Tuesday, May 21, 2024
HomeGujaratAhmedabadઅમદાવાદના વસ્ત્રાપુર લેકમાં ખાટલા પર સુતેલા દાહોદના યુવકની હત્યા, અજાણ્યો શખ્સ તીક્ષ્ણ...

અમદાવાદના વસ્ત્રાપુર લેકમાં ખાટલા પર સુતેલા દાહોદના યુવકની હત્યા, અજાણ્યો શખ્સ તીક્ષ્ણ હથિયાર લઇ તૂટી પડ્યો

Date:

spot_img

Related stories

‘ઓડિશામાં 10 જૂને ડબલ એન્જિન સરકાર બનશે’, ઢેંકનાલથી વડાપ્રધાન મોદીએ કર્યો મોટો દાવો

લોકસભા 2024ની ચૂંટણી માટે પાંચમા તબક્કાનું મતદાન ચાલી રહ્યું...

સ્વાતિ માલીવાલ સાથે મારપીટ કેસનો વધુ એક VIDEO જાહેર, સિક્યોરિટી ગાર્ડનો હાથ ઝાટક્યો

નવી દીલ્હી: આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ સ્વાતિ માલીવાલ...

સુરત ખાતે લાઠી લીલીયા પટેલ સમાજ ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાશે

સુરત ખાતે લાઠી લીલીયા તાલુકા પટેલ સમાજ સોશ્યલ ગ્રુપ...

ભાવનગર શિશુવિહાર ની ૧૯૮૦ થી અવિરત ચાલતી બુધસભા ની ૨૨૮૭ મી બેઠક મળી

ભાવનગર વર્ષ ૧૯૮૦ થી અવિરત ચાલતી કાવ્યપ્રવૃત્તિ  શિશુવિહાર બુધસભા...

ચારધામ મંદિર પરિસરના 200 મીટરની આસપાસ મોબાઈલ ફોન પર પ્રતિબંધ

ઉત્તરાખંડમાં ચારધામ યાત્રામાં ભારે ભીડને કારણે 5 દિવસમાં જ...
spot_img

અમદાવાદ: છેલ્લા કેટલાક દિવસથી અમદાવાદમાં હત્યાના બનાવોમાં વધારો થયો છે. સોમવારે કાલુપુર પાસે એક યુવકની જાહેરમાં હત્યા કર્યાના સીસીટીવી સામે આવ્યા બાદ હવે વસ્ત્રાપુરમાં ખાટલામાં સુતેલા દાહોદના મજૂર યુવાનની તીક્ષ્ણ હથિયારના ઘા મારીને હત્યા કરવામાં આવી હોવાની ઘટના સામે આવી છે. બનાવ અંગે વસ્ત્રાપુર લેકમાં કન્ટ્ર્ક્શનનું કામ કરનારે વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે પોલીસે અજાણ્યા શખ્સને શોધવા તજવીજ હાથ ધરી છે. હત્યાનો સમગ્ર બનાવ નજીકના સીસીટીવીમાં કેદ થઇ ગયો હતો. કન્ટ્ર્ક્શનનું કામ કરનાર અશ્વિન વામજાએ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદ અનુસાર, 7 ફેબ્રુઆરીના રોજ રાત્રે સાડા નવ વાગ્યાની આસપાસ અમદાવાદ મહાનગરપાલિકા મેમનગર સ્થિત બોડકદેવ ઓફિસમાં આસિસ્ટન્ટ સીટી એન્જિનિયર જાવતા પંચાલનો અશ્વિનભાઈને ફોન આવ્યો હતો. જેમાં તેમણે જણાવ્યું હતું કે વસ્ત્રાપુર તળાવ ખાતે ચાલતી તેમની સાઇટ પર હત્યાનો બનાવ બન્યો છે. પોલીસ સ્થળ પર આવી હોવાની જાણ કરતા તેમણે સાઇટ એન્જિનિયર ગૌરવ પટેલને ફોન કર્યો હતો. જેમણે તુરંત સાઇટ પર પહોંચવા જણાવ્યું હતું. અશ્વિનભાઈ સાઇટ પર જવા નીકળ્યા હતા અને એ દરમિયાન તેમણે ફરી ગૌરવ પટેલને ફોન કર્યો હતો. જેમાં ગૌરવ પટેલે અશ્વિનભાઈને જણાવ્યું હતું કે, સાઇટ પર કામ કરી રહેલા લાલાભાઈ ખુમાભાઈ સંગાડાનો મૃતદેહ એડવેન્ચર પારક્ની પાછળ બોટિંગની જૂની ટિકિટ બારી પાસે ખાટલામાં પડેલો છે. લાલાભાઈ પર ગળા અને માથાના ભાગે તીક્ષણ હથિયારથી હુમલો કરવામાં આવ્યો હતો. જેના કારણે તેમનું મોત નીપજ્યું હતું. મૃતક લાલાભાઈ સંગાડા છેલ્લા 10 દિવસથી આ સાઇટ પર કામ કરી રહ્યાં હતા. સવારે તેઓ મજૂરી કામ કરતા હતા અને રાત્રીના સમયે ચોકીદાર તરીકે કામ કરતા હતા. 30 વર્ષીય મૃતક લાલાભાઈ સંગાડા દાહોદ જિલ્લાના ઝાલોદના હીરોલા ગામના રહેવાસી છે. વસ્ત્રાપુર લેકમાં ખાટલામાં લાશ હોવાની જાણ થતાં વસ્ત્રાપુર પોલીસ સ્થળ પર પહોંચી હતી અને તપાસ હાથ ધરી હતી. હત્યા કોણે અને કયા કારણોસર કરવામાં આવી છે. તેની પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. બીજી તરફ ગઇકાલે રાત્રે બનેલી ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે. હત્યાના જે સીસીટીવી સામે આવ્યા છે. તે ખૂબજ ભયાનક છે. એક શખ્સ ખાટલામાં સૂતેલા મજૂર પર કોઇ પાવડા જેવી વસ્તુ લઇને તૂટી પડ્યો હતો. એક પછી એક ઘા મજૂરના માથાના ભાગે મારી રહ્યો હતો. હત્યારા શખ્સની ઝનૂન અને ક્રોધને જોઇને ત્યાંથી પસાર થઇ રહેલા યુવાનો પણ હિંમત હારી ગયા હતા અને ત્યાંથી ભાગી ગયા હતા. સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઇ હતી. પોલીસે સીસીટીવીના આધારે હત્યારા શખ્સને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.

‘ઓડિશામાં 10 જૂને ડબલ એન્જિન સરકાર બનશે’, ઢેંકનાલથી વડાપ્રધાન મોદીએ કર્યો મોટો દાવો

લોકસભા 2024ની ચૂંટણી માટે પાંચમા તબક્કાનું મતદાન ચાલી રહ્યું...

સ્વાતિ માલીવાલ સાથે મારપીટ કેસનો વધુ એક VIDEO જાહેર, સિક્યોરિટી ગાર્ડનો હાથ ઝાટક્યો

નવી દીલ્હી: આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ સ્વાતિ માલીવાલ...

સુરત ખાતે લાઠી લીલીયા પટેલ સમાજ ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાશે

સુરત ખાતે લાઠી લીલીયા તાલુકા પટેલ સમાજ સોશ્યલ ગ્રુપ...

ભાવનગર શિશુવિહાર ની ૧૯૮૦ થી અવિરત ચાલતી બુધસભા ની ૨૨૮૭ મી બેઠક મળી

ભાવનગર વર્ષ ૧૯૮૦ થી અવિરત ચાલતી કાવ્યપ્રવૃત્તિ  શિશુવિહાર બુધસભા...

ચારધામ મંદિર પરિસરના 200 મીટરની આસપાસ મોબાઈલ ફોન પર પ્રતિબંધ

ઉત્તરાખંડમાં ચારધામ યાત્રામાં ભારે ભીડને કારણે 5 દિવસમાં જ...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here