાં પરિવર્તન લાવવા માટે ઓટીટીપ્લે પ્રીમિયમ અને...

ભારતના અગ્રણી ઓટીટી કન્ટેન્ટ એગ્રીગેટર, ઓટીટી પ્લે પ્રીમિયમે જીટીપીએલ...

સુરતમાં ‘ઓપરેશન સિંદૂર’ના વિજયની આન, બાન, શાનથી ઉજવણી થશે...

પહલગામમાં આતંકી હુમલા બાદ ભારતીય સેનાએ પાકિસ્તાન વિરૂદ્ધ કરેલા...

પીએનબી હાઉસિંગ ફાઈનાન્સે નવા ફિક્સ્ડ રેટ નોન-હોમ લોન પ્રોડક્ટ...

ભારતની ત્રીજી સૌથી મોટી હાઉસિંગ ફાઇનાન્સ કંપની પીએનબી હાઉસિંગ...

વર્તમાન બજાર સ્થિતિમાં ફ્લેક્સિ કેપ ફંડ્સ રોકાણકારો માટે સ્માર્ટ...

ભારતીય શેરબજાર અત્યારે સાવચેતી સાથે આશાવાદી તબક્કામાં છે. ભારત...

ફેડએક્સ ભુજ નાના અને મધ્યમ ઉદ્યોગોને મોટું વિચારવા અને...

ફેડરલ એક્સપ્રેસ કોર્પોરેશન ("ફેડએક્સ"), વિશ્વની સૌથી મોટી એક્સપ્રેસ ટ્રાન્સપોર્ટેશન...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here