Thursday, April 10, 2025
HomeReligionઆજે વાત મહાકુંભ વિશે..

આજે વાત મહાકુંભ વિશે..

Date:

spot_img

Related stories

મણિનગર ચેટીચંડ કમિટી દ્વારા ભગવાન ઝૂલેલાલનો ભવ્ય સંગીત કાર્યક્રમ...

આ કમિટી દ્વારા છેલ્લા સાથ વર્ષથી ભગવાન ઝૂલેલાલની શોભાયાત્રા...

અમદાવાદનાં અમરાઈવાડી ખાતે આવેલ શ્રી નાગરવેલ હનુમાન મંદિરમાં ...

અમદાવાદનાં અમરાઈવાડી-રખિયાલ રોડ પર આવેલ શ્રી નાગરવેલ હનુમાન મંદિરના...

આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ, ડેટા સાયન્સ અને કમ્પ્યુટર કૉન્સેપ્ટ્સ પર કૌશલ...

આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ, ડેટા સાયન્સ અને કમ્પ્યુટર કૉન્સેપ્ટ્સ પર કૌશલ...

બંધન બેંકે સમૃદ્ધ ગ્રાહકો માટે એલીટ પ્લસ સેવિંગ્સ એકાઉન્ટ...

દેશભરમાં ઉપસ્થિતિ ધરાવતી બંધન બેંકે એલીટ પ્લસ સેવિંગ્સ એકાઉન્ટ...

વિશ્વનું સૌથી મોટી હોમિયોપેથી કોન્ફરન્સ ગુજરાતમાં યોજાશે

આ વખતે હોમિયોપેથીના પિતા ડૉ. સેમ્યુઅલ હેનેમેનના જન્મજયંતિ નિમિત્તે...

પિયુષ ગોયલ 13 એપ્રિલે યશોભૂમિ ખાતે ભારતના સૌથી મોટા...

ભારતનું સૌથી મોટું બિલ્ડિંગ મટીરીયલ અને કન્સ્ટ્રક્શન એક્સપો –...
spot_img

આપણે બધાંય જાણીએ જ છીએ કે મહાકુંભ દર 144 વર્ષે આવે છે અને મનુષ્ય માત્ર માટે તેની જિંદગીમાં ફક્ત એક જ વખત આવે છે. તો વૈદિક ધર્મમાં આસ્થા રાખનાર પ્રત્યેક વ્યક્તિના મનમાં એક દ્વંદ્વ યુદ્ધ થાય છે કે, ત્રિવેણીસંગમ જઈ આવવું જોઈએ કે પછી ”મન ચંગા તો કથરોટમે ગંગા” માની લેવું જોઈએ? તો, મારા મત મુજબ આ બેઉ તર્ક પોતાની જગ્યાએ યોગ્ય જ છે. જો વૈદિક વિચારધારાના લગભગ સવા સો કરોડ લોકો ત્યાં જવા ઈચ્છે તો શક્ય છે? બીજી બાજુ, કેટલા લોકો એટલો માનસિક વિકાસ કરી શકે કે જેઓ કાથરોટના જળમાં જ ગંગા નિહાળી શકે? જે લોકો ત્યાં ગયા છે તેનું માનીએ, તો મા ગંગા આનંદદાયી, મોક્ષદાયી, આહ્લાદ જન્માવનારી અને પતિત પાવક છે. જેમ આપણા માટે આપણી માનો સાડલો મેલો હોય શકે પણ અપવિત્ર ન જ હોય, તેમ ગંગાનું પાણી આપણી ભૂલના લીધે અને અણઆવડતના લીધે અસ્વચ્છ ચોક્કસ હોય શકે પરંતુ અપવિત્ર તો ન જ હોય. એ તો પુણ્યદા, મોક્ષદા ને પરમ પવિત્ર જ છે. આવી મા ગંગાનું પવિત્ર મનથી સ્મરણ કરીને આપણા બાથરૂમની ડોલના પાણીથી નાહીએ તો ડૂબકી મારી ગણાય કે? કે પછી, કોઈ પણ ભોગે સંગમ જવું જ પડે? બસ, મનમાં ઊઠેલ આવા જ પ્રશ્નો પછી રચાયાલી એક ગઝલ આપ સૌ સુજ્ઞ ભાવકગણ સમક્ષ પ્રસ્તુત છે જે આપને ચોક્કસ ગમશે.

           એક ગઝલ..

મહાકુંભ પાછો તરત આવશે નહિ,
અને આવશે તો, તું હાજર હશે નહિ..

તું પહેરેલાં કપડે જ નીકળી જા જલ્દી,
તને કાળ આ તક ફરી આપશે નહિ..

સમય કાઢ કાયાના કલ્યાણ માટે,
એ તારા સિવાય અન્યને ફાવશે નહિ..

નથી આઠમા તારા પૂર્વજ તને યાદ,
તનેય આઠમી પેઢી સંભારશે નહિ..

તું મનથીય ગંગામાં મારી લે ડૂબકી,
એ મા છે, તો ક્યારેય ધિક્કારશે નહિ..

છે દરખાસ્ત મારી, ત્યાં જઈ આવ, ‘ધીરજ!’
તું અહીં રહીને પણ ધાડ કંઈ મારશે નહિ..

લગીર જાત માટે તું સ્વાર્થી બની જા,
બધે સાવ ‘નિઃસ્વાર્થ’ થઈ ચાલશે નહિ..

✍️ ડૉ. ધીરજ એસ. બલદાણિયા ‘નિઃસ્વાર્થ’

[email protected]

મણિનગર ચેટીચંડ કમિટી દ્વારા ભગવાન ઝૂલેલાલનો ભવ્ય સંગીત કાર્યક્રમ...

આ કમિટી દ્વારા છેલ્લા સાથ વર્ષથી ભગવાન ઝૂલેલાલની શોભાયાત્રા...

અમદાવાદનાં અમરાઈવાડી ખાતે આવેલ શ્રી નાગરવેલ હનુમાન મંદિરમાં ...

અમદાવાદનાં અમરાઈવાડી-રખિયાલ રોડ પર આવેલ શ્રી નાગરવેલ હનુમાન મંદિરના...

આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ, ડેટા સાયન્સ અને કમ્પ્યુટર કૉન્સેપ્ટ્સ પર કૌશલ...

આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ, ડેટા સાયન્સ અને કમ્પ્યુટર કૉન્સેપ્ટ્સ પર કૌશલ...

બંધન બેંકે સમૃદ્ધ ગ્રાહકો માટે એલીટ પ્લસ સેવિંગ્સ એકાઉન્ટ...

દેશભરમાં ઉપસ્થિતિ ધરાવતી બંધન બેંકે એલીટ પ્લસ સેવિંગ્સ એકાઉન્ટ...

વિશ્વનું સૌથી મોટી હોમિયોપેથી કોન્ફરન્સ ગુજરાતમાં યોજાશે

આ વખતે હોમિયોપેથીના પિતા ડૉ. સેમ્યુઅલ હેનેમેનના જન્મજયંતિ નિમિત્તે...

પિયુષ ગોયલ 13 એપ્રિલે યશોભૂમિ ખાતે ભારતના સૌથી મોટા...

ભારતનું સૌથી મોટું બિલ્ડિંગ મટીરીયલ અને કન્સ્ટ્રક્શન એક્સપો –...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here